Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Narendra Modi ના શપથ સમારોહમાં આ વિદેશી નેતાઓને આમંત્રણ

Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી 8મી જૂને રાત્રે 8 વાગ્યે શપથ લઈ શકે છે. આ કાર્યક્રમ માટે પડોશી દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે....
narendra modi ના શપથ સમારોહમાં આ વિદેશી નેતાઓને આમંત્રણ

Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી 8મી જૂને રાત્રે 8 વાગ્યે શપથ લઈ શકે છે. આ કાર્યક્રમ માટે પડોશી દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાન, નેપાળ અને મોરેશિયસના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

Advertisement

2014 માં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સહિત તમામ સાર્ક નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી

2019ની લોકસભા ચૂંટણી પછી, ભારતે BIMSTEC દેશોના નેતાઓને મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. BIMSTEC એક પ્રાદેશિક જૂથ છે જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. 2014 માં, જ્યારે નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ માટે શપથ લીધા, ત્યારે તત્કાલીન પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સહિત તમામ સાર્ક નેતાઓ સમારોહમાં હાજરી આપી હતી.

વડાપ્રધાન મોદીએ રાનિલ વિક્રમસિંઘેને ફોન કર્યો

વડાપ્રધાન મોદીએ રાનિલ વિક્રમસિંઘેને ફોન કરીને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ તેનો સ્વીકાર કર્યો છે. તેમની ઓફિસે આ વાતની પુષ્ટિ કરી છે.

Advertisement

પીએમ મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે પણ ફોન પર વાત કરી

પીએમ મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે પણ ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ 'વિકસિત ભારત 2047' અને 'સ્માર્ટ બાંગ્લાદેશ 2041'ના વિઝનને આગળ વધારવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. એનડીએની જીત પર પીએમ મોદીને અભિનંદન આપનાર પ્રથમ વિદેશી નેતાઓમાં શેખ હસીના પણ સામેલ છે. તેમણે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.

Advertisement

વિદેશી નેતાઓને આજે ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવશે

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. વિદેશી નેતાઓને આજે ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવશે.

મોદી 3.0 કેબિનેટમાં NDA સાથી પક્ષોને વધુ પ્રતિનિધિત્વ જોવા મળે તેવી શક્યતા

2019માં નરેન્દ્ર મોદીની સાથે 24 કેન્દ્રીય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં 24 રાજ્ય મંત્રીઓ (MOS) અને 9 MOS (સ્વતંત્ર હવાલો)ને પણ રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ વખતે મોદી 3.0 કેબિનેટમાં NDA સાથી પક્ષોને વધુ પ્રતિનિધિત્વ જોવા મળે તેવી શક્યતા છે. કારણ કે ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે. આ ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે. એનડીએમાં સમાવિષ્ટ ટીડીપીને 16 અને નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 12 બેઠકો મળી છે. આ સાથે જ ચિરાગ પાસવાનની પાર્ટીને પણ પાંચ બેઠકો મળી છે.

આ પણ વાંચો----- Astrology: જાણો… PM Modi ના ગ્રહો અને નક્ષત્રો 3 વાર વડાપ્રધાન બનવા પર શું કહે છે?

Tags :
Advertisement

.