Pakistan Bomb Blast:ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાક.માં બ્લાસ્ટ,5 લોકોના મોત
- ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાક.માં બ્લાસ્ટ
- ઘટનામાં 5 લોકોના મોત થયા
- 20 થી વધુ લોકો ઘાયલ હોવાની આશંકા
Pakistan Bomb Blast: પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઈ રહ્યું છે. દરમિયાન, શુક્રવારે થયેલા પ્રચંડ બોમ્બ વિસ્ફોટ(Pakistan Bomb Blast) થી દેશ હચમચી ગયો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના નૌશેરામાં મદરેસા હક્કાનિયામાં થયેલો આ વિસ્ફોટ ઇસ્લામિક કેલેન્ડરનો સૌથી પવિત્ર મહિનો રમઝાન પહેલા થયો હતો. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે. તે જ સમયે, 20 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક ઝુલ્ફીકાર હમીદે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું છે કે અકોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનીયા મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા છે અને 20 ઘાયલ થયા છે.
આત્મઘાતી હુમલાનો ભય
મળી માહિતી અનુસાર મદરેસાના મુખ્ય હોલમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ, અધિકારીઓએ નૌશેરામાં કટોકટીની સ્થિતિ જાહેર કરી. શરૂઆતની તપાસ મુજબ, તે એક આત્મઘાતી હુમલો હતો. આ આત્મઘાતી હુમલામાં JUI-S નેતા મૌલાના હામિદ ઉલ હક હક્કાનીનું મોત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હમીદ ઉલ હક હક્કાનીયા મદરેસાના વડા હતા.
Bomb blast during Friday prayers in Madrissah-e-Haqqania in Akorha, Khattak in the Jehangira tehsil of the Nowshera District in the Khyber Pakhtunkhwa KPK (so far part of Pakistan officially), several terrorist killed. pic.twitter.com/60O3te4Int
— KarmaYogi (@karma2moksha) February 28, 2025
આ પણ વાંચો -વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ-ઝેલેન્સકીની બેઠક, જોવા મળી શકે છે આ 10 મોટા બદલાવ
રેસ્ક્યુ 1122 ના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
અહેવાલો અનુસાર, વિસ્ફોટ પછી તરત જ રેસ્ક્યુ 1122 ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું હતું કે તે એક આત્મઘાતી હુમલો હતો. દરમિયાન, રેસ્ક્યુ 1122 ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો શુક્રવારની નમાજ માટે મદરેસાના મુખ્ય હોલમાં એકઠા થયા હતા.
આ પણ વાંચો -Earthquake : 3 કલાકમાં ચાર દેશોમાં ભૂકંપના આંચકા, નેપાળ-તિબેટ, ભારત અને પાકિસ્તાનની ધરતી ધ્રુજી ઉઠી
આરોગ્ય વિભાગે કટોકટી જાહેર કરી
એક નિવેદન અનુસાર, ખૈબર પખ્તુનખ્વા (કેપી) આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી પેશાવરની તમામ હોસ્પિટલો અને આરોગ્યસંભાળ કેન્દ્રોમાં કટોકટી જાહેર કરી છે. એક નિવેદનમાં, કમિશનરના સચિવે જણાવ્યું હતું કે: "મને જણાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે નૌશેરા જિલ્લાના દારા ઉલ ઉલૂમ હક્કાનિયામાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટને ધ્યાનમાં રાખીને, પેશાવર વિભાગની તમામ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં તાત્કાલિક અસરથી તબીબી અને આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે." ઉપરાંત, તબીબી સ્ટાફ અને જરૂરી દવાઓની હાજરી સુનિશ્ચિત કરવી જોઈએ.