જાદવપુર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રી પર હુમલો! TMC ના SFI પર ગંભીર આરોપ
- જાદવપુર યુનિવર્સિટીમાં શિક્ષણ મંત્રી બ્રત્યા બાસુ પર હુમલો
- શિક્ષણ મંત્રીને 100 થી વધુ વિરોધીઓએ ઘેરી લીધા
- મંત્રીને SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
TMC Protest Against SFI : કોલકાતા સ્થિત જાદવપુર યુનિવર્સિટી હિંસા મુદ્દે TMC અને SFI સામસામે આવી ગયા છે. TMCએ SFI પર શિક્ષણ મંત્રી બ્રત્યા બાસુ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે SFIએ આ વાતને નકારી કાઢી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ શનિવારે કોલકાતામાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શિક્ષણ મંત્રીને વિરોધીઓએ ઘેર્યા
શનિવારે, CPI(M) ની વિદ્યાર્થી પાંખ SFI અને AISA ના સભ્યોએ જાદવપુર યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીની તારીખોની જાહેરાતની માંગણી સાથે વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષણ મંત્રીની કારને ઘેરી લેવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. બાસુ જ્યારે કારમાં બેસવાના હતા ત્યારે 100 થી વધુ વિરોધીઓએ તેમને ઘેરી લીધા.
SFI અરાજકતા ઇચ્છતું હતું
શિક્ષણ મંત્રી બસુએ કહ્યું, "મેં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ કોઈ સંવાદ કરવા માંગતા ન હતા. તેઓ માત્ર અરાજકતા ફેલાવવા માંગતા હતા." મંત્રીએ કહ્યું કે તેમણે પાંચ વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે વાત કરવાની ઓફર કરી હતી, પરંતુ વિરોધ કરનારાઓ શાંત થયા ન હતા. તૂટેલા કાચથી બાસુના હાથમાં ઈજા થઈ હતી અને તેમને SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ છોડતી વખતે તેમણે કહ્યું કે છાતીમાં દુખાવાને કારણે એક્સ-રે કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ ગંભીર ઈજા થઈ નથી.
#WATCH | West Bengal | TMC party alleged that SFI members attacked West Bengal Education Minister Bratya Basu at the Jadavpur University earlier today
(Visual of the vehicle of the West Bengal Education Minister from outside his residence) https://t.co/KrRyT0tHVW pic.twitter.com/4QRoRea6ff
— ANI (@ANI) March 1, 2025
આ પણ વાંચો : Rohtak Murder : કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલની હત્યા, સુટકેસમાંથી મળી લાશ
SFI એ TMC ને જવાબદાર ઠેરવ્યું
SFI નેતા કૌશિકી ભટ્ટાચાર્યએ આરોપોને નકારી કાઢતાં કહ્યું કે, "અમે હિંસાનો આશરો લીધો નથી. TMC બહારના લોકોએ અમારા કાર્યકરો પર હુમલો કર્યો અને અમારી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો." ટીએમસીના રાજ્ય મહાસચિવ કુણાલ ઘોષે આ હુમલાને રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો. તેમણે કહ્યું, "અમારી ધીરજ અને સહનશીલતાને અમારી નબળાઈ ન ગણવી જોઈએ." હવે જોવાનું એ રહેશે કે જાદવપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈને ચાલી રહેલો આ વિવાદ શું વળાંક લે છે.
આ પણ વાંચો : '15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે નીતીશ કુમાર', સમ્રાટ ચૌધરીના દાવા પર રાજકીય હલચલ તેજ