Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Thailand: PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે શું થઈ વાતચીત?

મોદી હાલમાં થાઇલેન્ડના પ્રવાસે બાંગ્લાદેશે આ બેઠક માટે ઔપચારિક વિનંતી કરી પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી Thailand : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં થાઇલેન્ડ(Thailand)માં આયોજિત BIMSTEC સમિટમાં (BIMSTEC summit)ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં પાડોશી દેશ બાંગ્લાદેશના (PM Modi...
thailand  pm મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે શું થઈ વાતચીત
Advertisement
  • મોદી હાલમાં થાઇલેન્ડના પ્રવાસે
  • બાંગ્લાદેશે આ બેઠક માટે ઔપચારિક વિનંતી કરી
  • પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી

Thailand : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં થાઇલેન્ડ(Thailand)માં આયોજિત BIMSTEC સમિટમાં (BIMSTEC summit)ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં પાડોશી દેશ બાંગ્લાદેશના (PM Modi and Yunus meet)કાર્યકારી સલાહકાર મુહમ્મદ યુનુસ પણ હજાર હતા અને તેમની વિનંતી પર તેમણે રાજધાની બેંગકોકમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજા સાથે ઉષ્માભર્યા હાથ મિલાવ્યા અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા પણ કરી.

ઔપચારિક બેઠક

બાંગ્લાદેશે આ બેઠક માટે ઔપચારિક વિનંતી કરી હતી જેને ભારતે સ્વીકારી લીધી હતી. આ BIMSTEC સમિટની બાજુમાં યોજાયેલી દ્વિપક્ષીય વાતચીત હતી. ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં હાલના તણાવપૂર્ણ તબક્કા વચ્ચે આ બેઠકને એક મહત્વપૂર્ણ રાજદ્વારી પગલું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા બંને નેતાઓ થાઈલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રા દ્વારા આયોજિત રાત્રિભોજનમાં સાથે જોવા મળ્યા હતા.

Advertisement

આ પણ  વાંચો - Thailand ના પીએમ શિનાવાત્રાએ PM મોદીને 108 વોલ્યુમ 'ધ વર્લ્ડ ત્રિપિટક' ભેટમાં આપી

Advertisement

યુનુસે આપી છે ચીનને લાલચ

બંને નેતાઓની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે મુહમ્મદ યુનુસ (bangladesh mohammad yunus)તેમની ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની વાતચીતને લઈને વિવાદમાં છે. ચીનની મુલાકાતે ગયેલા બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચીનની ધરતી પર કહ્યું હતું કે ઢાકા આ ક્ષેત્રના સમુદ્રનો એકમાત્ર રક્ષક છે. ચીનને પોતાના દેશમાં રોકાણ કરવા આમંત્રણ આપતી વખતે યુનુસે ભારતની મર્યાદાઓની યાદી આપી હતી અને બાંગ્લાદેશમાં વિશાળ વ્યાપારિક તકો હોવાનું કહીને ચીનને લલચાવ્યું હતું.

દ્વિપક્ષીય વાટાઘાટોની સત્તાવાર જાહેરાત નહીં

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોનો ઉલ્લેખ કરતા મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે. તે ભૂમિગત દેશો છે ભારતના ભૂમિગત વિસ્તારો છે. તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. આ સમગ્ર વિસ્તારમાં બાંગ્લાદેશ એકમાત્ર સમુદ્રનો રક્ષક છે. જોકે પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો અંગે હજુ સુધી બંને દેશ દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

આ પણ  વાંચો -Bangladesh માં ભયાનક હિંસા, 70-80 હુમલાખોરો શેખ હસીના પક્ષના નેતાના ઘરમાં ઘૂસી ગયા

ઓગસ્ટ મહિનાથી હસીના ભારતના શરણે

ઓગસ્ટ 2024 માં શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા પછી બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે જેના કારણે દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી છે. ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. વર્ષે 5 ઓગસ્ટે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાની સરકારના બળવા પછી બંને નેતાઓની આ મુલાકાત પહેલી વાર થઈ છે. બાંગ્લાદેશમાં થયેલા બળવા પછી શેખ હસીના ત્યારથી ભારતમાં રહે છે.

Tags :
Advertisement
×

Live Tv

.

×