Pahalgam Terror Attack: વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને રક્ષા મંત્રી રાજનાથ સિંહની મહત્વની બેઠક
Pahelgam Terrorist attack: વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથસિંહ . વડાપ્રધાન નિવાસસ્થાને રક્ષા મંત્રી કરશે મોટી બેઠક. આ પહેલા CDS સાથે રક્ષા મંત્રીએ કરી હતી મોટી બેઠક. ભારત-પાકિસ્તાનની સ્થિતિને લઈને થઈ મહત્વપૂર્ણ ચર્ચા થશે.
(Gujarat First ની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)
Pahalgam Terror Attack: વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને રક્ષા મંત્રી રાજનાથ સિંહની મહત્વની બેઠક
April 27, 2025 8:41 pm
વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથસિંહ . વડાપ્રધાન નિવાસસ્થાને રક્ષા મંત્રી કરશે મોટી બેઠક. આ પહેલા CDS સાથે રક્ષા મંત્રીએ કરી હતી મોટી બેઠક. ભારત-પાકિસ્તાનની સ્થિતિને લઈને થઈ મહત્વપૂર્ણ ચર્ચા થશે.
-વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથસિંહ
— Gujarat First (@GujaratFirst) April 27, 2025
-વડાપ્રધાન નિવાસસ્થાને રક્ષા મંત્રીની મોટી બેઠક
-આ પહેલા CDS સાથે રક્ષા મંત્રીની હતી મોટી બેઠક
-ભારત-પાકિસ્તાનની સ્થિતિને લઈને થઈ મહત્વપૂર્ણ ચર્ચા
-વડાપ્રધાન નિવાસસ્થાને રક્ષા મંત્રીની મહત્વની બેઠક@PMOIndia @rajnathsingh… pic.twitter.com/4a20NBZurs
Pahalgam Terror Attack: અમને ગોળી મારી દો પણ અમારે પાકિસ્તાન નથી જવું, પાકિસ્તાન પરિવારની વ્યથા
April 27, 2025 8:09 pm
દેશમાં ગેરકાયદેસર રહેતા ઘુસણખોરો વિરુદ્ધ કાયદેસરની હકાલપટ્ટી હાથ ધરાઈ રહી છે. કેટલાક પાકિસ્તાની પરિવારે ગોળી ખાવાની તૈયારી દર્શાવી પરંતુ પાકિસ્તાન જવાની ના પાડી છે.
ગેરકાયદેસર રહેનરાઓને દેશની બહાર કાઢવાની તૈયારીઓ શરૂ...| Gujarat First @sanghaviharsh #Gujarat #Surat #harshsanghavi #illegalbangladeshi #gujaratfirst pic.twitter.com/avzfBxvNFR
— Gujarat First (@GujaratFirst) April 27, 2025
Pahalgam Terror Attack: વાગી ગયું યુદ્ધનું બ્યૂગલ! પાકિસ્તાનમાં દોડધામ ! Surgical Strike 3
April 27, 2025 5:30 pm
દિલ્હીમાં રક્ષા મંત્રીના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ રહી છે. CDS જનરલ અનિલ ચૌહાણ રક્ષામંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહ અને CDS અનિલ ચૌહાણની બેઠક બેઠકમાં અત્યંત મહત્વના મુદ્દા પર નિર્ણય લેવાશે.
