UK માં રાજનાથ સિંહે કહ્યું- ભારત હવે નબળું નથી...,ચીનને લઈ કહી આ વાત
Rajnath Singh on China: ચીનના મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સમાં તાજેતરમાં લખાયેલ એક લેખમાં ભારતની વધતી શક્તિ વિશે વાત કરવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh on China) આ લેખને ટાંકીને કહ્યું કે ચીને પણ માનવા માંડ્યું છે કે ભારત એક મોટા વૈશ્વિક આર્થિક ખેલાડી અને વ્યૂહાત્મક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીન પણ માને છે કે ભારત તેની મજબૂત આર્થિક અને વિદેશ નીતિઓને કારણે આટલી તાકાત સાથે આગળ વધી રહ્યું છે. વાસ્તવમાં બ્રિટનની રાજધાની લંડનમાં એક કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ ગ્લોબલ ટાઈમ્સના લેખનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેનું શીર્ષક હતું 'ભારતની વાર્તા વિશે હું શું જોઉં છું' તે 'હૂં' શીર્ષક સાથે લખવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે ગ્લોબલ ટાઈમ્સમાં લખાયેલો આ લેખ પુષ્ટિ કરે છે કે ભારત પ્રત્યે ચીનનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે.
રાજનાથ સિંહે શું કહ્યું?
રક્ષા મંત્રી રાજનાથ સિંહે એ કહ્યું, કે 'આ લેખ ભારત પ્રત્યે ચીનના બદલાતા વલણને સાબિત કરે છે. એવું લાગે છે કે ચીનની સરકારે એ વાતને ઓળખવાનું શરૂ કરી દીધું છે કે આપણી આર્થિક અને વિદેશી નીતિઓ તેમજ આપણા બદલાતા વ્યૂહાત્મક હિતોએ ભારતને વૈશ્વિક આર્થિક ખેલાડી અને વ્યૂહાત્મક શક્તિ તરીકે ઉભરવામાં મદદ કરી છે. ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે લખાયેલા આ લેખમાંથી ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે ભારત ઝડપથી વિકસતો દેશ છે અને 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે ભારત વર્ષ 2075 સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની જશે.
શું લખાયું છે આર્ટિકલમાં
ગ્લોબલ ટાઈમ્સમાં લેખ લખનાર લેખકનું નામ ઝાંગ જિયાડોંગ છે, જે ફુદાન યુનિવર્સિટીમાં 'સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝ'ના ડિરેક્ટર છે. ઝાંગે આ લેખ તેમની ભારતની બે મુલાકાતોના આધારે લખ્યો છે. તેમણે લખ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં ભારતની સ્થાનિક અને વિદેશી પરિસ્થિતિમાં જબરદસ્ત ફેરફારો થયા છે. તેમણે જોયું છે કે એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં ભારત બહુ-સંતુલિત દેશમાંથી બહુ-સંકલિત દેશમાં પરિવર્તિત થયું છે.
ઝાંગે લખ્યું છે કે ભારતે હંમેશા પોતાને વૈશ્વિક શક્તિ તરીકે જોયા છે. તે આ બહુધ્રુવીય વિશ્વમાં ધીમે ધીમે ધ્રુવ બની રહ્યો છે. તેમનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોના ઈતિહાસમાં આટલી ઝડપે પરિવર્તન ભાગ્યે જ જોવા મળે છે. અહીં નોંધનીય બાબત એ છે કે સામાન્ય રીતે ચીનના વિદ્વાનો ભારત સાથે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને માત્ર ટીકાત્મક લેખો જ લખે છે. પણ આવો સરાહનીય લેખ પહેલીવાર લખાયો છે.
ભારત બ્રિટન સાથે સમૃદ્ધ ભાગીદારી ઈચ્છે છે
બ્રિટનને લઈને રાજનાથ સિંહે કહ્યું કે ભારત બ્રિટન સાથે સમૃદ્ધ ભાગીદારી ઈચ્છે છે. તેમણે કહ્યું કે ભારત અને બ્રિટનના સંબંધો ઘણા સારા રહ્યા છે. બંને દેશ સાથે મળીને મહાન કામ કરી શકે છે. યુકેના સંરક્ષણ પ્રધાન ગ્રાન્ટ શેપ્સ સાથે યુકે-ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડસ્ટ્રીના સીઈઓ રાઉન્ડટેબલની સહ-અધ્યક્ષતા કરતા રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સતત આગળ વધી રહ્યું છે.
ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની શકે છે
તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે. ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની શકે છે. આ દરમિયાન રાજનાથ સિંહે ભારત અને બ્રિટન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો. બ્રિટનની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, રક્ષા મંત્રી ગ્રાન્ટ શૅપ્સ અને વિદેશ મંત્રી ડેવિડ કેમરન સહિત ઘણા નેતાઓને મળ્યા હતા.
આ પણ વાંચો - Israel-Hamas War : US વિદેશમંત્રીના પ્રવાસ વચ્ચે ગાઝા પર ઇઝરાયલનો બોમ્બમારો, 24 કલાકમાં 147ના મોત