Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-Pakistan : ‘ભારતીય સેના ગમે ત્યારે પાકિસ્તાનમાં ઘૂસી શકે છે’,પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન

India-Pakistan Controversy : પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ (India-Pakistan Controversy)વધી ગયો છે. ભારતે પાકિસ્તાન પર સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતના અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે,તો બીજીતરફ આતંકવાદીઓને પોષતો પાકિસ્તાન નફ્ફટાઈની હદ...
india pakistan   ‘ભારતીય સેના ગમે ત્યારે પાકિસ્તાનમાં ઘૂસી શકે છે’ પાક ના સંરક્ષણ મંત્રીનું નિવેદન
Advertisement

India-Pakistan Controversy : પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ (India-Pakistan Controversy)વધી ગયો છે. ભારતે પાકિસ્તાન પર સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતના અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે,તો બીજીતરફ આતંકવાદીઓને પોષતો પાકિસ્તાન નફ્ફટાઈની હદ વટાવી ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે.હવે સ્થિતિ એવી છે કે,પાકિસ્તાનના વડાપ્રધાનની લઈને તમામ નેતાઓને યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેઓએ ભારતને પોકળ ધમકીઓ આપી રહ્યા છે .પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીને પણ યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેમને દાવા સાથે કહ્યું છે કે,ભારતીય સેના ગમે ત્યારે પાકિસ્તાનમાં ઘૂસી શકે છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે આજે (28 એપ્રિલ) કહ્યું કે, પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉગ્ર સ્થિતિ ઉભી થઈ છે. બંને દેશો વચ્ચેનો તણાવ ગમે ત્યારે યુદ્ધમાં બદલાઈ શકે છે. તેમણે કહ્યું કે, પહલગામ હુમલા બાદ પડોશી ભારત દ્વારા ગમે ત્યારે સૈન્ય આક્રમણ થવું શક્ય છે, કારણ કે પરમાણુ શસ્ત્રો ધરાવતા બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -નવાઝ શરીફે પાક.ના PMને આપી સલાહ, 'ભારત સાથે યુદ્ધ ના કરતા નહીં તો....'

Advertisement

અમે દળોને મજબુત બનાવી રહ્યા છીએ

પાકિસ્તાની મંત્રી આસિફે કહ્યું, "અમે અમારા દળોને મજબૂત બનાવી રહ્યા છીએ કારણ કે તે હવે અનિવાર્ય બની ગયું છે. તેથી, આ પરિસ્થિતિમાં કેટલાક વ્યૂહાત્મક નિર્ણયો લેવા પડ્યા હતા, અને તે નિર્ણયો લેવામાં આવ્યા છે." મંત્રીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બે પરમાણુ સશસ્ત્ર પડોશીઓ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતીય સેના પણ સરહદ પર સક્રિય છે

આ પણ  વાંચો -Europe ના અનેક દેશોમાં વીજ પુરવઠો ઠપ્પ, France, Spain, Portugak, Belgium માં અંધારપટ

ભારતીય સેના સક્રિય

આ હુમલાને લઈને ભારતમાં ગુસ્સાની ભયાનક લહેર છે અને સરકાર પર કાર્યવાહી માટેનું દબાણ છે. લોકોએ આતંકવાદ સામે આક્રમક પગલાં લેવાની માંગ કરી છે. ભારતીય લશ્કરી દળો પણ સરહદ પર સતર્ક બની ગયા છે, અને ઘણા સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ભારત ત્વરિત અને કડક કાર્યવાહી અંગે વિચારણા કરી શકે છે. ભારતનું સ્પષ્ટ રીતે માનવું છે કે, પાકિસ્તાન જ આ આતંકવાદી ઘટના માટે જવાબદાર છે. કારણ કે તે આતંકવાદીઓને હંમેશાથી પોતાને ત્યાં આશ્રય આપે છે.

.. તો પરમાણુ હથિયાર વાપરતા પણ નહી ખચકાય

પોતાની વાતચીતમાં મંત્રી ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે, પાકિસ્તાની સેનાએ સરકારને ભારતીય હુમલાની શક્યતા વિશે માહિતી આપી છે. જો કે તેમણે આ માહિતી તેમને ક્યાંથી મળી તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. આસિફે કહ્યું, "પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે અને જો તેના અસ્તિત્વ માટે સીધો ખતરો હશે તો જ તે તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે." ભારત ઝડપી અને કડક પગલાં લેવાનું વિચારી શકે છે. ભારત સ્પષ્ટપણે માને છે કે, આ આતંકવાદી ઘટનાઓ માટે પાકિસ્તાન જવાબદાર છે કારણ કે તે આતંકવાદીઓને આશ્રય આપે છે.

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

IG Dronesને મળ્યું પ્રથમ સ્વદેશી ડ્રોન સિમ્યુલેટરનું પેટન્ટ, આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું

featured-img
Top News

Narmada: મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદનો મોટો ધડાકો, એજન્સીએ દરેક પક્ષના નેતાઓને રૂપિયા આપ્યા હતા: મનસુખ વસાવા

featured-img
સ્પોર્ટ્સ

Diogo Jota Died : ફૂટબોલ જગતમાં શોકનો માહોલ! પોર્ટુગલના ફેમસ ખેલાડીનું કાર અકસ્માતમાં મોત

featured-img
Top News

Gandhinagar : રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વાર ‘રિંગ ફેન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ સિસ્ટમ અમલી

featured-img
Top News

VADODARA : સાવલીની નારપુરા ગ્રામ પંચાયત રાજ્યમાં શ્રેષ્ઠ પંચાયત તરીકે નવાજિત

featured-img
સ્પોર્ટ્સ

Shubman Gillએ તોડ્યો વિરાટ કોહલીનો મહાન રેકોર્ડ, આવું કરનાર પહેલો ભારતીય બન્યો

×

Live Tv

Trending News

.

×