દિલ્હીમાં રક્ષા મંત્રીના નિવાસસ્થાને મહત્વની બેઠક
— Gujarat First (@GujaratFirst) April 27, 2025
CDS જનરલ અનિલ ચૌહાણ રક્ષામંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા
રક્ષામંત્રી રાજનાથસિંહ અને CDS અનિલ ચૌહાણની બેઠક
બેઠકમાં અત્યંત મહત્વના મુદ્દા પર લેવાશે નિર્ણય
( ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલન દેશ અને સેનાની… pic.twitter.com/fT4ufRkKQ7
Pahelgam Terrorist attack: કેલિફોર્નિયામાં ભારતીયોને પાઠવી શ્રદ્ધાંજલિ
April 27, 2025 4:47 pm
USAમાં ભારતીયો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ભારતીયોએ વિરોધ પ્રદર્શન કરીને આતંકી હુમલામાં 26 પર્યટકોના મૃત્યુ અંગે રોષ વ્યક્ત કર્યો છે. ભારતીયોએ પ્રાથના કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પહલગામ હુમલા અંગે USAમાં ભારતીયોનું વિરોધ પ્રદર્શન
— Gujarat First (@GujaratFirst) April 27, 2025
કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ભારતીયોએ વિરોધ પ્રદર્શન કર્યું
આતંકી હુમલામાં 26 પર્યટકોના મૃત્યુ અંગે રોષ વ્યક્ત કર્યો
ભારતીયોએ પ્રાથના કરી મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ
( ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલન દેશ અને… pic.twitter.com/5WuY2sP6FE
‘યુદ્ધ માટે તૈયાર રહે ભારત’; વધુ એક પાકિસ્તાની મંત્રીએ આપી પરમાણુ હુમલાની ધમકી
April 27, 2025 2:58 pm
પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. રાવલપિંડીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મંત્રી અબ્બાસીએ ભારતને ધમકી આપી હતી કે જો ભારત પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરશે તો ભારત યુદ્ધ માટે તૈયાર રહે. ભારતની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન ચૂપ નહીં રહે.
પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી
— Hardik Shah (@Hardik04Shah) April 27, 2025
જો પાણી બંધ કરવામાં આવે તો ભારતે યુદ્ધ માટે તૈયાર રહેવુ પડશે- હનીફ અબ્બાસી
ભારતની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે- હનીફ#HanifAbbasi #IndiaPakistan #IndianDefense #IndusWaterTreaty pic.twitter.com/nfjlNj8Ews
કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર દેખાવો યથાવત
April 27, 2025 1:52 pm
પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલાનો ઉગ્ર વિરોધ કાશ્મીરમાં ઠેર ઠેર થઈ રહ્યો છે. સ્થાનિક કાશ્મીરીઓ જ આતંકવાદીઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એકત્ર થયેલા પ્રદર્શનકારીઓએ હિન્દુસ્તાન ઝીંદાબાદ (Hindustan Zindabad) અને પાકિસ્તાન મુર્દાબાદ (Pakistan Murdabad) ના નારા લગાવ્યા છે. Gujarat First ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr.vivekkumar Bhatt) ગ્રાઉન્ડ ઝીરો પરથી Exclusive Reporting કરી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે, કલાકો બાદ પણ કાશ્મીર ઘાટીમાં ઉગ્ર વિરોધ યથાવત છે.
કાશ્મીર ઘાટીમાં આતંકને જડબાતોડ જવાબ
— Gujarat First (@GujaratFirst) April 27, 2025
પહલગામ હુમલાના વિરોધમાં કાશ્મીરમાં ઉગ્ર વિરોધ
કાશ્મીરીઓ આતંકવાદના વિરોધમાં ઉતર્યા રસ્તા પર
આતંકીઓને નેસ્તનાબુદ કરવાની માગ સાથે વિરોધ
કલાકો બાદ પણ કાશ્મીર ઘાટીમાં ઉગ્ર વિરોધ યથાવત
ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું કાશ્મીરમાં ગ્રાઉન્ડ ઝીરો પર
ગુજરાતી… pic.twitter.com/1PZMJxvrhe
પાકિસ્તાનમાં ઇમરજન્સી જેવી સ્થિતી, કરાચીમાં કલમ 144 લાગુ
April 27, 2025 1:43 pm
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન રીતસરનું ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનમાં ઇમરજન્સી જેવી સ્થિતી સર્જાઇ હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યું છે. આ વચ્ચે પાકિસ્તાન દ્વારા તેના સૌથી મોટા શહેર કરાચીમાં 144 કલમ લાગી કરી દીધી (RULE 144 IMPOSED IN KARACHI) છે. બીજી તરફ ઇસ્લામાબાદમાં ઉચ્ચસ્તરીય બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો છે. ભારતની મોટી કાર્યવાહીથી બચવના પ્રયાસો હેઠળ ફફડી ઉઠેલા પાકિસ્તાન દ્વારા ઉપરા-છાપરી નિર્ણયો લેવામાં આવતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ભારતીય નૌકાદળની અરબી સમુદ્રમાં હલચલ, દુશ્મનને બતાવી એન્ટી-શિપ મિસાઇલની શક્તિ
April 27, 2025 1:05 pm
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવીને હલચલ મચાવી દીધી. નૌકાદળે સમુદ્રની વચ્ચે દુશ્મનને તેની એન્ટી-શિપ મિસાઇલની શક્તિનું પ્રદર્શન કર્યું. અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોએ તાજેતરમાં અનેક એન્ટી-શિપ મિસાઇલ ફાયરિંગ કર્યા છે. નૌકાદળે આજે દુનિયાને આની ઝલક બતાવી.
