Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : લંડન બાદ નેપાળમાં પાકિસ્તાની એમ્બસી બહાર પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન

પાકિસ્તાને કરેલ અમાનવીય હુમલાનો વિરોધ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યો છે. લંડન સ્થિત Pakistani embassy સામે થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ હવે Nepal માં આવેલ Pakistani embassy બહાર પણ લોકોએ મોટી સંખ્યામાં એક્ઠા થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વાંચો વિગતવાર.
pahalgam terror attack   લંડન બાદ નેપાળમાં પાકિસ્તાની એમ્બસી બહાર પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Advertisement
  • સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનનો થઈ રહ્યો છે ઉગ્ર વિરોધ
  • લંડન સ્થિત Pakistani embassy બહાર ઉગ્ર વિરોધ થયો હતો
  • હવે Nepal સ્થિત Pakistani embassy બહાર પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે

Pahalgam Terror Attack : પહેલગામમાં કરેલા પાપ બદલ હવે પાકિસ્તાન હવે શીયા વીયા થઈ ગયું છે. તેનો આ દાવ અવળો પડ્યો છે. સમગ્ર વિશ્વ ભારત તરફી વલણ દર્શાવી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનને સબક શીખવાડવા સમગ્ર વિશ્વએ ભારતને મદદ કરવાની તૈયારી દર્શાવી છે. અનેક દેશોએ મદદની તૈયારી દર્શાવી છે આ સિવાય અનેક દેશોમાં પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર દેખાવો પણ થઈ રહ્યા છે. લંડનમાં પાકિસ્તાની એમ્બસી બાદ હવે નેપાળમાં Pakistani embassy બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.

Nepal માં ઉગ્ર વિરોધ પ્રદર્શન

લંડનમાં આવેલ Pakistani embassy ની બહાર જે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું ત્યારથી પાકિસ્તાન શીયા વીયા થઈ ગયું છે. આજે હવે નેપાળ સ્થિત Pakistani embassy બહાર પણ સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છે. નેપાળમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર નારેબાજી થઈ રહી છે. પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઈને આતંકિસ્તાનને સબક શીખવાડવાની ઉગ્ર માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે Pahalgam Terror Attack માં એક નેપાળી નાગરિકનું પણ મૃત્યુ થયું હતું. હવે નેપાળીઓએ પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરતા એશિયામાં પાકિસ્તાન માટે ઘરમાં મોઢું સંતાડીને રોવાનો વારો આવ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : ગુજરાતી મીડિયાથી સૌથી પહેલી Gujarat First ની ટીમ પહોંચી કાશ્મીર, જુઓ Exclusive રિપોર્ટ

લંડનમાં Pakistani embassy બહાર પણ વિરોધ પ્રદર્શન

લંડનમાં ભારતીય સમુદાયે પાકિસ્તાન એમ્બસીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને Pahalgam Terror Attack ની ઘોર નિંદા કરી છે. મોટી સંખ્યામાં હિન્દુઓ હાથમાં બેનર લઈને પાકિસ્તાનનો વિરોધ કરતા જોવા મળ્યા છે. હિન્દુઓએ પાકિસ્તાન એમ્બસી બહાર શાંતિપૂર્ણ રીતે શક્તિપ્રદર્શન કર્યુ હતું. તેમણે પાકિસ્તાનના આતંકવાદી તરફી વલણનો પણ વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને 26 લોકોના મોત પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : લાચાર પાકિસ્તાનની હલકી માનસિકતા છતી થઇ

Tags :
Advertisement

.

×