શું AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોય શકે છે મેધા પાટકર?
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઓપ ઈન્ડિયા અને ફર્સ્ટ પોસ્ટના હવાલેથી મોટી ખબર મળી રહી છે. શું AAPના CM પદના ઉમેદવાર હોય શકે છે મેધા પાટકર? શું મેધા પાટકર બનશે ગુજરાતમાં AAPનો ચહેરો?ઓપ ઈન્ડિયા ગુજરાતીએ લખ્યું છે નેટિઝન્સમાં આ પ્રકારની ચર્ચા છે. ફર્સ્ટપોસ્ટનો રિપોર્ટ પણ આ જ પ્રકારનો છે. મેધા પાટકરને CMપદના ઉમેદવાર બનાવાશે તેવો ફર્સ્ટપોસ્ટનો અહેવાલ છે. બંન્ને ન્
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઓપ ઈન્ડિયા અને ફર્સ્ટ પોસ્ટના હવાલેથી મોટી ખબર મળી રહી છે. શું AAPના CM પદના ઉમેદવાર હોય શકે છે મેધા પાટકર? શું મેધા પાટકર બનશે ગુજરાતમાં AAPનો ચહેરો?
ઓપ ઈન્ડિયા ગુજરાતીએ લખ્યું છે નેટિઝન્સમાં આ પ્રકારની ચર્ચા છે. ફર્સ્ટપોસ્ટનો રિપોર્ટ પણ આ જ પ્રકારનો છે. મેધા પાટકરને CMપદના ઉમેદવાર બનાવાશે તેવો ફર્સ્ટપોસ્ટનો અહેવાલ છે. બંન્ને ન્યૂઝ માધ્યના અહેવાલ વાયરલ થઈ રહ્યાં છે. જોકે આ અંગે આમ આદમી પાર્ટીએ (AAP) કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.
બીજી બાજુ આવો નિર્ણય આમ આદમી પાર્ટી (AAP) માટે ઘાતક હોવાનું રાજકીય વિશ્લેશકોનો મત છે નર્મદા યોજનાના વિરોધ માટે જાણીતા છે મેધા પાટકર! ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે, શું ગુજરાત વિરોધીઓ પર AAP ભરોસો કરશે? શું કેજરીવાલ પોતના પગ પર કુહાડો મારશે? શું ગુજરાત વિરોધી ગેંગના લીડર આપના CM ઉમેદવાર? જેમણે ગુજરાતના વિકાસકાર્યમાં રોડા નાખ્યાં તે હશે AAPનો ચહેરો? મેધા પાટકર અને તીસ્તા સેતલવાડ પર AAPના કેમ આશીર્વાદ? શું ગુજરાત વિરોધીને ગુજરાતની ખમીરવંતી જનતા આવકારશે? શું અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓના ખમીરને નથી જાણતા?
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કચ્છમાં મુખ્યમંત્રીશ્રીએ આકરા વલણમાં મેઘા પાટકરને અર્બન નક્સલ કહી ચુક્યા છે.
Advertisement