Pakistan માં ટ્રેન હાઈજેક બાદ મોટો આત્મઘાતી હુમલો, સેનાએ 10 હુમલાખોરોને કર્યા ઠાર
- હુમલાખોરોએ ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો કર્યો
- હુમલો કરવા આવેલા ફિદાયીન હુમલાખોરોને પાક સેનાએ ઠાર માર્યા
- પાકિસ્તાનમાં 96 ટકાથી વધુ હુમલાઓ માટે TTP જવાબદાર
Pakistan News: ટ્રેન અપહરણ બાદથી પાકિસ્તાનમાં આતંકનો માહોલ છે. તેમજ સુરક્ષાને લઈને પણ સ્થિતિ ચિંતાજનક છે. બલૂચિસ્તાનમાં અપહરણની આ ઘટના બાદ હવે તહરીક-એ-તાલિબાન સાથે જોડાયેલા હુમલાખોરોએ ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો કર્યો છે. આ પછી પાકિસ્તાની સેનાએ એક મોટા ઓપરેશનમાં 10 આત્મઘાતી હુમલાખોરોને ઠાર કર્યા છે. આ ઘટના ગુરુવારે બની હતી. પાક સેનાએ ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં ફ્રન્ટિયર કોર્પ્સ કેમ્પ નજીક આત્મઘાતી હુમલામાં 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેઓ TTP સાથે સંકળાયેલા હતા.
હુમલામાં ઘણા લોકો માર્યા ગયા
પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે આતંકવાદીઓએ જંડોલા ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આમાંથી એક આત્મઘાતી આતંકવાદીએ સરહદી કેમ્પ નજીક પોતાને ઉડાવી દીધો. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે. જોકે, પાકિસ્તાન સરકારે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો : Video: 172 મુસાફરોને લઈ જતા વિમાનમાં આગ લાગી, અમેરિકન એરલાઇન્સનું વિમાન ક્રેશ થતાં ડેનવર એરપોર્ટ પર અંધાધૂંધી મચી
આતંકવાદના કેસોની યાદીમાં પાકિસ્તાન બીજા ક્રમે
આ ઘટના અંગે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ કહ્યું કે દેશ સુરક્ષા દળોની સાથે ઉભો છે જેથી દેશમાંથી આતંકવાદને ખતમ કરી શકાય. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 મુજબ, પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત મૃત્યુમાં વધારો થયો છે. આ વધારો 45 ટકા થયો છે. જ્યાં વર્ષ 2023માં 748 લોકોના મોત થયા હતા. જ્યારે 2024માં આ આંકડો 1081 પર પહોંચી ગયો.
પાકિસ્તાનમાં મોટા ભાગના આતંકી હુમલાઓ માટે TTP જવાબદાર છે. આ સંગઠને અત્યાર સુધીમાં સૌથી વધુ હુમલા બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કર્યા છે. પાકિસ્તાનમાં 96 ટકાથી વધુ હુમલાઓ અને મૃત્યુ માટે TTP જવાબદાર છે.
આ પણ વાંચો : હોળીના રંગોમાં રંગાયા ન્યુઝીલેન્ડના PM Christopher Luxon, જુઓ Video