બંને ગૃહમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત કુલ 67 વિપક્ષી સાંસદ સસ્પેન્ડ, જાણો શું છે કારણ?
સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો હતો. આ કારણે ગૃહની કાર્યવાહીમાં અડચણ ઊભી થતા જવાબદાર સાંસદો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, લોકસભા (Lok Sabha) માંથી 33 સાંસદોને જ્યારે રાજ્યસભામાંથી 34 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આજના દિવસે એક સાથે કુલ 67 સાંસદોની ગૃહમાંથી હકાલપટ્ટી કરાઈ છે. આ સાંસદોમાં કોંગ્રેસ (Congress) નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan) નું નામ પણ સામેલ છે.
વિપક્ષી સાંસદો કે જેમને આજે શિયાળુ સત્રના બાકીના સમય માટે સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેઓએ સંસદની સીડી પર વિરોધ દાખવ્યો હતો. માહિતી અનુસાર, લોકસભાના 33 અને રાજ્યસભાના 34 સાંસદોને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભામાંથી 3 અને રાજ્યસભાના 11 સાંસદોને સસ્પેન્ડ કરવાનો મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે.
#WATCH | Opposition MPs, who were suspended from the Parliament today for the remainder of the Winter Session, protest on the stairs to the Parliament.
33 MPs from Lok Sabha and 34 from Rajya Sabha were suspended today; the matter of suspension of 3 MPs from Lok Sabha and 11… pic.twitter.com/7Sz4JHySJz
— ANI (@ANI) December 18, 2023
મીડિયા અહેવાલ અનુસાર, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ડીએમકે સાંસદ ટી.આર. બાલૂ, દયાનિધિ મારન અને તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) ના સૌગત રોય સહિત 33 વિપક્ષી સભ્યોને સોમવારે લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે 30 સાંસદોને સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 3 ને વિશેષાધિકાર સમિતિની રિપોર્ટ બાકી હોય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોમાં કે. જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલિક સામેલ છે.
કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા સસ્પેન્ડ કરાયા
રાજ્યસભાની વાત કરીએ તો, અધ્યક્ષ જગદીપ ધનખરે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાને પણ સસ્પેન્ડ કરી દીધા છે. રાજ્યસભા અધ્યક્ષે પ્લેકાર્ડ બતાવવા અંગે આ કડક નિર્ણય લીધો છે. સભ્યોના સસ્પેન્શન બાદ ગૃહની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
Winter Session | A total of 33 Opposition MPs, including Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury, suspended from the Parliament today for the remainder of the Session. pic.twitter.com/zbUpeMaHmU
— ANI (@ANI) December 18, 2023
કોંગ્રેસ નેતા અધીર રંજને કહી આ વાત
કોંગ્રેસ નેતા અધીર રંજને કહ્યું કે, મારી સાથે ઘણા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમે ઘણા સમયથી માગ કરી રહ્યા હતા કે અમારા જે સાંસદોને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને ફરી ગૃહમાં આવવાની મંજૂરી આપવામાં આવે અને ગૃહમંત્રીએ ગૃહમાં આવીને નિવેદન આપવું જોઈએ. સંસદની સુરક્ષાને લઈ સરકાર શું પગલા લઈ રહી છે તે અંગે સંસદમાં માહિતી આપવી જોઈએ. માહિતી અનુસાર, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષ સમક્ષ આ સસ્પેન્શન અંગેનો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ધ્વનિ મત થકી પસાર કરવામાં આવ્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
#WATCH | On his suspension from the Lok Sabha, Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury says, "All leaders, including me, have been suspended. We have been demanding for days to reinstate our MPs who were suspended earlier and that the Home Minister come to the… pic.twitter.com/y19hCUY7iG
— ANI (@ANI) December 18, 2023
અગાઉ 14 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા
ઉલ્લેખનીય છે કે અગાઉ સંસદની સુરક્ષામાં ચૂંક મામલે ગૃહમાં હોબાળો કરવાનારા 14 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 13 લોકસભા અને 1 રાજ્યસભા સાંસદને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે સોમવારે લોકસભામાંથી 33 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો - ASI : જ્ઞાનવાપી સંકુલમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