વડાપ્રધાનશ્રી આ તારીખે આવશે ગુજરાતના પ્રવાસે, જાણો વધુ
ગુજરાતમાં વિધાનસભાને લઈને પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે.ત્યારે બીજેપીના પ્રચારને વધુ વેગ આપવા વડાપ્રધાનશ્રી મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. તેઓ 30 સપ્ટેમ્બરે થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટની મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે.
30મી તારીખે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જનસભા યોજાય તેવી શક્યતા છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. વડાપ્રધાનશ્રી મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત વડાપ્રધાનશ્રી મોદી પખવાડિયામાં બે વખત રાજકોટ આવી શકે છે. કાર્યકરો-નેતાઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. વડાપ્રધાનના હસ્તે રાજકોટમાં અનેક સ્થળો ઉપર નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત જામકંડોરણામાં જાહેરસભા યોજાઇ તેવી શક્યતાઓ છે.