#WATCH | Indian Navy warships deployed in the Arabian Sea carried out multiple anti-ship missile firings recently
— ANI (@ANI) April 27, 2025
(Video source: Indian Navy officials) pic.twitter.com/sPtqALtuqp
કાશ્મીર ઘાટીમાં આતંકને જડબાતોડ જવાબ
April 27, 2025 12:43 pm
કાશ્મીર ઘાટીમાં પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં સ્થાનિક કાશ્મીરીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા, આતંકીઓને નેસ્તનાબૂદ કરવાની માગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનો યથાવત રહ્યા. આ ઘટનાના ગ્રાઉન્ડ ઝીરો પર ગુજરાતી મીડિયામાંથી એકમાત્ર ગુજરાત ફર્સ્ટની ટીમે મેરેથોન કવરેજ કર્યું, જવાબદારીપૂર્વક ઘટનાની પળે પળની અપડેટ્સ આપી.
પહેલગામ હુમલાને લઈને Shahid Afridi નું વિવાદાસ્પદ નિવેદન
April 27, 2025 12:29 pm
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પહેલગામ હુમલા અંગે ભારતની ટીકા કરીને વિવાદ ઉભો કર્યો છે. આફ્રિદીએ એક નિવેદનમાં કહ્યું, “આ દુઃખદ છે કે ભારતે ફરી એકવાર કોઈ નક્કર પુરાવા વિના પાકિસ્તાન પર આરોપો મૂક્યા છે. આવા દોષારોપણથી માત્ર તણાવ વધે છે અને પ્રદેશમાં અશાંતિ ફેલાય છે.” તેમણે ઉમેર્યું કે ભારતે આરોપ-પ્રત્યારોપની રમત બંધ કરીને વાતચીત દ્વારા સમસ્યાઓનું સમાધાન શોધવું જોઈએ. આફ્રિદીએ ક્રિકેટને રાજકારણથી દૂર રાખવાની હિમાયત કરી અને કહ્યું, “હિંસા અને આરોપો પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે. ક્રિકેટને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રાખવું જોઈએ, અને વાતચીત એ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.” આ નિવેદનથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં રોષ ફેલાયો છે, કારણ કે આફ્રિદીએ હુમલાની નિંદા કરવાને બદલે ભારતની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.
#ShahidAfridi On #PahalgamTerrorAttack :
— Gujarat First (@first_gujarat) April 27, 2025
- Shahid Afridi's controversial statement regarding Pahalgam attack
- Shahid Afridi demands evidence on Pahalgam attack#PahalgamTerroristAttack #pahalgamattack pic.twitter.com/i5SP6iAcuR
Vadodara એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનઅધિકૃત બાંગ્લાદેશી મળી આવ્યા
April 27, 2025 12:26 pm
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ખાસ કરીને બિનઅધિકૃત રીતે રહેતા લોકો સામે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ શહેર-જિલ્લાઓમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કામે લાગી છે (SOG POLICE ACTION) . મોટા ભાગના બિનઅધિકૃત રહેતા વ્યક્તિઓની ખરાઈ કરીને તેમને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. આ વચ્ચે 26, એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ (VADODARA RAILWAY PLATFORM) નંબર - 1 માં આવી પહોંચી હતી. જેમાં ચેકીંગ કરતા પાંચ બાંગ્લાદેશી ઝડપાયા હતા. જેમાં બે બાળકો, બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
આતંકવાદ સામેની આ લડાઈમાં દેશવાસીઓની એકતા સૌથી મહત્વપૂર્ણ, મન કી બાતમાં PM એ કહ્યું
April 27, 2025 11:57 am
જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) મન કી બાતના (MANN KI BAAT) 121 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. તેમાં સંબોધનની શરૂઆતમાં આતંકવાદ વિરુદ્ધના સંદેશાથી કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી. ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી હતી. વિકાસ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું. તેવામાં કાશ્મીરના દુશ્મનોએ ફરીથી હુમલો કરીને તેને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, કે આતંકવાદ સામેની આ લડાઈમાં દેશવાસીઓની એકતા સૌથી મહત્વપૂર્ણ છે. આતંકવાદ સામેની આ લડાઈમાં આખી દુનિયા 140 કરોડ દેશવાસીઓની સાથે છે.
