ગોપાલ ઇટાલીયાના હૈયાની વાત આખરે હોંઠે આવી ગઇ? જુઓ વિડીયો
આજે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવી (Isudan Gadhvi)નું નામ જાહેર કર્યું છે. જો કે આજે યોજાયેલા આ જાહેરાત અંગેના કાર્યક્રમમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા (Gopal Italiya) એવું કંઇ બોલી ગયા હતા કે એવું લાગ્યું કે જાણે તેમની દિલની વેદના બહાર આવી ગઇ હતી. તેમનું ભાષણ સાંભળીને લોકોને લાગ્યું કે તેમની જીભ લપસી છે કે જાણી જ
આજે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવી (Isudan Gadhvi)નું નામ જાહેર કર્યું છે. જો કે આજે યોજાયેલા આ જાહેરાત અંગેના કાર્યક્રમમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા (Gopal Italiya) એવું કંઇ બોલી ગયા હતા કે એવું લાગ્યું કે જાણે તેમની દિલની વેદના બહાર આવી ગઇ હતી. તેમનું ભાષણ સાંભળીને લોકોને લાગ્યું કે તેમની જીભ લપસી છે કે જાણી જોઇને તેમના મનની વાત તેમણે કરી દીધી છે.
ઇસુદાન ગઢવીનું નામ જાહેર
આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીને જાહેર કરાયા હતા. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયું હતું કે મુખ્યમંત્રી તરીકેના ચહેરા માટેના સર્વેમાં 73 ટકા લોકોએ ઇસુદાન ગઢવીને મત આપ્યો છે. એવું લાગતું હતું કે આપના સીએમ પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવી અને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા વચ્ચે હરિફાઇ હતી.
ગોપાલ ઇટાલીયાના ભાષણથી ઉત્તેજના
બીજી તરફ ઇસુદાન ગઢવીનું નામ જ્યારે જાહેર થયું ત્યાર બાદ ગોપાઇલ ઇટાલીયા પણ ભાષણ આપવા ઉભા થયા હતા. તેમણે ભાષણની શરુઆતમાં જ તેમની વેદના વ્યક્ત કરતાં કાર્યકરો ચોંકી ગયા હતા
શું બોલ્યા ગોપાલ ઇટાલીયા
ગોપાલ ઇટાલીયા ભાષણમાં બોલ્યા હતા કે એવુ નથી કે ઇસુદાનભાઇને આજે જનતાએ પસંદ કર્યા છે એટલે વખાણ કરવાનો મોકો છે..આજે મારા દિલની વેદના કહું છું..મારા દિલની જે લાગણી છે.....
લાગણી શબ્દના બદલે વેદના શબ્દ બોલી ગયા
ગોપાલ ઇટાલીયા તેમના ભાષણમાં લાગણી શબ્દના બદલે વેદના શબ્દ બોલી ગયા હતા અને તેમના આ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકો કહી રહ્યા હતા કે ગોપાલ ઇટાલીયાની ખરેખર જીભ લપસી છે કે પછી તેમના હૈયાની વાત હોંઠે આવી ગઇ હતી.
જુઓ વિડીયો
Advertisement