Pahalgam Terror Attack : ગુજરાત સરકારે કરી સહાયની જાહેરાત, મૃતકોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર અપાશે
Pahalgam Terror Attack : મૃત્યુ પામેલ પર્યટકો માટે ગુજરાત સરકારે (Gujarat Govt.) સહાયની જાહેરાત કરી છે. જેમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાય અપાશે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCS ની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે. કોઈપણ પાકિસ્તાનીને કોઈપણ પ્રકારના વિઝા નહીં મળે.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે થયું ફાયરિંગ. કુલગામમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન ફાયરિંગ થયું. સેનાએ આખા વિસ્તારને કોર્ડન કર્યો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાહત કમિશનર સાથેની બેઠક પૂર્ણ થઈ, ભાવનગર અને સુરતના મૃતદેહોને લાવવા બાબતે બેઠકમાં ચર્ચા થઈ. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (22 એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મૃતદેહોને હવાઇ માર્ગે શ્રીનગરથી મુંબઇ અને બાદમાં ભાવનગર લાવવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તામંત્રીએ કહ્યું કે આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે..
મૃતકના નામ
- શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા (સુરત)
- યતીશભાઈ સુધીરભાઈ પરમાર (ભાવનગર)
- સ્મિત યતીશભાઈ પરમાર (ભાવનગર)
પ્રવાસીઓની મદદ માટે જમ્મુ કાશ્મીર ટુરિઝમે ગુલમર્ગમાં કંટ્રોલ રૂમ શરુ કર્યો છે. પ્રવાસીઓ કોઈ પણ પ્રકારની મદદ માટે કચેરીએ રૂબરૂ તેમજ નીચે આપેલા હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરી શકશે.
કંટ્રોલ રૂમ નં.- 01954–294439
Pahalgam Terror Attack : ગુજરાત સરકારે કરી સહાયની જાહેરાત, મૃતકોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર અપાશે
April 23, 2025 11:45 pm
મૃત્યુ પામેલ પર્યટકો માટે ગુજરાત સરકારે (Gujarat Govt.) સહાયની જાહેરાત કરી છે. જેમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાય અપાશે.
અનંતનાગ પોલીસે આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની કરી જાહેરાત
April 23, 2025 10:43 pm
અનંતનાગ પોલીસે આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની કરી જાહેરાત
April 23, 2025 10:43 pm
અનંતનાગ પોલીસે બુધવારે (23 એપ્રિલ, 2025) આ કાયરતાપૂર્ણ હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ ઈનામ આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે. પોલીસ આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને પકડવા મદદ કરશે.
Pahalgam Terror Attack : ભારતનો જડબાતોડ જવાબ...સિંધુ જળ સંધિ રદ, કોઈપણ પાકિસ્તાનીને વિઝા નહીં મળે
April 23, 2025 9:27 pm
Pahalgam Terror Attack : ભારતનો જડબાતોડ જવાબ...સિંધુ જળ સંધિ રદ, કોઈપણ પાકિસ્તાનીને વિઝા નહીં મળે
April 23, 2025 9:16 pm
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCS ની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે. કોઈપણ પાકિસ્તાનીને કોઈપણ પ્રકારના વિઝા નહીં મળે.
Pahalgam Terror Attack : વડાપ્રધાનની અધ્યક્ષતામાં CCS ની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું, અમિત શાહ પણ જોડાયા
April 23, 2025 8:19 pm
Pahalgam Terror Attack : વડાપ્રધાનની અધ્યક્ષતામાં CCS ની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું, અમિત શાહ પણ જોડાયા
April 23, 2025 7:12 pm
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયર આતંકવાદી હુમલાનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હોવાના સ્પષ્ટ સંકેતો છે, જેના પછી ભારત તરફથી મોટી બદલો લેવાની કાર્યવાહી થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પાછા ફર્યા અને NSA અને વિદેશ મંત્રીને મળ્યા. આજે CCS ની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં કાશ્મીરથી પરત આવેલા ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે થયું ફાયરિંગ
April 23, 2025 6:26 pm
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે થયું ફાયરિંગ
April 23, 2025 6:21 pm
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે થયું ફાયરિંગ. કુલગામમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન ફાયરિંગ થયું. સેનાએ આખા વિસ્તારને કોર્ડન કર્યો.