मन की बात के 121वें एपिसोड में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "वैश्विक नेताओं ने मुझे फोन किया, पत्र लिखे, संदेश भेजे। सभी ने इस जघन्य आतंकवादी हमले की कड़ी निंदा की है... आतंकवाद के खिलाफ हमारी लड़ाई में पूरा विश्व 1.4 बिलियन भारतीयों के साथ खड़ा है। एक बार फिर, मैं पीड़ित… pic.twitter.com/3I4c9mwmFC
— ANI_HindiNews (@AHindinews) April 27, 2025
ઝારખંડના મંત્રી ઇરફાન અંસારીની મોટી જાહેરાત, પહેલગામ હુમલાના પીડિતોના પરિવારોને મદદ કરીશું
April 27, 2025 11:50 am
પહેલગામ હુમલાને લઈને દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. દરેકના હોઠ પર એક પ્રશ્ન છે કે ભારત આનો બદલો ક્યારે લેશે? આ દરમિયાન ઝારખંડ સરકારના મંત્રી ઇરફાન અંસારીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે પહેલગામ હુમલાના પીડિતોના પરિવારોને પોતાનો 4 મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી.
पहलगाम के शहीदों को विनम्र श्रद्धांजलि💐
— Dr. Irfan Ansari (@IrfanAnsariMLA) April 27, 2025
जम्मू कश्मीर के पहलगाम में आतंकवादियों द्वारा पर्यटकों पर किया गया हमला न केवल मानवता पर हमला है बल्कि उन्होंने भारत की आत्मा और प्रत्येक भारतवासी पर हमला किया है। इस घटना ने मुझे काफी अंदर तक झकझोर दिया है।
मैंने फैसला लिया है कि शहीद… pic.twitter.com/XmpZc0BxuZ
ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા તાપી પોલીસનું સર્ચ ઓપરેશન
April 27, 2025 11:21 am
ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા તાપી પોલીસ દ્વારા મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિતના સ્ટાફ દ્વારા સોનગઢ નગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સોનગઢના અમન પાર્ક, ઇસ્લામપુરા, અલીફ નગર, સોનગઢ આવાસ, મુસ્લિમ ફળિયુ સહીત મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પોલીસ દ્વારા આધાર પુરાવાઓ ચેક કરવામાં આવ્યા.
