Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sudhanshu Trivedi: બીજેપીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુધાંશુ ત્રિવેદીએ આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

Sudhanshu Trivedi: દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અત્યારે જેલમાં છે. ત્યારે બીજેપીએ આ મામલે આમ આદમી પર પ્રહાર કર્યો છે. સોમવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi), શાઝિયા ઇલ્મી (Shazia Ilmi) અને શહજાદ પૂનાવાલા...
sudhanshu trivedi  બીજેપીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુધાંશુ ત્રિવેદીએ આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

Sudhanshu Trivedi: દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અત્યારે જેલમાં છે. ત્યારે બીજેપીએ આ મામલે આમ આદમી પર પ્રહાર કર્યો છે. સોમવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi), શાઝિયા ઇલ્મી (Shazia Ilmi) અને શહજાદ પૂનાવાલા (Shehzad Poonawa)એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન આ બીજેપીએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર વાક પ્રહાર કર્યાં હતાં. બીજેપીએ કહ્યું કે, કેજરીવાલ અત્યારે જેલમાં છે છતાં પણ સરકાર ચાલી રહીં છે. આરોપી, જેને સમગ્ર વિરોધ પક્ષ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તેણે કોર્ટની નજરમાં ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો. અને હવે તે સાવ ચૂપ થઈ ગયો છે. ન્યાયિક કસ્ટડીમાં હોવા છતાં તેણે કોઈ જવાબ આપ્યો નથી.

Advertisement

‘આપ’ નેતાઓ સામે અત્યારે કડક કાર્યવાહી

તમને જણાવી દઈએ કે, દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ પર અત્યારે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાવો કર્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ નીતિ કેસના સંબંધમાં પૂછપરછ દરમિયાન સાથી AAP નેતાઓ અને મંત્રીઓ આતિશી સિંહ અને સૌરભ ભારદ્વાજના નામ લીધા છે.આ કેસમાં તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કેજરીવાલે કહ્યું કે વિજય નાયરે તેમને જાણ કરી ન હતી, પરંતુ આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજને જાણ કરી હતી અને વિજય નાયર સાથે તેમની વાતચીત મર્યાદિત હતી.

બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીના ‘આપ’પર પ્રહાર

પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi)એ કહ્યું કે, આ ખુલાસા બાદ એ સમજવું મુશ્કેલ થઈ ગયું છે કે કોણે પાયું છે અને કોણે પીધું છે. બધાએ સાંભળ્યું છે કે દારૂ કૌભાંડ થયો તો છે, પણ તમે જેને જોશો તે નશામાં છે. એવું લાગે છે કે બધાએ તેને એકસાથે પીધું અને શેર કર્યું. સુધાંશુ ત્રિવેદીએ વધુમાં કહ્યું કે, ગઈકાલે જ ભ્રષ્ટાચારથી ઘેરાયેલા તમામ જૂથો એક સાથે આવ્યા હતા. સમગ્ર વિપક્ષ જેમને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો તે આરોપીએ જોવું જોઈએ કે કોર્ટ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ શું કહે છે. હવે સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલ કોર્ટમાં જવાનું કેમ ટાળી રહ્યા હતા. સુધાંશુએ કાવ્યાત્મક શૈલીમાં કહ્યું કે, ‘હું મારા હૃદયમાં છુપાયેલા કેટલાય રહસ્યો લઈને બેઠો છું, જો મારા હોઠ ખૂલી જાય તો કોણ જાણે કેટલાં હૃદયો ડગમગી જાય.’

Advertisement

ન્યાયિક કસ્ટડીને 15 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય

તેમણે વધુમાં કહ્યુ કે, જે લોકો પીડિત હોવાનો દેખાવો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, તેમને ખબર હોવી જોઈએ કે આજે અદાલત ઠોર સબુતોના આધારે ચુકાદો આપશે. જેના વિશે અમને કે તમારી પાસે કોઈ માહિતી નથી. આ અદાલતનો ન્યાયશાસ્ત્ર છે જેણે આ ન્યાયિક કસ્ટડીને 15 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ તથ્યના આધારે મોટો બંધારણીય અને નૈતિક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કારણ કે તેઓ પહેલા પણ મુખ્યમંત્રી રહી ચુક્યા છે જેઓ કસ્ટડી દ્વારા સત્તાનું રાજકારણ કરતા હતા અને આજ સુધી તેમણે ન્યાયિક કસ્ટડી બાદ પણ કોઈ જવાબ આપ્યો નથી.

Advertisement

વિપક્ષનો એક ભ્રષ્ટ જૂઠ્ઠાણાને બચાવવાનો પ્રયાસઃ સુધાંશુ ત્રિવેદી

બીજેપી પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સમગ્ર વિપક્ષ એક ભ્રષ્ટ જૂઠ્ઠાણાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે ભાવનાત્મક આધારનો ઉપયોગ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે આજે આપેલો નિર્ણય હકીકત પર આધારિત છે. હકીકતના આધારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તમે બધાએ જોયું કે ગઈ કાલે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોથી ઘેરાયેલા સ્વ-ઘોષિત કટ્ટર પ્રામાણિક દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ભ્રષ્ટાચારના જૂના આરોપીઓ અને જૂના ગુનાઓમાં સંડોવાયેલા રાજકીય પક્ષોએ ટેકો આપ્યો છે.

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, જ્યારે પણ કોઈની સામે આરોપ લાગતા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ રામ લીલા મેદાનમાંથી કહેતા હતા કે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. આજે તે બધા લોકો જેમની સામે અરવિંદ કેજરીવાલ બોલતા હતા તેઓ તેમના માટે એકઠા થયા હતા. જો અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે છે તો મનીષ સિસોદિયાએ શું ખોટું કર્યું?

આ પણ વાંચો: Arvind Kejriwal એ કોર્ટ રૂમમાં જતાં કહ્યું, ‘PM જે કંઈ પણ કરી રહ્યાં છે, તે દેશ માટે સારું નથી…

આ પણ વાંચો: BHAVNAGAR : રૂપાલા મામલે યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું, “વ્યક્તિના શબ્દો તેના સંસ્કાર બહાર લાવે, હું ભુલીશ નહી”

આ પણ વાંચો: Rajkot Lok Sabha : પરશોત્તમ રુપાલા જ ભાજપના ઉમેદવાર..ભાજપની મહોર

Tags :
Advertisement

.