આજે તો હારનો સિલસિલો તૂટશે જ! થોડી ક્ષણોમાં શરૂ થશે CSK અને SRH વચ્ચે મેચ
સીઝનની 17મી મેચ થોડી ક્ષણોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (CSK vs SRH) વચ્ચે રમાશે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંને ટીમો હારનો સિલસિલો તોડવા માટે ઉતરશે. ચેન્નાઈને અત્યાર સુધી સતત ત્રણ હાર મળી છે, જ્યારે હૈદરાબાદની ટીમ 2 મેચમાં જીતનું ખાતું ખોલી શકી નથી.ચેન્નાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 6-6 વિકેટથી મેચ હારી, ત્યારબાદ પંજાબ કિંગ્સે તેમને 54 રનથી àª
09:23 AM Apr 09, 2022 IST
|
Vipul Pandya
સીઝનની 17મી મેચ થોડી ક્ષણોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (CSK vs SRH) વચ્ચે રમાશે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંને ટીમો હારનો સિલસિલો તોડવા માટે ઉતરશે. ચેન્નાઈને અત્યાર સુધી સતત ત્રણ હાર મળી છે, જ્યારે હૈદરાબાદની ટીમ 2 મેચમાં જીતનું ખાતું ખોલી શકી નથી.
ચેન્નાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 6-6 વિકેટથી મેચ હારી, ત્યારબાદ પંજાબ કિંગ્સે તેમને 54 રનથી હરાવ્યું. વળી, હૈદરાબાદ તેની પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ સામે 61 રને અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 12 રને હારી ગયું હતું. હવે આ બંને મેચ આજે એકબીજાની આમને-સામને હશે. ત્યારે કોઇ એક ટીમ આજે પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન ઉપર કરવા મેદાને ઉતરશે.
IPLની 15મી સીઝનની 17મી મેચ હવેથી થોડા જ સમયમાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ સાથે ચેન્નાઈ કે હૈદરાબાદની ટીમનું જીતનું ખાતું ખુલશે. IPL 2022 માં, રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેન વિલિયમસનની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદને એક પણ જીત મળી નથી.
બીજી તરફ CSK ત્રણ મેચ હારી છે, જ્યારે SRH બે મેચ હારી છે. આ રીતે જોતા આજે કોઈ ટીમ જીતશે તો આ ટૂર્નામેન્ટમાં માત્ર બે જ ટીમો એવી હશે, જેમની જીતનું ખાતું પણ ખૂલ્યું નથી. મુંબઈ ઈન્ડિયન્સ પણ હજુ સુધી એક પણ મેચ જીત્યું નથી.
Next Article