Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bangladesh: મોહમ્મદ યુનુસે PM મોદીને કર્યો ફોન,જાણો શું કહ્યું

મુહમ્મદ યુનુસે PM નરેન્દ્ર મોદી સાથે ફોન પર કરી વાત  મુહમ્મદ યુનુસે હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી મો. યુનૂસ સાથે વાતચીત બાત PM મોદીની પોસ્ટ  Bangladesh :બાંગ્લાદેશમાં (Bangladesh)શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ હિંસાનો સિલસિલો ચાલુ છે. દેશમાં હિંદુ લઘુમતીઓને...
bangladesh  મોહમ્મદ યુનુસે pm મોદીને કર્યો ફોન જાણો શું કહ્યું
  1. મુહમ્મદ યુનુસે PM નરેન્દ્ર મોદી સાથે ફોન પર કરી વાત 
  2. મુહમ્મદ યુનુસે હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી
  3. મો. યુનૂસ સાથે વાતચીત બાત PM મોદીની પોસ્ટ 

Bangladesh :બાંગ્લાદેશમાં (Bangladesh)શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ હિંસાનો સિલસિલો ચાલુ છે. દેશમાં હિંદુ લઘુમતીઓને ઉગ્રતાથી નિશાન બનાવવામાં આવી છે, જેના પર વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી બાંગ્લાદેશની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે (Muhammad Yunus)પીએમ મોદી(PM Narendra Modi)ને ફોન કર્યો હતો. આ જાણકારી ખુદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટર કરી માહિતી આપી હતી.

Advertisement

બંને નેતાઓ વચ્ચે શું થયું?

પીએમ નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે તેમને પ્રોફેસર મુહમ્મદ યુનુસનો ફોન આવ્યો હતો. બંન્ને નેતાઓએ બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ પર વિચાર વિનિમય કર્યો. ભારતે લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા અને સુરક્ષાની ખાતરી આપી છે.

Advertisement

PM મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી બાંગ્લાદેશનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો પાડોશી દેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. લાલ કિલ્લાની પ્રાચી પરથી તેમના સંબોધનમાં, તેમણે કહ્યું કે ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે અને તેની વિકાસ યાત્રામાં બાંગ્લાદેશનું શુભચિંતક રહેશે.

યુનુસ અગાઉ સંદેશો આપી ચૂક્યા છે

મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારને ઉથલાવી દીધા બાદ અને શેખ હસીનાની ભારત મુલાકાત બાદ 8 ઓગસ્ટે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા હતા. યુનુસે ચાર્જ સંભાળ્યા બાદ પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી.

Advertisement

Tags :
Advertisement

.