Pahalgam Terror Attack : લંડન બાદ નેપાળમાં પાકિસ્તાની એમ્બસી બહાર પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન
- સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનનો થઈ રહ્યો છે ઉગ્ર વિરોધ
- લંડન સ્થિત Pakistani embassy બહાર ઉગ્ર વિરોધ થયો હતો
- હવે Nepal સ્થિત Pakistani embassy બહાર પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે
Pahalgam Terror Attack : પહેલગામમાં કરેલા પાપ બદલ હવે પાકિસ્તાન હવે શીયા વીયા થઈ ગયું છે. તેનો આ દાવ અવળો પડ્યો છે. સમગ્ર વિશ્વ ભારત તરફી વલણ દર્શાવી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનને સબક શીખવાડવા સમગ્ર વિશ્વએ ભારતને મદદ કરવાની તૈયારી દર્શાવી છે. અનેક દેશોએ મદદની તૈયારી દર્શાવી છે આ સિવાય અનેક દેશોમાં પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર દેખાવો પણ થઈ રહ્યા છે. લંડનમાં પાકિસ્તાની એમ્બસી બાદ હવે નેપાળમાં Pakistani embassy બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
Nepal માં ઉગ્ર વિરોધ પ્રદર્શન
લંડનમાં આવેલ Pakistani embassy ની બહાર જે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું ત્યારથી પાકિસ્તાન શીયા વીયા થઈ ગયું છે. આજે હવે નેપાળ સ્થિત Pakistani embassy બહાર પણ સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છે. નેપાળમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર નારેબાજી થઈ રહી છે. પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઈને આતંકિસ્તાનને સબક શીખવાડવાની ઉગ્ર માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે Pahalgam Terror Attack માં એક નેપાળી નાગરિકનું પણ મૃત્યુ થયું હતું. હવે નેપાળીઓએ પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરતા એશિયામાં પાકિસ્તાન માટે ઘરમાં મોઢું સંતાડીને રોવાનો વારો આવ્યો છે.
Pahalgam Terror Attack : London માં વિરોધ, "હિન્દુસ્તાન જીંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ"
કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો વિશ્વભરમાં વિરોધ
લંડનમાં વસતા ભારતીયોએ પણ નોંધાવ્યો વિરોધ
પાકિસ્તાન એમ્બેસિ સામે ભારતીયોનું વિરોધ પ્રદર્શન
એમ્બેસિ સામે જ ભારતીયોએ એકઠા થઇને નોંધાવ્યો વિરોધ… pic.twitter.com/8xP7XzvsW1— Gujarat First (@GujaratFirst) April 26, 2025
લંડનમાં Pakistani embassy બહાર પણ વિરોધ પ્રદર્શન
લંડનમાં ભારતીય સમુદાયે પાકિસ્તાન એમ્બસીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને Pahalgam Terror Attack ની ઘોર નિંદા કરી છે. મોટી સંખ્યામાં હિન્દુઓ હાથમાં બેનર લઈને પાકિસ્તાનનો વિરોધ કરતા જોવા મળ્યા છે. હિન્દુઓએ પાકિસ્તાન એમ્બસી બહાર શાંતિપૂર્ણ રીતે શક્તિપ્રદર્શન કર્યુ હતું. તેમણે પાકિસ્તાનના આતંકવાદી તરફી વલણનો પણ વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને 26 લોકોના મોત પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.
#WATCH लंदन, यूके: भारतीय समुदाय के सदस्यों ने #PahalgamTerroristAttack की निंदा करते हुए लंदन में पाकिस्तान उच्चायोग के बाहर विरोध प्रदर्शन किया। pic.twitter.com/zeC1tz3glL
— ANI_HindiNews (@AHindinews) April 25, 2025
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : લાચાર પાકિસ્તાનની હલકી માનસિકતા છતી થઇ