Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

54 મજૂરો, 53 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન, હિમવીરોએ 46 લોકોના જીવ બચાવ્યા, 8 મજૂરોના મોત

ચમોલીમાં માના હિમસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 8 થયો હતો. દુર્ઘટનાના ત્રીજા દિવસે ચાર મૃતદેહો મળી આવ્યા.
54 મજૂરો  53 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન  હિમવીરોએ 46 લોકોના જીવ બચાવ્યા  8 મજૂરોના મોત
Advertisement
  • માનામાં હિમસ્ખલનને કારણે 54 મજૂરો બરફ નીચે દટાયા
  • કામદારો 8 કન્ટેનર અને 1 શેડની અંદર હોવાની માહિતી
  • ITBP અને વહીવટીતંત્ર દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન

CHAMOLI MANA AVALANCHE : માના હિમસ્ખલનની દુર્ઘટના બાદ 54 મજૂરોને બચાવવા માટે 53 કલાકથી વધુ સમયનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં હિમવીરોએ 46 મજૂરોને સુરક્ષિત રીતે બચાવ્યા. આ માના હિમસ્ખલનની ઘટનામાં 8 કામદારોના મોત થયા છે.

54 મજૂરો બરફ નીચે દટાયા

28મી ફેબ્રુઆરીએ સવારે ચમોલીના માનામાં હિમસ્ખલનને કારણે 54 મજૂરો બરફ નીચે દટાયા હતા. જ્યારે માના હિમસ્ખલનના સમાચાર સરકાર અને વહીવટીતંત્ર સુધી પહોંચ્યા ત્યારે સવારના 10 વાગ્યા હતા. આ કામદારો 8 કન્ટેનર અને 1 શેડની અંદર હોવાની માહિતી મળી હતી. જેઓ ગુમ થયા હતા. ત્યારબાદ ITBP અને વહીવટીતંત્ર દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

ઘટનાના તે જ દિવસે, ITBPએ 2 કન્ટેનર શોધીને 33 લોકોને બચાવ્યા હતા. જ્યારે બીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશનમાં ATBP તેમજ ભારતીય સેના અને વાયુસેનાનો સહયોગ મળ્યો હતો. આ સમય દરમિયાન, બચાવ કામગીરી હાથ ધરતા સૈનિકોને વધુ 3 કન્ટેનર મળી આવ્યા અને સાંજ સુધીમાં બચાવી લેવામાં આવેલા કામદારોની સંખ્યા 50 પર પહોંચી ગઈ. જોકે, આ દરમિયાન, માહિતી મળી હતી કે ગંભીર રીતે ઘાયલ ચાર કામદારોના મોત થયા છે. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ કામદારોને એરલિફ્ટ કરીને AIIMS ઋષિકેશ લઈ જવામાં આવ્યા હતા. તેઓની ઓળખ 23 વર્ષીય પવન પુત્ર મહેન્દ્ર સિંહ, ઈશાનપુર જિલ્લો સંભલ ઉત્તર પ્રદેશ અને 28 વર્ષીય અશોક પુત્ર જીવન રામ, બેરીનાગ, પિથોરાગઢ, ઉત્તરાખંડ તરીકે થઈ છે.

આ પણ વાંચો : SEBI ના ભૂતપૂર્વ વડા માધવી પુરી બુચ સામે FIR નોંધવાનો આદેશ, સ્ટોક માર્કેટમાં છેતરપિંડીનો આરોપ

રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

રેસ્ક્યુ ઓપરેશનના ત્રીજા દિવસે 4 મજૂરોને શોધવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન, સવારે 10:30 વાગે રેસ્ક્યુ ટીમે વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો હતો. બપોર સુધીમાં, માહિતી મળી કે બચાવ ટીમે વધુ બે મૃતદેહ બહાર કાઢ્યા છે. રવિવારે સાંજે લગભગ 5:10 કલાકે ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ વિનોદ કુમાર સુમને માહિતી આપી હતી કે ગુમ થયેલા એક મજૂરનો મૃતદેહ મળી આવ્યો છે. મજૂરની ઓળખ અરવિંદ તરીકે થઈ છે, જે દેહરાદૂનનો રહેવાસી છે. મળતી માહિતી મુજબ, રવિવારે મળેલા મૃતદેહોને માના પોસ્ટથી જોશીમઠ લાવવામાં આવ્યા છે.

સેનાના પીઆરઓ વતી લેફ્ટનન્ટ કર્નલ મનીષ શ્રીવાસ્તવે બપોરે 2 વાગ્યે જણાવ્યું હતું કે સેનાએ ચાલુ સર્ચ ઓપરેશન દરમિયાન બરફમાંથી વધુ બે મૃતદેહ બહાર કાઢ્યા છે. અત્યાર સુધીમાં 54 માંથી 53 કામદારોને બચાવી લેવાયા છે. એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

માના હિમપ્રાતમાં મૃત્યુ પામેલા કામદારોના નામ

  • મોહિન્દર પાલ (42 વર્ષ) હિમાચલ પ્રદેશના કાંગડા નિવાસી દેશરાજના પુત્ર
  • આલોક યાદવ ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી
  • ઉત્તર પ્રદેશના સરવન નિવાસી શંભુના પુત્ર મનજીત યાદવ
  • જીતેન્દ્ર સિંહ (26 વર્ષ), કુલવંત સિંહના પુત્ર, બિલાસપુર, ઉત્તર પ્રદેશ
  • હરમેશ ચંદ (31 વર્ષ) હિમાચલ પ્રદેશના ઉના નિવાસી જ્ઞાન ચંદના પુત્ર
  • અનિલ (21 વર્ષ) ઉત્તરાખંડના રુદ્રપુર ઉધમ સિંહ નગર નિવાસી ઈશ્વરી દત્તના પુત્ર
  • અશોક (28 વર્ષ), રામપાલના પુત્ર, ફતેહપુર, ઉત્તર પ્રદેશનો રહેવાસી
  • અરવિંદ, દેહરાદૂન, ઉત્તરાખંડનો રહેવાસી.

આ પણ વાંચો :  વિવિધ રાજ્યોમાં મતદારોની સમાન EPIC નંબરનો શું અર્થ? જાણો શું કહ્યું ચૂંટણી પંચે ?

Tags :
Advertisement

Trending News

.

×