Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NSA અજીત ડોભાલ અને ચીનના ઉપપ્રમુખ હાન ઝેંગ વચ્ચે બેઠક, જાણો શું થઇ ચર્ચા...

NSA અજીત ડોભાલ અને ચીનના ઉપપ્રમુખ હાન ઝેંગ વચ્ચે મુલાકાત ભારત-ચીન સંબંધો 2025 માં 75 વર્ષ પૂર્ણ કરશે - Han Zheng મજબૂત રાજકીય વિશ્વાસ અને સંવાદ પુનઃસ્થાપન પર ભાર મુક્યો ભારત અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોને આવતા વર્ષે 75...
nsa અજીત ડોભાલ અને ચીનના ઉપપ્રમુખ હાન ઝેંગ વચ્ચે બેઠક  જાણો શું થઇ ચર્ચા
Advertisement
  • NSA અજીત ડોભાલ અને ચીનના ઉપપ્રમુખ હાન ઝેંગ વચ્ચે મુલાકાત
  • ભારત-ચીન સંબંધો 2025 માં 75 વર્ષ પૂર્ણ કરશે - Han Zheng
  • મજબૂત રાજકીય વિશ્વાસ અને સંવાદ પુનઃસ્થાપન પર ભાર મુક્યો

ભારત અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોને આવતા વર્ષે 75 વર્ષ પૂર્ણ થશે. આ પહેલા બંને દેશોએ પોતાના સંબંધો સુધારવા માટે એક નવી પહેલ કરી છે. ભારત-ચીન સરહદ પર શાંતિ લાવવાથી લઈને આર્થિક, સાંસ્કૃતિક અને વેપારની પ્રગતિને વધુ ગાઢ બનાવવા સુધી બંને દેશોએ મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ શ્રેણીમાં, ભારતના વિશેષ પ્રતિનિધિ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ (Han Zheng) સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત-ચીન સંબંધોને મજબૂત કરવાના મુદ્દા પર ચર્ચા કરી.

આ દરમિયાન ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ (Han Zheng) એ કહ્યું કે, આવતા વર્ષે ચીન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75 મી વર્ષગાંઠ છે. આવી સ્થિતિમાં, બંને દેશોના નેતાઓ દ્વારા પ્રાપ્ત થયેલી મહત્વપૂર્ણ સહમતિને બંને પક્ષોએ લાગુ કરવી જોઈએ. તે જ સમયે, ઉચ્ચ સ્તરીય વિનિમયની ગતિ જાળવી રાખવી જોઈએ. તેમણે કહ્યું કે, બંને દેશોએ રાજકીય પરસ્પર વિશ્વાસ કેળવવો જોઈએ અને ધીમે ધીમે સંસ્થાકીય સંવાદ પુનઃસ્થાપિત કરવો જોઈએ. આ સાથે અર્થતંત્ર, વેપાર અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં આદાનપ્રદાન અને સહયોગ વધારવો જોઈએ. જેથી દ્વિપક્ષીય સંબંધોને સ્થિર વિકાસના માર્ગ પર પાછા ફરવા પ્રોત્સાહન આપી શકાય.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Mumbai : ગેટવે ઓફ ઈન્ડિયા પાસેની દુર્ઘટના, નેવી અને કોસ્ટ ગાર્ડનું રાહત અભિયાન ચાલુ

ચીનના વિદેશ મંત્રી સાથે પણ વાતચીત થઈ...

આ પહેલા NSA અજીત ડોભાલે બુધવારે બેઈજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે પણ મુલાકાત કરી હતી. સરહદી મુદ્દાઓ અને અન્ય મુદ્દાઓ પર વાતચીત માટે બંને દેશો વચ્ચેના સંબંધોને પાટા પર લાવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ હતી. આ દરમિયાન, વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવા અને પૂર્વી લદ્દાખમાં સૈન્ય અવરોધને કારણે ચાર વર્ષથી વધુ સમયથી તંગ બનેલા દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો : 'બાબા સાહેબના નામ પર રાજકારણ બંધ કરો', Amit Shah ના કોંગ્રેસ પર આકરા પ્રહાર

Tags :
Advertisement

.

×