મોઢેરા સૂર્યમંદિરના અદભૂત લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનો વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રારંભ
ગુજરાતનાં ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગે તે પહેલા સરકારી કામોની ભેટ આપવા માટે ફરીવાર પ્રધાનમંત્રીશ્રી(Narendra bhai Modi)નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે સતત ત્રણ દિવસ સુધી પ્રધાનમંત્રીશ્રી ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ લોકાર્પણ કરશે અને જંગી સભાઓને પણ સંબોધન કરશે. આ પહેલા પીએમ મોદી આવ્યા ત્યારે ભાવનર, અમદાવાદ અને સુરત જેવા ત્રણ મોટા શહેરોને આ યાત્રામાં કવર કરી લીધા હતા. આ વખતે રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં જોડાવાના છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સૌરઊર્જાથી સંચાલિત 3-D મેપિંગ શૉ અને હેરિટેજ લાઈટીંગનું કર્યુ લોકાર્પણ
મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લઈને મંદિરમાં સૌરઊર્જાથી સંચાલિત ૩-ડી મેપિંગ શૉ અને હેરિટેજ લાઈટીંગનું લોકાર્પણ કરતાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો મોઢેરામાં રોડ શો, હજારો લોકો પીએમને જોવા ઉમટ્યા
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો મોઢેશ્વરી માતાના મંદિરથી મોઢેરા સૂર્ય મંદિર સુધી રોડશો યોજાયો. રોડ શો રૂટ પર ઠેર ઠેર માનવ મહેરામણ પીએમની એક ઝલક મેળવવા ઉમટ્યુ છે.
પીએમ પણ તેમનુ અભિવાદન જીલતા હતા ત્યારે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરા સૂર્ય મંદિર પહોંચ્યા છે. અહીં તેમણે સોલાર લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્દઘાટન કર્યુ હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેશ્વરી માતાના કર્યા દર્શન