ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીત્યો,પહેલા બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
IPL 2022 ની 11મી મેચ રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને મયંક અગ્રવાલની પંજાબ કિંગ્સ વચ્ચે રમાવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝન 15માં અત્યાર સુધી બે મેચ રમી છે અને દરેક વખતે તેને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ જો પંજાબ કિંગ્સ વિશે વાત કરીએ તો RCB સામે જીત સાથે સિઝનની શરૂઆàª
IPL 2022
ની 11મી
મેચ રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને મયંક અગ્રવાલની
પંજાબ કિંગ્સ વચ્ચે રમાવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને
પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝન 15માં અત્યાર સુધી બે મેચ રમી છે અને
દરેક વખતે તેને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ જો પંજાબ કિંગ્સ વિશે વાત
કરીએ તો RCB
સામે
જીત સાથે સિઝનની શરૂઆત કરનારી આ ટીમને છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે હાર
આપી હતી. જોની બેયરસ્ટો પંજાબ માટે આ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે, તેથી
તેની બેટિંગ વધુ મજબૂત બનશે. બેરસ્ટો વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ 31 માર્ચે ભારત આવ્યો હતો અને ત્રણ
દિવસની નિયમિત ક્વોરેન્ટાઈન પૂર્ણ કર્યા બાદ ટીમ સાથે જોડાયો હતો.
Advertisement