ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi: હૃદય કંપાવતી ઘટના, પાણી ના આપ્યું તો રૂમ પાર્ટનરની કરી નાખી હત્યા!

Delhi: દિલ્હીમાં આવેલા નિહાલ વિહાર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બની છે. માત્ર પીવાનું પાણી ના આપ્યું તેનો ગુસ્સો રાખી રૂમ પાર્ટનરે એક નાબાલિકની ગળું દબાવીને હત્યા કરી નાખી છે. એટલું જ નહીં પરંતુ હત્યા કરીને આરોપીએ તેને આત્મહત્યાનું સ્વરૂપ...
10:36 AM Jan 19, 2024 IST | VIMAL PRAJAPATI
Delhi

Delhi: દિલ્હીમાં આવેલા નિહાલ વિહાર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બની છે. માત્ર પીવાનું પાણી ના આપ્યું તેનો ગુસ્સો રાખી રૂમ પાર્ટનરે એક નાબાલિકની ગળું દબાવીને હત્યા કરી નાખી છે. એટલું જ નહીં પરંતુ હત્યા કરીને આરોપીએ તેને આત્મહત્યાનું સ્વરૂપ આપવા માટે લાશને દોરડાથી બાંધીને ઉપર લટકાવી દીધી હતી. મળતી વિગતો પ્રમાણે મૃતક યુપીના હરદોઈનો રહેવાસી રચિત હતો અને Delhi માં રહેતો હતો.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

તપાસ દરમિયાન ગળું દબાવવાના નિશાન મળતા પોલીસ અત્યારે હત્યાનો ગુનો નોધ્યો છે. પોલીસે ઘટના બાદથી ફરાર રચિતના રૂમ પાર્ટનર અભય કાંત મિશ્રા, યુપી હરદોઈના રહેવાસી અને તેના સગીર પરિચિતને પકડી લીધા છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 11 જાન્યુઆરી લક્ષ્મી પાર્ક વિસ્તારમાં એક યુવકે આત્યહત્યા કરી હોવાની જાણકારી મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ કરતા જાણવા મળ્યું કે, લાશને પંખા સાથે બાંધેલી હતી. જો કે, છતની લંબાઈ વધારે હતી અને આસપાસ કોઈ સ્ટુલ કે, ખુડશી પણ નહોતી એટલે પોલીસને આ મામલે શંકા ગઈ હતી.

હત્યા કરી આરોપીઓ થઈ ગયા ફરાર

ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરતા લાશને નીચે ઉતારીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તપાસમાં પોલીસને ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. આથી લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલીને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે મકાન માલિકે જણાવ્યું કે, રચિત અને તેના બન્ને રૂપ પાર્ટનર કોઈ કંપનીમાં કામ કરતા હતા. જોકે, પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના બાદ બન્ને રૂમ પાર્ટનર ત્યાથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: બેદરકારીએ હદ વટાવી! સેવઉસળવાળો બોટનો અનુભવી કઈ રીતે હોઈ શકે?

પાણીના આપતા કરી દીધી હત્યા

વધુ તપાસ હાથ ધરતા પોલીસે આ મામલે અભયકાંતને ફોન કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. પોલીસે તેનો મોબાઈલ તપાસમાં આપ્યો તેથી જાણવા મળ્યું કે,તે અત્યારે હરદોઈમાં છે. પોલીસે ત્યા જઈને બન્ને આરોપીઓને ઝડપી લીધા. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, તે સમયે તે દારૂના નશામાં હતા. આરોપીઓએ મૃતક પાસે પાણી માંગ્યું અને પાણી ના આપતા તેમના વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જેથી તેની દોરડા વડે ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.

Tags :
Crime NewsDelhi NewsGujarati Newsnational news
Next Article