Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : શિયા વિયા થયેલું પાકિસ્તાન શી જિન પિંગના શરણે

સમગ્ર વિશ્વમાં ચોતરફથી India ને સહકાર અને Pakistan ને ફિટકાર મળી રહી છે. હવે પાકિસ્તાન માત્ર ભારતના આક્રામક વલણથી જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ તરફથી મળી રહેલા ફિટકારથી શિયા વિયા થઈ ગયું છે. ગભરાયેલું પાકિસ્તાન China ના ચરણમાં શરણ શોધી રહ્યું છે. વાંચો વિગતવાર
pahalgam terror attack   શિયા વિયા થયેલું પાકિસ્તાન શી જિન પિંગના શરણે
Advertisement
  • India થી ગભરાયેલુ Pakistan ચીનના ખોળે બેઠું
  • પાકિસ્તાનના વિદેશ મંત્રી China રાજદૂતને મળ્યાં
  • ઈસ્લામાબાદમાં જિયાંગ ઝેડાંગ (Jiang Zedong) સાથે મુલાકાત કરી
  • તણાવ અંગે પાકિસ્તાને China ને આપી જાણકારી

Pahalgam Terror Attack : 22મી એપ્રિલે પાકિસ્તાને જે અમાનવીય અને નિંદનીય હુમલો કર્યો તેનાથી સમગ્ર વિશ્વમાં ચોમેરથી તેના પર ટીકાનો વરસાદ થઈ રહ્યો છે. ડરેલું, ગભરાયેલું પાકિસ્તાન હવે ચીનના ચરણમાં શરણ શોધી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ઈસ્લામાબાદ (Islamabad) માં ચીની રાજદૂત સાથે તાબડતોબની બેઠક કરી છે. આ બેઠકમાં પાકિસ્તાને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા પાકિસ્તાન વિરોધી તણાવ અંગે ચીનને જાણકારી આપી છે.

Islamabad માં તાકીદની બેઠક

સમગ્ર વિશ્વ તરફથી ફટકાર મળતા પાકિસ્તાન ગભરાઈ ગયું છે. Pakistan તેના કથિત આકા China ના ખોળામાં બેઠું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત સાથે તાકીદની બેઠક કરી છે. પાકિસ્તાન વિદેશ મંત્રીએ ચીનના રાજદૂત જિયાંગ ઝેડાંગ સાથે મુલાકાત કરીને સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન વિરોધી પેદા થયેલા તણાવ અંગે જાણકારી આપી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  'Mission Ready, કોઇ પણ સમયે, કોઇ પણ જગ્યાએ', ભારતીય નૌસેનાએ આપ્યા મોટા સંકેત

Pakistan PM ની પણ નીકળી ગઈ હેકડી

Pahalgam Terror Attack બાદ પાકિસ્તાન પીએમે અક્કડ વલણ જાળવી રાખ્યું હતું. જો કે વિશ્વભરના વિવિધ દેશોમાં પાકિસ્તાની એમ્બેસી બહાર વિરોધ પ્રદર્શન થતા હવે પાકિસ્તાન પીએમની અકડ કુણી પડી ગઈ છે. લંડન અને નેપાળમાં તો પાકિસ્તાન એમ્બેસીની બહાર મોટી સંખ્યામાં વિરોધીઓએ પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા અને બેનર પ્રદર્શન કરીને પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. આ ઘટનાઓ બાદ પાકિસ્તાની પીએમની હેકડી નીકળી ગઈ છે. તેમણે પુલવામા હુમલાની તપાસ માટે તૈયારી દર્શાવી છે. આ હુમલાની મોટાપાયે જવાબદારી લેનાર TRF પણ હવે પલટાયું છે. TRFએ કહ્યું કે, અમે ISIના ઈશારે હુમલો કર્યો નથી. સોશિયલ મીડિયાનું અમારુ એકાઉન્ટ હેક થયું હતું.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : પહેલગામથી Gujarat First નો Exclusive રિપોર્ટ, જોઇને ચોંકી જશો

Tags :
Advertisement

Trending News

.

×