મુખ્યમંત્રી સાથે રાહત કમિશનરની બેઠક પૂર્ણ, મૃતદેહોને લાવવા બાબતે થઈ બેઠકમાં ચર્ચા
April 23, 2025 4:54 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાહત કમિશનર સાથેની બેઠક પૂર્ણ થઈ. ભાવનગર અને સુરતના મૃતદેહોને લાવવા બાબતે બેઠકમાં ચર્ચા થઈ. પ્રવાસીઓને પર પરત લાવવા બાબતે થઈ ચર્ચા.
મુખ્યમંત્રી સાથે રાહત કમિશનરની બેઠક પૂર્ણ, મૃતદેહોને લાવવા બાબતે થઈ બેઠકમાં ચર્ચા
April 23, 2025 4:54 pm
Pahalgam Terror Attack માં વાયુસેનાના અધિકારી શહીદ થયા, IAF એ વ્યક્ત કર્યુ દુ:ખ
April 23, 2025 4:09 pm
Pahalgam Terror Attack માં વાયુસેનાના અધિકારી શહીદ થયા, IAF એ વ્યક્ત કર્યુ દુ:ખ
April 23, 2025 3:14 pm
પહલગામ હુમલામાં વાયુસેનાના અધિકારી શહીદ થયા છે. તાગે હૈલિયાંગના નિધન અંગે IAF એ વ્યક્ત કર્યુ દુ:ખ. તાગે હૈલિયાંગ અરૂણાચલ પ્રદેશના વતની હતા. હૈલિયાંગ શ્રીનગરમાં વાયુસેના બેઝ પર તૈનાત હતા. અમે પીડિત પરિવારની સાથે છીએઃ વાયુસેના
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં ફફડાટ, સમગ્ર પાકિસ્તાનમાં હાઈએલર્ટ જાહેર કરાયું
April 23, 2025 3:12 pm
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાકિસ્તાની સેનાએ LoC તરફ એલર્ટ આપ્યું છે. જવાબી કાર્યવાહીના ડરે પાકિસ્તાનમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આતંકી હુમલામાં 26 મોત, 17 લોકો ઘાયલ થયા છે
J&K આતંકી હુમલાને લઈ રાજ્યમાં હાઇએલર્ટ
April 23, 2025 2:55 pm
સોમનાથ-દ્વારકાની સુરક્ષા વધારાઈ, અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડબાય, રેલવે સ્ટેશન-એરપોર્ટ પર નજર
પહેલગામ આતંકી હુમલા અંગે મોટા સમાચાર
April 23, 2025 2:44 pm
આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ
April 23, 2025 2:35 pm

Pahalgam Terror Attack :ગભરાયેલા પ્રવાસીઓએ મોદી સાહેબને કહ્યું કે, ઘરમાં ઘૂસીને મારજો
April 23, 2025 2:34 pm
ગુજરાતના 3 લોકોના પાર્થિવ દેહ આજે વતન પરત ફરશે
April 23, 2025 2:30 pm
જમ્મુ કાશ્મીરમા આતંકી હુમલામાં ભોગ બનેલા ગુજરાતના 3 લોકોના પાર્થિવ દેહ આજે વતન પરત ફરશે. જેમાં મંત્રીઓને ભાવનગર અને સૂરત જવાની જવાબદારી આપવામાં આવી છે. તેમાં મંત્રી કુંવરજી બાવળીયા ભાવનગર તથા મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત જશે. ભાવનગરના 2 મૃતકોના પાર્થિવ દેહ આજે ભાવનગર પહોંચશે. જેમાં ભાવનગરના મૃતકોની અંતિમ ક્રિયા સુધી મંત્રી કુંવરજી બાવળીયા ભાવનગર રહેશે. તથા સુરતના પણ એક મૃતકનો પાર્થિવ દેહ સુરત પહોંચશે જેમાં મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત ખાતે અંતિમક્રિયા સુધી હાજર રહેશે.
