ધ્યાન રાખજો કોરોના આવી રહ્યો છે! દેશના તમામ હોસ્પિટલ એલર્ટ મોડમાં, કોવિડ હોસ્પિટલોમાં બે દિવસ મોકડ્રીલ
દેશમાં એકવાર ફરી કોરોનાના કેસ વધતા હવે આરોગ્યતંત્ર એલર્ટમોડમાં આવી ગયું છે. આરોગ્ય મંત્રાલયે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે હોસ્પિટલોની કેવી છે તૈયારી તેનું મૂલ્યાંકન કરવા માટે સોમવાર અને મંગળવારે દેશવ્યાપી મોક ડ્રિલની જાહેરાત કરી હતી. જે મુજબ હવે દેશની...
દેશમાં એકવાર ફરી કોરોનાના કેસ વધતા હવે આરોગ્યતંત્ર એલર્ટમોડમાં આવી ગયું છે. આરોગ્ય મંત્રાલયે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે હોસ્પિટલોની કેવી છે તૈયારી તેનું મૂલ્યાંકન કરવા માટે સોમવાર અને મંગળવારે દેશવ્યાપી મોક ડ્રિલની જાહેરાત કરી હતી. જે મુજબ હવે દેશની ઘણી હોસ્પિટલોમાં આ પ્રમાણે મક ડ્રિલ શરૂ થઇ ગઇ છે. કવાયતમાં ભાગ લેવા માટે જાહેર અને ખાનગી બંને સુવિધાઓ તૈયાર છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સોમવારે મોક ડ્રીલની દેખરેખ માટે એઈમ્સ, ઝજ્જરની મુલાકાત લેશે, અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.
આજથી બે દિવસ દેશભરમાં મોક ડ્રિલનું આયોજન
દેશભરમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની સરકારી અને ખાનગી હોસ્પિટલો આ સંકટનો સામનો કરવા માટે કેટલી તૈયાર છે તે ચકાસવા માટે, સોમવારે દેશભરમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા હરિયાણાના ઝજ્જરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતેની તૈયારીના સાક્ષી બનશે. આ મોકડ્રીલ સોમવાર અને મંગળવાર એમ બે દિવસ યોજાશે. જણાવી દઇએ કે, 7મી એપ્રિલે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યના આરોગ્ય મંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા અને મોકડ્રિલ નિહાળવા વિનંતી કરી હતી. કેન્દ્રીય મંત્રીએ તેમને 8 અને 9 એપ્રિલના રોજ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરવાની પણ સલાહ આપી હતી.
ઇમરજન્સી હોટસ્પોટ્સને ઓળખવાની જરૂરિયાત : સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ 7 એપ્રિલના રોજ પૂરા થતા સપ્તાહ મુજબ ટેસ્ટિંગનો દર તરત જ 100 ટેસ્ટ પ્રતિ મિલિયનથી વધારવા વિનંતી કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ મીટિંગમાં, માંડવિયાએ ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI) કેસના વલણની તપાસ કરીને, પરીક્ષણ અને રસીકરણમાં વધારો કરીને અને હોસ્પિટલના માળખાકીય સુવિધાઓની સજ્જતાને સુનિશ્ચિત કરીને ઇમરજન્સી હોટસ્પોટ્સને ઓળખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આ સાથે, જીનોમ સિક્વન્સિંગને વધારવા ઉપરાંત, 'ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેટ' અને 'કોવિડ-યોગ્ય વર્તણૂક' ની પ્રતિભાવ વ્યૂહરચના ઘડવામાં આવી છે.
દેશમાં આજે કોરોનાના નોંધાયા આટલા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના 5,880 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 12 લોકોના મોત થયા હતા. દૈનિક હકારાત્મકતા દર વધીને 6.91 અને સાપ્તાહિક હકારાત્મકતા દર 3.67% થયો છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 35 હજારને વટાવી ગઈ છે. હાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર કોરોનાનું એક વેરિઅન્ટ (VOI) પર નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે, XBB.1.5 અને અન્ય છ વેરિઅન્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે જે છે- BQ.1, BA.2.75, CH.1.1, XBB, XBF અને XBB.1.16
Jharkhand | Stone pelting broke out between 2 groups in Jamshedpur
The situation is under control. Those who had gathered have been sent home. The force has been deployed in the entire area, a company of RAF is deployed. Some people have also been detained: Prabhat Kumar, SSP… pic.twitter.com/Cz6L7YGUk3
— ANI (@ANI) April 9, 2023
Advertisement