Election 2024: ભરૂચ અને ભાવનગરની બેઠક આપને ફાળે, કોંગ્રેસના દિગ્ગજ નેતાના સંતાનોનું સપનું તૂટ્યું
Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તાડમાર તૈયારીઓ કરવામાં આવી રહીં છે. ગુજરાતમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડવાનું નક્કી કર્યુ છે. ભરૂચ બેઠક પરથી આપના ઉમેદવાર ચૈતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવાને સીટ બળતા કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના સંતાનનું સપનુ તૂટ્યું છે. ફેઝળ અને મુમતાઝ પટેલને ભરૂચથી ચૂંટણી લડવાનું સપનું હતું તે અત્યારે તૂટી ગયું છે.
ડેડીયાપાડા સિવાય આપનું ક્યાંય અસ્તિત્વ નથી: મુમતાઝ
આમ આદમી પાર્ટી કોંગ્રેસના શાસનમાં થયેસા ભ્રષ્ટાચારનો વિરોધ કરતી હતી. તો હવે ગઠબંધન કેમ કરવું પડ્યું તે સવાલ છે. સ્વ. અહેમદ પટેલના સંતાન મુમતાઝ પટેલ પણ અગાઉ કહી ચુક્યા છે કે ડેડીયાપાડા સિવાય આપનું ક્યાંય અસ્તિત્વ નથી. ફૈઝલ પટેલ પણ આપને ટિકીટ આપવાનો વિરોધ કરતા હતા.જેણે આખી જીંદગી કોંગ્રેસ પાર્ટી માટે ઘસી નાખી અને પાર્ટીની સેવા કરી તેવા સ્વ અહેમદ પટેલના સંતાનોને જ ચૂંટણી લડવાથી કોંગ્રેસ હાઇકમાન્ડ રોકી રહી છે. રાહુલ ગાંધીએ ફૈઝલ પટેલને વચન આપ્યું હતું તો એવી કેવી મજબુરી હતી કે ફૈઝલને ટિકીટ આપવામાં ના આવી?
ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત. ભરૂચ બેઠક પરથી AAPના ચૈતર વસાવા તો ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણા ચૂંટણી લડશે#AAPCongressAlliance #LokSabhapoll #LokSabhaElection2024 @INCGujarat @mumtazpatels @Chaitar_Vasava @AAPGujarat@mfaisalpatel @RahulGandhi pic.twitter.com/M4BwdOU15z
— Gujarat First (@GujaratFirst) February 24, 2024
ઉલ્લેખનીય છે કે, સ્વ. અહેમદ પટેલના સંતાનોનું સપનું તુટ્યું છે. ભરૂચ બેઠક પરથી AAP ના ચૈતર વસાવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે પ્રેસ કોન્ફરન્સમાં ભાવનગર બેઠક પર AAP ના ઉમેશ મકવાણા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો કોંગ્રેસ 24 બેઠક પર ચૂંટણી લડશે.
સ્વ.અહેમદ પટેલના સંતાનોનું સપનું તુટ્યું | Gujarat First@RahulGandhi @ahmedpatel @mumtazpatels @mfaisalpatel @INCIndia @priyankagandhi @shaktisinhgohil @Chaitar_Vasava #AAPCongressAlliance #CongressParty #LokSabhapoll #LokSabhaElection2024 #gujaratfirst pic.twitter.com/Ia0g4iNoRa
— Gujarat First (@GujaratFirst) February 24, 2024
લોકસભાની બેઠકો ફાળવવામાં આવશે તેવી આશા
આજે દિલ્હીમાં આપ અને કોંગ્રેસની સુંયક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સવારે 11:30 કલાકે આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી. આ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભાની બેઠકો ફાળવવામાં આવશે તેવી આશા છે. મળતી વિગતો પ્રમાણે આપ અને કોંગ્રેસ દિલ્હી, ગુજરાત, ગોવા, ચંડીગઢ અને હરિયાણામાં એક સાથે મળીને ચૂંટણી લડવાની તૈયારી કરે છે. તેને લઈને બન્ને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ છે અને હવે ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં પ્રસ્તાવિત છે.
આ પણ વાંચો: TMC નું સ્વતંત્ર ચૂંટણી લડવાનું એલાન, કોંગ્રેસે કહ્યું – હજી અમારા દરવાજા ખુલ્લા જ છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