ભૂટાનના પીએમએ કહ્યું - અમે ભારત સાથે છીએ
April 23, 2025 2:01 pm
ભૂટાનના પીએમ દાશો શેરિંગ તોબગેએ પહેલગામમાં થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું - ગઈકાલે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પીડિતો અને પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના અને પ્રાર્થના. ભૂટાન આવા ક્રૂર આતંકવાદી હુમલાઓની સખત નિંદા કરે છે અને એકતા અને મિત્રતામાં ભારત સરકાર અને લોકોની સાથે મજબૂત રીતે ઉભું છે.
આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં દેશ થયો એકજૂટ!
April 23, 2025 1:46 pm
આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં દેશ થયો એકજૂટ! જેમાં રાહુલ ગાંધીએ કહ્યું અમારો સંપૂર્ણ સહયોગ છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે રાહુલ ગાંધીએ વાત કરી છે. જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે નિર્દોષ પીડિતોને ન્યાય મળવો જોઈએ. CM અબ્દુલ્લા સાથે પણ રાહુલ ગાંધીએ વાત કરી તથા વિપક્ષી દળોના નેતાઓએ હુમલાની કરી નિંદા.
પહેલગામ આતંકી હુમલા બાદ બેઠકોનો ધમધમાટ શરૂ થયો
April 23, 2025 1:28 pm
પહેલગામ આતંકી હુમલા બાદ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથસિંહની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ છે. ત્રણેય સેના પ્રમુખો સાથે રક્ષામંત્રીએ બેઠક યોજી છે. NSA અજીત ડોભાલ પણ બેઠકમાં ઉપસ્થિત છે. 2.30 કલાક ચાલેલી બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ છે.
આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ આપી પ્રતિક્રિયા
April 23, 2025 1:27 pm
પહેલગામ આતંકી હુમલા અંગે મોટા સમાચાર
April 23, 2025 1:26 pm
Pahalgam Terror Attack: ગૃહમંત્રી અમિત શાહે હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોને ખબર-અંતર પૂછ્યા
April 23, 2025 1:26 pm
કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાથી દેશમાં આક્રોશ
April 23, 2025 12:45 pm
કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાથી દેશમાં આક્રોશ છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમાં નીતિનભાઈએ જણાવ્યું છે કે પ્રવાસીઓનું નામ અને ધર્મ પૂછી હત્યા કરી છે. પાકિસ્તાનના આતંકીઓએ હિન્દુઓને માર્યા છે. પાકિસ્તાન ભારતમાં શાંતિ સ્થાપવા દેવા નથી માગતું. કાશ્મીર સળગતું રહે તે પાકિસ્તાનની મેલી મુરાદ છે. કાશ્મીરમાં પ્રવાસ બંધ થાય તે વૃત્તિથી હુમલો કર્યો છે. આતંકી હુમલામાં ગુજરાતના પણ ત્રણ નાગરિકના મોત થયા છે. દેશ ઈચ્છે છે કે આતંકીઓને કડક જવાબ મળે. સરકાર ઝડપથી કાર્યવાહી કરે તેવી લોકોને આશા છે.
પહેલગામ હુમલાના આતંકીઓ
April 23, 2025 12:44 pm

પહેલગામ હુમલાના આતંકીઓ
Pahalgam Terror Attack: આતંકી હુમલા અંગે બોલ્યા ગૃહમંત્રી Amit Shah
April 23, 2025 12:02 pm
Pahalgam Terror Attack : જોઈ લો આ છે હિન્દૂ ટાર્ગેટ કિલિંગ કરવા વાળા આતંકીઓ
April 23, 2025 11:44 am
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ ફ્લાઈટથી લવાશે
April 23, 2025 11:12 am
પહેલગામમાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા છે. જેમાં બપોરે 3 વાગ્યે ફ્લાઈટ મારફતે મૃતદેહ રવાના થશે. તથા ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ ફ્લાઈટથી લવાશે. ફ્લાઈટમાં અન્ય 17 ગુજરાતીઓને પરત લવાશે વાયા મુંબઈ થઈને અમદાવાદ ફ્લાઈટ પહોંચશે. અન્ય એક મૃતક શૈલેષભાઈના મૃતદેહને લાવવામાં વિલંબ થઇ રહ્યો છે. અન્ય ફ્લાઈટથી શૈલેષભાઈને મૃતદેહ લવાશે.
ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું
April 23, 2025 10:48 am
ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર, તેમનાં પત્ની કાજલબેન યતીશભાઇ અને પુત્ર સ્મિત યતીશભાઈ ગઇકાલથી ગુમ હતાં. જેમાં કાજલબેન સહીસલામત મળી આવ્યાં છે. જોકે, દુર્ભાગ્યવશ યતીશભાઇ અને પુત્ર સ્મિતનું હુમલામાં મોત થયું હોવાની સુરક્ષાદળો દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે.
Pahalgam Terror Attack મુદ્દે બોલ્યા Harsh Sanghavi, જુઓ શું કહ્યું?
April 23, 2025 10:47 am
Pahalgam Terror Attack: જમ્મુમાં લાગ્યા પાકિસ્તાન હાય-હાયના નારા લાગ્યા
April 23, 2025 10:42 am
Srinagar: ગૃહમંત્રી અમિતભાઈ શાહે આતંકી હુમલાના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
April 23, 2025 10:06 am
પુણેના 67 પ્રવાસીઓ પુલગાંવમાં ફસાયા, મહારાષ્ટ્ર સરકારને પરત ફરવા માટે અપીલ
April 23, 2025 9:29 am
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, પુણે જિલ્લાના ઉરુલી કંચન વિસ્તારના 67 પ્રવાસીઓ, જેઓ જમ્મુ અને કાશ્મીરની યાત્રા પર ગયા હતા, તેઓ પુલગાંવમાં ફસાયેલા છે. આમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. પ્રવાસીઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને સુરક્ષિત પરત ફરવા માટે અપીલ કરી છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સતત સર્ચ ઓપરેશન
April 23, 2025 9:22 am
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રવાસીઓ પર ગોળીબાર કર્યા પછી ભાગી ગયેલા આતંકવાદીઓની શોધ ચાલુ છે.
પહેલગામ હુમલા વચ્ચે LoC પર અવળચંડાઈ
April 23, 2025 8:41 am
પહેલગામ હુમલા વચ્ચે LoC પર અવળચંડાઈ થઇ છે. જેમાં બારામૂલામાં ઘૂસણખોરી કરતાં બે આતંકીઓ ઠાર કરાયા છે. LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષાદળોએ ઘૂસણખોરીનો પ્રયાસને નિષ્ફળ કરી સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળો હાઈ એલર્ટ પર છે.
આતંકવાદીની પ્રથમ તસવીર આવી સામે
April 23, 2025 8:34 am

Pahalgam Attack: IPL ટીમ દિલ્હી કેપિટલ્સે પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું, શેર કરી હૃદયસ્પર્શી પોસ્ટ
April 23, 2025 8:08 am
Pahalgam Attack: IPL ટીમ દિલ્હી કેપિટલ્સે પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું, શેર કરી હૃદયસ્પર્શી પોસ્ટ
Pahalgam terror attack: સૌથી મોટો આતંકી હુમલો 1-2 નહીં 25-25ના મોત? Jammu And Kashmir Updates
April 23, 2025 8:06 am
Pahalgam terror attack: સૌથી મોટો આતંકી હુમલો 1-2 નહીં 25-25ના મોત? Jammu And Kashmir Updates
Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલાનો LIVE વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે
April 23, 2025 7:55 am
Pahalgam Terror Attack : પહેલગામમાં આતંકી હુમલાનો LIVE વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે
Pahalgam Terror Attack : આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત
April 23, 2025 7:55 am
પહલગામ આતંકી હુમલા મુદ્દે સૌથી મોટા સમાચાર
April 23, 2025 7:46 am
- આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત - ભાવનગરના પિતા-પુત્રનું આતંકી હુમલામાં મોત થયું - યતેશ પરમાર, સુમિત પરમારનું પહલગામ હુમલામાં મોત - સુરતના શૈલેષ કલઠિયાનું પણ આતંકી હુમલામાં મોત - બે ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાઉદી અરેબિયા મુલાકાત ટૂંકાવીને દિલ્હી પહોંચ્યા
April 23, 2025 7:44 am
કાશ્મીરમાં #પહલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાઉદી અરેબિયા મુલાકાત ટૂંકાવીને દિલ્હી પહોંચ્યા
April 23, 2025 7:43 am
કાશ્મીરમાં #પહલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાઉદી અરેબિયા મુલાકાત ટૂંકાવીને દિલ્હી પહોંચ્યા.