પાકિસ્તાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નજમ સેઠીએ ભારત પર પરમાણુ બોમ્બ ફેંકવાની ધમકી આપી
April 27, 2025 10:59 am
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ પાડોશી દેશમાં ગભરાટનો માહોલ છે. આ પછી, દેશની સરકારે પાકિસ્તાન સામે ઝડપી કાર્યવાહી કરી, જેની અસર હવે દેખાઈ રહી છે. પડોશી દેશના નેતાઓ ખૂબ જ નર્વસ લાગે છે. આ જ કારણ છે કે તે આજકાલ બકવાસ કરી રહ્યા છે. પંજાબ પ્રાંતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નજમ સેઠીએ પાકિસ્તાન ભારત પર પરમાણુ બોમ્બ ફેંકી શકે છે તેવી ધમકી આપી છે. નજમ સેઠીએ કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થોડા દિવસો સુધી ચાલે તો ભારત પાકિસ્તાન પર હાવી થઈ શકશે નહીં, પરંતુ જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો પાકિસ્તાન ભારત સામે ટકી શકશે નહીં. તો આવી સ્થિતિમાં પાકિસ્તાન પરમાણુ બોમ્બ ફેંકી શકે છે. તેમણે કહયું, ભારત તો આમ પણ ડરેલુ છે. તે જાણે છે કે આ તો પાગલ છે. કદાચ કંઈક કરશે. આપણે યુદ્ધથી ડરતા નથી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો યથાવત, આતંકીઓ સામે સુરક્ષા દળોની કડક કાર્યવાહી
April 27, 2025 10:05 am
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે સુરક્ષા દળોની કડક કાર્યવાહી યથાવત ચાલુ છે, જેના ભાગરૂપે શોપિયામાં જૈનાપોરા વિસ્તારમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના સક્રિય આતંકી અદનાન શફીનું બે માળનું ઘર સેનાએ લોન્ચરનો ઉપયોગ કરી ધ્વસ્ત કરી દીધું. અદનાન એક વર્ષ પહેલાં LeTમાં સામેલ થયો હતો અને આતંકી ગતિવિધિઓમાં સક્રિય હતો. શોપિયામાં સુરક્ષા દળોનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ ઘટનાને કવર કરવા ગુજરાતી મીડિયામાંથી એકમાત્ર ગુજરાત ફર્સ્ટ કાશ્મીર પહોંચ્યું છે, જે સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અને માહિતી તથા પ્રસારણ મંત્રાલય (MIB) તેમજ સરકારી ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પાલન કરીને જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરી રહ્યું છે.
- જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો યથાવત
— Gujarat First (@GujaratFirst) April 27, 2025
- આતંકીઓ સામે સુરક્ષા દળોની કડક કાર્યવાહી
- શોપિયામાં વધુ એક આતંકીનું ઘર ધ્વસ્ત કરાયું
- જૈનાપોરામાં આતંકી અદનાનનું ઘર તોડી પડાયું
- અદનાન શફીનું 2 માળનું ઘર સેનાએ લોન્ચરથી ઉડાવ્યું
( ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલન… pic.twitter.com/NBNWAh741L
પાકિસ્તાની નાગરિકોએ આજે ભારત છોડવું પડશે
April 27, 2025 9:53 am
ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો, જેના કારણે આજે અટારી બોર્ડર પર પાકિસ્તાની નાગરિકોની લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. ભારતે પાકિસ્તાની નાગરિકો માટેના શોર્ટ ટર્મ વિઝા રદ કરી દીધા છે, જ્યારે મેડિકલ વિઝા 29 એપ્રિલ, 2025 સુધી જ માન્ય રહેશે, ત્યારબાદ તે પણ રદ થઈ જશે. આ નિર્ણયને કારણે પાકિસ્તાની નાગરિકોમાં ઉતાવળ જોવા મળી રહી છે, અને બોર્ડર પર વ્યવસ્થા જાળવવા સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકીનું ફાયરિંગ, સામાજિક કાર્યકર્તાની હત્યા
April 27, 2025 9:49 am
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આતંકીઓએ ફરી એકવાર હિંસક કાર્યવાહી કરી, જેમાં 45 વર્ષીય સામાજિક કાર્યકર્તા ગુલામ રસૂલ માગરેની હત્યા કરવામાં આવી. આતંકીઓએ કંડી ખાસ વિસ્તારમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો, જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા ગુલામ રસૂલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. આ ઘટના બાદ સુરક્ષા દળોએ આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં શોધખોળ શરૂ કરી છે, જે હજુ પણ ચાલુ છે.
વિનય નરવાલના પરિવારને CM નાયબ સિંહ સૈનીએ 50 લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપવાની જાહેરાત કરી
April 27, 2025 9:47 am
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા કરનાલ નિવાસી લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને સીએમ નાયબ સિંહ સૈનીએ 50 લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપવાની જાહેરાત કરી.મુખ્યમંત્રીએ કહ્યું કે લેફ્ટનન્ટ વિનય નરવાલના માતા-પિતાની ઇચ્છા મુજબ પરિવારના કોઈપણ સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો યથાવત
April 27, 2025 9:36 am
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે, જેના ભાગરૂપે ત્રાલના ખાસીપોરામાં સક્રિય આતંકી અમીર નઝીર વાનીનું ઘર તોડી પાડવામાં આવ્યું. આ કાર્યવાહીમાં IED બ્લાસ્ટનો ઉપયોગ કરીને આતંકીનું મકાન ઉડાવી દેવાયું.
- જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો યથાવત
— Gujarat First (@GujaratFirst) April 27, 2025
- વધુ એક આતંકીનું ઘર તોડી પાડવામાં આવ્યું
- ત્રાલના ખાસીપોરામાં આતંકીનું ઘર ઉડાવાયું
- IED બ્લાસ્ટથી આંતકીનું ઘર ઉડાવી દેવાયું
- આતંકી અમીર નઝીર વાનીનું મકાન તોડાયું
- સક્રિય આતંકી અમીર નઝીર વાનીનું ઘર ઉડાવાયું@vishvek11 @adgpi… pic.twitter.com/pmJWDjt4Cc
NIA પહેલગામ આતંકી હુમલાની તપાસ હાથ ધરશે
April 27, 2025 9:32 am
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પહેલગામ આતંકી હુમલાની તપાસ હાથ ધરશે, જેનું આધિકારિક નોટિફિકેશન કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યું છે. NIAની ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ફોરેન્સિક ટીમ દ્વારા મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા. આ હુમલાની તપાસ હવે સ્થાનિક પોલીસ પાસેથી NIA સંપૂર્ણપણે લઈ લેશે, જેથી ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય.
મુઝફ્ફરાબાદમાં અચાનક કટોકટી જાહેર, પાકિસ્તાની મીડિયાનો ભારત પર આરોપ
April 27, 2025 9:29 am
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. ભારત દ્વારા નદીના પાણીનો પ્રવાહ રોકવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે પાકિસ્તાની મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતે અચાનક ઝેલમ નદીમાં પાણી છોડી દીધું. ભારતે પીઓકેમાં ઝેલમ નદીનું પાણી ભર્યા બાદ પાકિસ્તાને મુઝફ્ફરાબાદમાં કટોકટી જાહેર કરી છે. રિપોર્ટમાં ભારત પર પાકિસ્તાની અધિકારીઓને જાણ કર્યા વિના અચાનક ઝેલમ નદીમાં પાણી છોડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
Pakistan એ ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
April 27, 2025 9:21 am
6-27 એપ્રિલ 2025ની રાત્રે, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર તુટમારી ગલી અને રામપુર સેક્ટરની સામે સ્થિત ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ પણ આ ગોળીબારનો જવાબ આપ્યો છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પહેલગામ હુમલા પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
April 27, 2025 8:34 am
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, "સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે આપણા ઘરમાં ચોકીદાર રાખેલો છે અને ઘરમાં કોઈ ઘટના બની જાય છે, તો આપણે પહેલા કોને પકડવો જોઈએ? સૌ પ્રથમ આપણે ચોકીદારને પકડીશું અને પુછીશું કે, તમે ક્યાં હતા? આવી ઘટના કેમ બની? પરંતુ અહીં આવું કંઈ જ થઈ રહ્યું નથી." સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આગળ કહ્યું, "તેઓ કહે છે કે અમે ચોકીદાર છીએ, પણ જો તમે ચોકીદારી કરી હોત તો તેમના પર હુમલો થયો ન હોત અને તેમની હત્યા ન થઈ હોત." સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પૂછ્યું, "કોઈએ તેમની (આતંકવાદીઓ) સાથે લડાઈ કરી નથી, કોઈએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો નથી. તેઓ આવ્યા, ગુનો કર્યો અને આરામથી ચાલ્યા ગયા. તેમને ક્યાંય કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે ચોકીદાર ક્યાં છે?" તેમણે વધુમાં કહ્યું, "ચોકીદાર વિશે કોઈ ચર્ચા નથી. તેઓ કહી રહ્યા છે કે અમે તેમને (Pakistan) પાઠ ભણાવીશું પણ તમને આટલી ઝડપથી કેવી રીતે ખબર પડી કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા કે નહીં? ઘટના પહેલા આ વાત કેમ ખબર ન પડી? જો આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરો."
