Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે PM મોદી, 3 દિવસમાં 8 ચૂંટણી સભાઓ સંબોધશે

ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે PMશ્રી મોદી19 નવેમ્બરથી PMશ્રી મોદી કરશે ઝંઝાવાતી પ્રચાર3 દિવસમાં 8 ચૂંટણી સભાઓ સંબોધશે PMશ્રી મોદીમતદાન સુધીમાં 150 બેઠકને પ્રચારમાં આવરી લેવાશેવડાપ્રધાનશ્રીના કાર્યક્રમને લઈ તૈયારી પૂરજોશમાં19 નવેમ્બરે વલસાડ,વાપીમાં રોડ શો અને જનસભા20 નવેમ્બરે વેરાવળ,ધોરાજી,અમરેલી,બોટાદમાં સભા21 નવેમ્બરે સુરેન્દ્રનગર,જંબુસર,નવસારીમાં સભાગુજરાતમાં વિધાનસભાની ચ
ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે pm મોદી  3 દિવસમાં 8 ચૂંટણી સભાઓ સંબોધશે
  • ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે PMશ્રી મોદી
  • 19 નવેમ્બરથી PMશ્રી મોદી કરશે ઝંઝાવાતી પ્રચાર
  • 3 દિવસમાં 8 ચૂંટણી સભાઓ સંબોધશે PMશ્રી મોદી
  • મતદાન સુધીમાં 150 બેઠકને પ્રચારમાં આવરી લેવાશે
  • વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને લઈ તૈયારી પૂરજોશમાં
  • 19 નવેમ્બરે વલસાડ,વાપીમાં રોડ શો અને જનસભા
  • 20 નવેમ્બરે વેરાવળ,ધોરાજી,અમરેલી,બોટાદમાં સભા
  • 21 નવેમ્બરે સુરેન્દ્રનગર,જંબુસર,નવસારીમાં સભા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષના દિગ્ગજ નેતાઓ હવે ધીમે ધીમે મેદાને ઉતરી રહ્યા છે. આજે બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. વળી પ્રથમ તબક્કામાં ફોર્મ પરત ખેંચવાનો પણ આજે અંતિમ દિવસ છે. આજે તમામ પાર્ટીના કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેેંચે છે કે નહીં તે ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આ સ્પષ્ટ થયા બાદ ચૂંટણીના પ્રચારનો સમય આવસે. જેમા તમામ પાર્ટીઓ પૂરું જોર લગાવી પ્રચાર પ્રસાર કરશે. આ કડીમાં વડાપ્રધાન મોદી પણ ગુજરાત આવી પ્રચારની કમાન સંભાળશે.
વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને લઈ તૈયારી પૂરજોશમાં
રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની 89 બેઠકનું મતદાન થશે, જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન થવાનું છે. આ પહેલા ભાજપે રાજ્યમાં જનતાને પોતાના 27 વર્ષના શાસનને યાદ કરાવતા પ્રચાર શરૂ કરશે. આ વખતે ગુજરાતમાં પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન મોદી સંભાળવાના છે. તેઓ 19 નવેમ્બરથી ઝંઝાવાતી પ્રચારની શરૂઆત કરવાના છે. તેઓ 3 દિવસમાં 8 ચૂંટણી સભાઓ સંબોધવાના છે. મળી રહેલી માહિતી મુજબ, મતદાન સુધીમાં 150 બેઠકને પ્રચારમાં આવરી લેવામાં આવશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઇને ઠેર ઠેર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેઓ સૌ પ્રથમ 19 નવેમ્બરે વલસાડ, વાપીમાં રોડ શો અને જનસભા કરશે. ત્યારબાદ 20 નવેમ્બરના રોજ તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં સભાને સંબોધશે. જે પછી તેઓ 21 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર, જંબુસર. નવસારીમાં સભા સંબોધશે.
ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપ તેની તૈયારીઓમાં કોઈ કસર છોડી રહી નથી. પાર્ટીના સ્ટાર પ્રચારકોએ રેલીઓ યોજવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં ગુજરાતમાં રેલી પણ કરશે. સ્પષ્ટ છે કે, ભાજપ સત્તામાં પાછા ફરવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. ભાજપના એક સૂત્રએ જણાવ્યું કે, વડાપ્રધાનની રેલીઓ અને રોડ શોનો વિગતવાર કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. PM G20 સમિટ માટે દેશની બહાર હોવાથી, પાર્ટી મંજૂરી મેળવવા અને રેલીના સ્થળોને અંતિમ રૂપ આપવા માટે તેમના પરત ફરવાની રાહ જોઈ રહી હતી. વળી આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતમાં તેના 27 વર્ષના શાસન દરમિયાન "તુષ્ટિકરણની રાજનીતિ" સમાપ્ત કરી અને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. શાહે આરોપ લગાવ્યો કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને કોંગ્રેસ ભાજપ અને તેના કાર્યકર્તાઓની મજાક ઉડાવતી હતી. તેમણે રાહુલ ગાંધીને મંદિરની મુલાકાત લેવા પણ કહ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.