ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી ટાણે રાહુલ ગાંધી કેરળમાં વ્યસ્ત - પ્રંશાત કિશોર
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે, જોકે ગુજરાતમાં 27 વર્ષથી બીજેપી સત્તા પર રહી રાજ કરી રહી છે અને હિમાચલ પ્રદેશમાં પણ બીજેપી સત્તા પર છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પર સૌ કોઈની નજર મંડરાઈ છે. ચાલુ વર્ષે પંજાબમાં સરકાર બનાવ્યા પછી ઉત્સાહમાં આવેલ આમ આદમી પાર્ટી 'આપ' ગુજરાતની ચૂંટણીઓમાં ઝંપ લાવી છે. આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિકોણીય જàª
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે, જોકે ગુજરાતમાં 27 વર્ષથી બીજેપી સત્તા પર રહી રાજ કરી રહી છે અને હિમાચલ પ્રદેશમાં પણ બીજેપી સત્તા પર છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પર સૌ કોઈની નજર મંડરાઈ છે. ચાલુ વર્ષે પંજાબમાં સરકાર બનાવ્યા પછી ઉત્સાહમાં આવેલ આમ આદમી પાર્ટી 'આપ' ગુજરાતની ચૂંટણીઓમાં ઝંપ લાવી છે.
આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે. આ વચ્ચે બંને રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે? તે જોવાનું રહ્યું. ચૂંટણીઓને લઈને ચૂંટણી વિશેસજ્ઞ પ્રશાંત કિશોરે મોટો દાવો કર્યો છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને રાજ્યમાં બીજેપીની સરકાર બનશે.
પ્રશાંત કિશોરે કહ્યું છે કે, ગુજરાત અને હિમાચલમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ બીજેપી જીતી સરકાર બનાવશે. પીકેએ આગળ કહ્યું છે કે બંને રાજ્યમાં બીજેપીની હવા ચાલી રહી છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. પરંતુ તેનાથી બીજેપીને કોઈ નુકસાન થશે નહીં. જ્યારે હિમાચલમાં પણ "આપ"ની કોઈ અસર જોવા મળી રહી નથી. પીકેએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે જ્યારે કે કોંગ્રેસ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણીઓને નેવે મૂકી કેરળમાં ભારત જોડો યાત્રા કાઢી રહ્યાં છે.
Advertisement