Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Russia - Ukraine War : યુક્રેન પર રશિયાનો મિસાઈલ હુમલો, 5 લોકોના મોત, 31 ઘાયલ

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચર્ચા ચાલી રહી છે....
10:20 AM Aug 08, 2023 IST | Hiren Dave

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચર્ચા ચાલી રહી છે. આમ છતાં બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન રશિયાએ પૂર્વ યુક્રેનના પોકરોવસ્ક શહેરમાં મિસાઈલ હુમલા કર્યા હોવાનું બહાર આવ્યું છે. શહેરમાં રહેણાંક મકાનને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.

 

ઝેલેન્સકીએ વીડિયો શેર કરીને આ વાત કહી
યુક્રેને હુમલાની નિંદા કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે મોસ્કોએ એક સાદી રહેણાંક ઇમારત પર હુમલો કર્યો. તેઓએ સોવિયેત યુગની પાંચ માળની ઈમારતના ફૂટેજ પણ જાહેર કર્યા છે. આ ઈમારતનો ઉપરનો માળ ધરાશાયી થઈ ગયો છે. હુમલા બાદ બચાવ કાર્ય ચાલુ છે. તેમની પોસ્ટમાં, ઝેલેન્સકીએ લખ્યું છે કે કાટમાળ હજુ પણ સાફ કરવામાં આવી રહ્યો છે અને "શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

 

રશિયાનો આતંક બંધ થવો જોઈએ: ઝેલેન્સકી

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે આપણે કોઈપણ કિંમતે રશિયાના આતંકને રોકવો પડશે. તેણે દુનિયાભરના દેશોને અપીલ કરી હતી કે જે કોઈ પણ યુક્રેનને રશિયા વિરુદ્ધ મદદ કરશે તે આતંકવાદીઓને હરાવી દેશે. કારણ કે રશિયાએ આ યુદ્ધમાં જે કર્યું છે તેના માટે તેને જવાબદાર ઠેરવવું પડશે.

 

હુમલામાં 31 લોકો ઘાયલ થયા

મળતી  માહિતી અનુસાર, યુક્રેનના મંત્રી ઇગોર ક્લિમેન્કોએ પણ ટેલિગ્રામ પર આ હુમલાની જાણકારી આપી હતી. આ હુમલામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, અન્ય એક હુમલામાં ડોનેત્સ્ક વિસ્તારના એક અધિકારીનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું હતું કે આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 31 લોકો ઘાયલ થયા છે. જેમાં 19 પોલીસકર્મી, 5 બચાવકર્તા અને 1 બાળકનો સમાવેશ થાય છે.

 

આ પહેલા યુક્રેને શુક્રવારે જ રશિયાના એક મોટા બંદર પર હુમલો કર્યો હતો. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે રશિયા કેર્ચ સ્ટ્રેટમાં નાગરિક જહાજ પર યુક્રેનિયન આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે. તેમણે ટેલિગ્રામ એપ પર કહ્યું કે આવા બર્બર કૃત્યોને કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં અને જવાબદારોએ જવાબ આપવો પડશે.

 

Tags :
russiaRussia-Ukraine war updates:Russia-Ukraine-Warukraine
Next Article