Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Air India ફ્લાઇટમાં એક વ્યક્તિએ બાજુમાં બેઠેલા મુસાફર પર કરી લઘુશંકા

Air India Flight માં ચોંકાવનારી  ઘટના એક વ્યક્તિએ બાજુમાં બેઠેલા મુસાફર પર કરી લઘુશંકા DGCA આ અંગે  કરશે કાર્યવાહી Air India: બુધવારે દિલ્હીથી બેંગકોક જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં(Air India Flight) એક મુસાફરે બીજા મુસાફર પર પેશાબ કર્યો હોવાનો આરોપ...
air india ફ્લાઇટમાં એક વ્યક્તિએ બાજુમાં બેઠેલા મુસાફર પર કરી લઘુશંકા
Advertisement
  • Air India Flight માં ચોંકાવનારી  ઘટના
  • એક વ્યક્તિએ બાજુમાં બેઠેલા મુસાફર પર કરી લઘુશંકા
  • DGCA આ અંગે  કરશે કાર્યવાહી

Air India: બુધવારે દિલ્હીથી બેંગકોક જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં(Air India Flight) એક મુસાફરે બીજા મુસાફર પર પેશાબ કર્યો હોવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ આ ઘટના અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને જાણ કરી છે. આ ઘટના વિશે પૂછવામાં આવતા, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ કહ્યું કે મંત્રાલય આ ઘટનાની નોંધ લેશે અને ઉડ્ડયન કંપની સાથે વાત કરશે. જો કંઈક ખોટું થયું હશે, તો અમે જરૂરી પગલાં લઈશું, એમ નાયડુએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું.

આ ઘટનાએ લગભગ ૩ વર્ષ પહેલા બનેલા આવા જ એક કિસ્સાની યાદ તાજી કરી દીધી છે. આ ઘટના 26 નવેમ્બર 2022 ની છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-102) ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા શંકર મિશ્રાએ નશામાં ધૂત એક વૃદ્ધ મહિલા મુસાફર પર પેશાબ કરી દીધો. ઘટનાના લગભગ એક મહિના પછી મહિલાએ એર ઈન્ડિયા અને ડીજીસીએમાં ફરિયાદ નોંધાવી ત્યારે આ મામલો ચર્ચામાં આવ્યો.

Advertisement

આ પણ  વાંચો -UP : યોગી સરકારની કર્મચારીઓને ભેટ,મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

Advertisement

એરલાઈનને પણ ફટકારવામાં આવ્યો હતો દંડ

આ પછી મામલો વધુ વકર્યો. પછી જાન્યુઆરી 2023 માં, શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી. આ કેસમાં એર ઈન્ડિયા પણ બદનામ થઈ ગઈ હતી. એર ઈન્ડિયા પર બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આના પર કાર્યવાહી કરતા, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એરલાઈન પર દંડ પણ ફટકાર્યો. #BreakingNews

આ પણ  વાંચો -Kedarnath Dham Yatra : એક મહિનાની ટિકિટ 5 કલાકમાં જ ફુલ, જાણો ભાડું

કંપનીના સીઈઓએ શું કહ્યું?

આ કિસ્સામાં, કર્મચારીઓને કંપનીના સીઈઓના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો. સીઈઓએ કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે આ મામલો જે રીતે રજૂ કરવામાં આવ્યો હતો તેના કરતાં મોટો હતો. કોઈપણ ખોટી પ્રવૃત્તિનો યોગ્ય રીતે સામનો કરવો જોઈએ. DGCAએ એર ઈન્ડિયાને પત્ર લખીને આ બાબતે નારાજગી વ્યક્ત કર્યા બાદ સીઈઓ તરફથી આ મેઈલ આવ્યો હતો.

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

Elon Musk કંઈક એવું બતાવવા માંગે છે જેનું અસ્તિત્વ જ નથી! વાંદરાઓ પર ટ્રાયલ થઇ હવે માણસોનો વારો

featured-img
લાઇફ સ્ટાઇલ

Happy Fathers Day : પરમપિતાનો પડછાયો એટલે પિતા...

featured-img
Top News

યુદ્ધગ્રસ્ત ઇરાનને US પ્રેસીડેન્ટ ટ્રમ્પની ચેતવણી, કહ્યું - 'અમારા પર હુમલો થયો તો...'

featured-img
મનોરંજન

Kannappa Trailer: પ્રભાસનો રુદ્ર અવતાર બતાવવામાં આવ્યો, અક્ષય કુમારે શિવનો મહિમા બતાવ્યો, કન્નપ્પાના ધમાકેદાર ટ્રેલરનો Video

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : દુર્ઘટનાના 70 કલાક બાદ વિજયભાઈ રુપાણીનું DNA મેચ થયું , હર્ષભાઈ સંઘવીએ કરી જાહેરાત

featured-img
રાષ્ટ્રીય

Kerala : તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રિટિશ ફાઈટર જેટનું ઈમરજન્સી લેન્ડિંગ

×

Live Tv

Trending News

.

×