આજે યુપીના બાગપતમાં વિરોધ પ્રદર્શન
April 27, 2025 8:04 am
ઉત્તર પ્રદેશના બાગપતમાં પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં આજે બંધ રહેશે. બરૌત-ખેખરા-બાગપત-અગ્રવાલ મંડી ટેટીરીના બજારો બંધ રહેશે. વેપારીઓએ તમામ સમુદાયના લોકો સાથે બેઠક યોજી અને બંધનો નિર્ણય લીધો. મોદી સરકાર તરફથી આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ડોક્ટરો અને તબીબી સંગઠનોએ પણ એક થઈને બંધનું એલાન આપ્યું. હોસ્પિટલોમાં ફક્ત ઓપીડી સેવાઓ ચાલુ રહેશે.
FBI ડિરેક્ટર કાશ પટેલે આતંકવાદ સામે ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી
April 27, 2025 7:59 am
FBI ના ડિરેક્ટર કાશ પટેલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના તમામ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ભારત સરકારને અમેરિકાના સંપૂર્ણ સમર્થનની પુષ્ટિ કરી. પટેલે કહ્યું કે પહેલગામ હુમલો દુનિયાને આતંકવાદ દ્વારા ઉભા થતા સતત ખતરાની યાદ અપાવે છે. X પરની એક પોસ્ટમાં, કાશ પટેલે કહ્યું, FBI કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલાના તમામ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ભારત સરકારને સંપૂર્ણ સમર્થન આપવાનું ચાલુ રાખશે.
The FBI sends our condolences to all the victims of the recent terrorist attack in Kashmir — and will continue offering our full support to the Indian government.
— FBI Director Kash Patel (@FBIDirectorKash) April 26, 2025
This is a reminder of the constant threats our world faces from the evils of terrorism. Pray for those affected.…
ઈરાની રાષ્ટ્રપતિએ PM મોદીને ફોન કર્યો, પહેલગામ હુમલાની કડક નિંદા કરી
April 27, 2025 7:29 am
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને શનિવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાની નિંદા કરી. તેમણે PM મોદી સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
પહેલગામ હુમલા પર ગ્રેમી વિજેતા સંગીતકાર રિકી કેજે કહ્યું- મને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે
April 27, 2025 6:50 am
પહેલગામ હુમલા પર ગ્રેમી વિજેતા સંગીતકાર રિકી કેજે કહ્યું: આ આતંકવાદી હુમલો એકદમ વિનાશક છે. તેનું વર્ણન કરવાનો બીજો કોઈ રસ્તો નથી. મને ભારત સરકાર પર પૂરો વિશ્વાસ છે અને તેઓ જે પણ નિર્ણય લેશે, હું તેમને પૂરા દિલથી ટેકો આપીશ અને મને તેમના પર પૂરો વિશ્વાસ છે.
#WATCH | Delhi | On #PahalgamTerroristAttack, Grammy-winning musician Ricky Kej says, "It is absolutely devastating, the terror attack. There is no other way to describe it. I've got absolute and full faith in the Government of India, and I will wholeheartedly support them in… pic.twitter.com/GYH4Gv1q3K
— ANI (@ANI) April 26, 2025
તેમણે યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા... સુકાંત મજુમદાર
April 27, 2025 6:34 am
કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદારે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અંગે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના કથિત નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું, 'આપણે ઘણા વર્ષોથી આવી ધમકીઓ સાંભળી રહ્યા છીએ. બિલાવલ ભુટ્ટો કદાચ ઇતિહાસ ભૂલી ગયા છે. ભારતે એક સમયે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા હતા તેમણે આ યાદ રાખવું જોઈએ.
#WATCH | Ranaghat | On Pakistan Peoples Party Chairman Bilawal Bhutto Zardari's reported statement on the suspension of the Indus Water treaty, Union Minister Sukanta Majumdar says, "We have heard many such threats for many years. Bilawal Bhutto might have forgotten history.… pic.twitter.com/dPyKcm9rpz
— ANI (@ANI) April 26, 2025