Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

EC: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માટે જાહેર કરી એડવાઈઝરી

EC: ચૂંટણી પંચે (EC) કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં રાહુલ ગાંધીને નિવેદનો કરતી વખતે વધુ સાવધાની અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણી પંચે (EC) વડાપ્રધાન પર કરાયેલા નિવેદનો પર દિલ્હી હાઇકોર્ટના આદેશ અને...
ec  કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માટે જાહેર કરી એડવાઈઝરી

EC: ચૂંટણી પંચે (EC) કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં રાહુલ ગાંધીને નિવેદનો કરતી વખતે વધુ સાવધાની અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણી પંચે (EC) વડાપ્રધાન પર કરાયેલા નિવેદનો પર દિલ્હી હાઇકોર્ટના આદેશ અને રાહુલ ગાંધીના જવાબ સહિત તમામ તથ્યો પર વિચાર કર્યા પછી રાહુલ ગાંધીને ભવિષ્યમાં વધુ સાવધાની અને સતર્ક રહેવાની સલાહ આપી છે.

Advertisement

રાહુલ ગાંધીના જવાબ બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી

સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે આ એડવાઈઝરી રાહુલ ગાંધી દ્વારા અગાઉના પીએમ મોદી માટે 'પનોતી' અને 'પિકપોકેટર' જેવા શબ્દોના ઉપયોગને લઈને જારી કરી છે. ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી, જેની નોંધ લેતા પંચે 23 નવેમ્બર 2023ના રોજ રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. આ અંગે રાહુલ ગાંધીના જવાબ બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

તાજેતરની સલાહને યોગ્ય રીતે અનુસરવા માટે પણ કહ્યું

આ સાથે, ગયા વર્ષે ડિસેમ્બરના દિલ્હી હાઈકોર્ટના આદેશને અનુસરીને, ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારકો અને રાજકીય નેતાઓ માટે જારી કરાયેલી તાજેતરની સલાહને યોગ્ય રીતે અનુસરવા માટે પણ કહ્યું છે.

Advertisement

આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે

આ વર્ષે 1 માર્ચે જારી કરાયેલ એડવાઈઝરીમાં, ચૂંટણી પંચે ચેતવણી આપી હતી કે આદર્શ આચાર સંહિતાના કોઈપણ ઉલ્લંઘન માટે, પક્ષો, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોએ માત્ર નૈતિક નિંદાને બદલે કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. તે એમ પણ કહે છે કે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો જેમને અગાઉ નોટિસ મળી છે જો તેઓ ફરીથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Advertisement

ચૂંટણી પંચે ગયા વર્ષે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી હતી

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે ગયા વર્ષે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી હતી, જ્યારે કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન માટે 'પનોતી' અને 'પિકપોકેટર' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. 21 ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટે પંચને આ ટિપ્પણીઓ માટે રાહુલને આપવામાં આવેલી નોટિસ પર નિર્ણય લેવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો-----PM MODI AT BIHAR: વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ પરિવાર વિવાદને લઈ લાલુ યાદવને આપ્યો સચોટ જવાબ

આ પણ વાંચો---LOK SABHA ELECTION 2024 : રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી લડશે ચૂંટણી

આ પણ વાંચો---RAHUL GANDHI: રાહુલ ગાંધીનું વડાપ્રધાન પર નિશાન, કહ્યું – PM ઈચ્છે છે કે તમે ‘જ્ય શ્રીરામ બોલો ઔર ભૂખે મર જાઓ

Tags :
Advertisement

.