હુમલાના એક દિવસ પછી, પહેલગામમાં સન્નાટો
April 23, 2025 6:50 am
હુમલાના એક દિવસ પછી, પહેલગામમાં સન્નાટો
આતંકવાદીઓએ કેવી રીતે હુમલો કર્યો?
April 23, 2025 6:48 am
બપોરે લગભગ 2:30 વાગ્યે, લશ્કરી ગણવેશ પહેરેલા 2-3 બંદૂકધારીઓ બૈસરન ખીણમાં ઘૂસી ગયા અને ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. હુમલો અચાનક થયો ત્યારે કોઈને સમજાયું નહીં. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા, અને ઘણા ઘોડાઓ પણ ઘાયલ થયા હતા. પ્રવાસીઓને નિશાન બનાવનારા કેટલાક આતંકવાદીઓ સેનાના ગણવેશમાં હતા. આ કારણે, સ્થાનિક લોકો સાથે પ્રવાસીઓ પણ અનુમાન કરી શક્યા નહીં કે તેઓ આતંકવાદી હતા.
એર ઇન્ડિયાએ 2 વધારાની ફ્લાઇટ્સની જાહેરાત કરી
April 23, 2025 6:47 am
એર ઇન્ડિયાએ આજે (બુધવાર) શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટ્સની જાહેરાત કરી છે. શ્રીનગરથી મુંબઈની ફ્લાઇટ બપોરે 12 વાગ્યે છે અને શ્રીનગરથી દિલ્હીની ફ્લાઇટ સવારે 11.30 વાગ્યે છે. અન્ય ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સમય મુજબ કાર્યરત રહેશે.
મહેબૂબા મુફ્તીએ શું કહ્યું?
April 23, 2025 6:45 am
પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ એક ટ્વિટમાં લોકોને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બુધવારે ચેમ્બર અને બાર એસોસિએશન જમ્મુ દ્વારા બોલાવવામાં આવેલા સંપૂર્ણ બંધને સમર્થન આપવા અપીલ કરી છે. આ હુમલો કેટલાક લોકો સામે નથી. તેના બદલે, તે આપણા બધા પર હુમલો છે.
પીએમ મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે વાતચીત
April 23, 2025 6:43 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ. મળતી માહિતી મુજબ, આ વાતચીતનો વિષય પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો હતો. આ ઘટના અંગે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.
પહલગામમાં આતંકી હુમલો પહેલા નામ પૂછ્યું પછી મારી ગોળી મહિલાનો વીડિયો વાઇરલ
April 23, 2025 6:42 am
મહિલાએ કહ્યું... પહેલા નામ પૂછ્યું પછી પતિને માથા પર ગોળી મારી જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો પહેલા નામ પૂછ્યું પછી મારી ગોળી મહિલાનો વીડિયો વાઇરલ પ્રવાસીઓને મુસ્લિમ ન હોવાથી મારી નાખ્યા
આતંકીઓએ ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારી!
April 23, 2025 6:40 am
પહેલગામમાં આતંકી હુમલો!
“હિન્દુ છોને? મારી દો ગોળી”
આતંકીઓએ ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારી!
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
April 23, 2025 6:40 am
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને કહ્યું કે આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે છીએ. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરી
April 23, 2025 6:38 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેઓ આ હુમલાની નિંદા કરે છે. તેમણે લખ્યું કે, આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ દ્રઢ છે.