Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ayodhya : રામ મંદિરને લઈ ભાજપની આજે મહત્વની બેઠક ,અમિત શાહ-જેપી નડ્ડા પણ થશે સામેલ

Ayodhya : રામ નગરી અયોધ્યા (Ayodhya) માં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. હાલ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત...
10:42 AM Jan 02, 2024 IST | Hiren Dave
BJP meeting

Ayodhya : રામ નગરી અયોધ્યા (Ayodhya) માં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. હાલ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારત અને વિદેશમાંથી ઘણા VVIP મહેમાનો પધારશે. ત્યારે અયોધ્યા (Ayodhya) રામ મંદિરને લઈને ભારતીય જનતા પાર્ટીએ એક મોટી બેઠક બોલાવી છે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

 

લોકસભાની ચૂંટણીને લઈને થઈ શકે છે ચર્ચા
અયોધ્યા (Ayodhya)રામ મંદિરને લઈ જેપી નડ્ડા અને અમિત શાહ ઉપરાંત દરેક રાજ્યમાંથી પાર્ટીના બે-બે પદાધિકારીઓ પણ બેઠકમાં સામેલ લેશે.ગયા મહિને મળતી માહિતી અનુસાર ભાજપે આ વર્ષની લોકસભા ચૂંટણીમાં મત મેળવવા માટે ચૂંટણી પ્રચાર અભિયાનમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો માટે વિગતવાર યોજના પણ બનાવી છે.

ram mandir

શું છે ભાજપનો પ્લાન?
Ayodhya રામ મંદિર આંદોલન અને મંદિર નિર્માણમાં પાર્ટીની ભૂમિકા સમજાવતી એક પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા નવા મતદારો સાથે જોડાવા માટે બૂથ સ્તરે કાર્યક્રમો પણ યોજવામાં આવશે. ભાજપ તેના ચૂંટણી પ્રચાર દરમિયાન એ વાત પણ પ્રકાશિત કરશે કે કેવી રીતે વિરોધ પક્ષોએ મંદિરના નિર્માણમાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો હતો.


મંદિરનો પ્રથમ તબક્કો લગભગ તૈયાર!

અયોધ્યા (Ayodhya) માં નિર્માણ પામી રહેલા રામ મંદિરનો પ્રથમ તબક્કો પૂર્ણ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામલલાની પ્રતિમાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. પરંપરાગત નગર શૈલીમાં તૈયાર થઈ રહેલું રામ મંદિર 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે. મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો હશે અને તેમાં કુલ 392 સ્તંભ અને 44 દ્વાર હશે.

આ પણ વાંચો -સિદ્ધારમૈયા પોતે જ રામ છે…’, CMને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ ન મળવા પર બોલ્યા કોંગ્રેસ નેતા

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amit ShahAyodhyabjp hold meetingNationalpresent jp naddaram mandir
Next Article