Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi: વડાપ્રધાન મોદીએ ફુલહારના સ્વાગતમાં નીતિશકુમારને પણ જોડ્યા, જુઓ આ વીડિયો

PM Modi: PM નરેન્દ્ર મોદીએ બિહારમાં 21 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. અહીં પ્રધાનમંત્રીનું ફુલહારથી સ્વાગત કરવામાં આવતું હતું ત્યારે પ્રધાનમંત્રીએ નીતિશકુમાનને પણ સાથે જોડી લીધા હતા. નીતિશકુમાન ના પાડી રહ્યા હતા છતાં પણ પ્રધાનમંત્રીએ તેમને...
05:15 PM Mar 02, 2024 IST | VIMAL PRAJAPATI
Prime Minister Modi also joined Nitish Kumar in welcoming Fulhar

PM Modi: PM નરેન્દ્ર મોદીએ બિહારમાં 21 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. અહીં પ્રધાનમંત્રીનું ફુલહારથી સ્વાગત કરવામાં આવતું હતું ત્યારે પ્રધાનમંત્રીએ નીતિશકુમાનને પણ સાથે જોડી લીધા હતા. નીતિશકુમાન ના પાડી રહ્યા હતા છતાં પણ પ્રધાનમંત્રીએ તેમને સાથે જોડી લીધા હતા. અહીં ઔરંગાબાદના રતનુઆ ગામમાં આયોજિત જનસભાને પણ સંબોધિત કરી. આ પહેલા જય શ્રી રામ અને મોદી મોદીના નારા વચ્ચે સીએમ નીતિશ કુમારે પણ આ જ મંચ પરથી પોતાનું સંબોધન આપ્યું હતું. આ દરમિયાન તેમણે પીએમ મોદી વિશે કહ્યું કે આ વખતે તમે 400 સીટો જીતશો. સીએમ નીતિશે પીએમ મોદીની બિહાર મુલાકાત માટે આભાર વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે તમે આવ્યા છો તે સારું લાગે છે. હું તો વચ્ચે ગાયબ થઈ ગયો હતો, હવે આવ્યો છું તો તારી સાથે જ રહીશ.

ફુલહારના સ્વાગતમાં નીતિશ કુમારને સાથે રાખ્યા

ઉલ્લેખનીય છે કે, સીએમ નીતિશે કહ્યું કે પીએમ મોદી આજે આવ્યા છે અને આશા છે કે તેઓ ભવિષ્યમાં પણ આવતા રહેશે. પીએમ મોદી અંગે નીતિશ કુમારે કહ્યું કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં 400 સીટો સાથે પીએમ બનશે. નીતિશ કુમારે કહ્યું કે, તમે બિહારમાં કામ કરતા રહેશો અને અમે તમને ક્રેડિટ આપતા રહીશું. મોદી-મોદીના નારા વચ્ચે મુખ્યમંત્રીએ કહ્યું કે તમે ફરી આવ્યા છો તે અમારા માટે ખુશીની વાત છે. અહીં આપણે પોતે ગાયબ થઈ ગયા હતા અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે હવે હટવાના નથી. અમે ફક્ત તમારી સાથે જ રહીશું.

નીતિશ કુમારે કહ્યું અમે ફક્ત તમારી સાથે જ રહીશું

સીએમ નીતિશ કુમારે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, દરેકની આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ અને દરેકે સારી રીતે પ્રગતિ કરવી જોઈએ. આજે હું ખૂબ જ ખુશ છું કે વડાપ્રધાન આવ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આદરણીય વડાપ્રધાન બિહાર આવતા જ રહેશે, તે ખુશીની વાત છે. બીજી વાત એ છે કે આ વખતે જે પણ ચૂંટણીઓ યોજાવાની છે તેમાં તમે ઓછામાં ઓછી 400 સીટો જીતશો. અમને પૂરો વિશ્વાસ છે કે અહીં અને ત્યાં બાકીના લોકો જે કંઈ પણ કરી રહ્યાં છે, કંઈ થશે નહીં.

આ પણ વાંચો:  નાગપુરમાં RSS ની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, લોસભાની ચૂંટણીને લઈને થશે ચર્ચા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bihar CM Nitish Kumarbihar news nitish kumarElection 2024general election 2024national newsnitish kumarpolitical newsPrime Minister ModiVimal Prajapati
Next Article