ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Jammu Kashmir પોલીસની મોટી જાહેરાત, આતંકવાદીઓ વિશે માહિતી આપનારને મળશે મોટું ઈનામ

જમ્મુ કાશ્મીર પોલીસની મોટી જાહેરાત આતંકવાદીઓ વિશે માહિતી આપનારને મળશે ઈનામ ઈનામ આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે Jammu Kashmir: 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામ આતંકવાદી હુમલા અંગે દેશમાં ગુસ્સો છે. ખીણમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ...
10:32 PM Apr 23, 2025 IST | Hiren Dave
જમ્મુ કાશ્મીર પોલીસની મોટી જાહેરાત આતંકવાદીઓ વિશે માહિતી આપનારને મળશે ઈનામ ઈનામ આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે Jammu Kashmir: 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામ આતંકવાદી હુમલા અંગે દેશમાં ગુસ્સો છે. ખીણમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ...
featuredImage featuredImage
jammu Kashmir Police Big announcement

Jammu Kashmir: 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામ આતંકવાદી હુમલા અંગે દેશમાં ગુસ્સો છે. ખીણમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે એક મોટી જાહેરાત કરી છે.અનંતનાગ પોલીસે બુધવારે (23 એપ્રિલ, 2025) આ કાયરતાપૂર્ણ હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ ઈનામ આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે. પોલીસ આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને પકડવા મદદ કરશે.

માહિતી આપનારને 20 લાખનું ઈનામ

આ પણ  વાંચો -Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલાને લઈ ભારત સરકારનો સૌથો મોટો નિર્ણય

પીએમ મોદીએ કરી એક મોટી બેઠક

આ હુમલા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. બુધવારે પીએમ મોદીએ એક મોટી બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગળ શું પગલાં લેવા તે અંગે પણ ચર્ચા થઈ.

આ પણ  વાંચો -Indus Waters Treaty : ભારતે સિંધુ સમજૂતી પર લગાવી રોક, જાણો કેવી રીતે પાકિસ્તાન એક-એક પાણીનાં ટીપા માટે તરસશે!

સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા

પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં તણાવ વધી ગયો છે. બુધવારે, ભારતીય સેનાએ બારામુલા જિલ્લામાં LoC પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. સેનાના ચિનાર કોર્પ્સના જણાવ્યા મુજબ ઉત્તર કાશ્મીરના સરજીવાન સેક્ટરમાં ઉરી નાલા વિસ્તારમાં બે-ત્રણ આતંકવાદીઓનું એક જૂથ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યું હતું. પહેલગામ હુમલાના 24 કલાકથી પણ ઓછા સમયમાં ઘૂસણખોરીનો આ પ્રયાસ થયો હતો. કલાકો પછી, કુલગામ જિલ્લાના તંગમાર્ગ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો.

Tags :
Anantnag Districtjammu Kashmir PoliceJammu-KashmirPahalgampahalgam terror attackPahalgam Terrorist rewardTerrorist attack