ગઝલ ગાયક મનહર ઉધાસ સહિતના કલાકારો ભાજપમાં જોડાયા
ગુજરાત ભાજપ સૂરમયી બન્યું છે. જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ સહિત ગુજરાતના જાણીતા કલાકારો અને ગાયકો ગાંધીનગરમાં મંગળવારે વિધીવત રીતે ભાજપમાં જોડાયા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મંગળવારે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ હાજર રહ્યા હતા. દેશ અને રાજ્યના જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ ઉપરાંત મ્યુઝીક ડિરેક્ટર મૌલિક મહેતા તથા મોસમ મહેતા, પાયલ શàª
12:08 PM Aug 02, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત ભાજપ સૂરમયી બન્યું છે. જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ સહિત ગુજરાતના જાણીતા કલાકારો અને ગાયકો ગાંધીનગરમાં મંગળવારે વિધીવત રીતે ભાજપમાં જોડાયા હતા.
ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મંગળવારે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ હાજર રહ્યા હતા. દેશ અને રાજ્યના જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ ઉપરાંત મ્યુઝીક ડિરેક્ટર મૌલિક મહેતા તથા મોસમ મહેતા, પાયલ શાહ અને મલકા મહેતા ભાજપમાં જોડાયા હતા.
આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ એક્ટર સુનિલ વિસરાની,કાર્તિક દવે,યશ બારોટ અને આશિષ કૃપાલા પણ ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ દિગ્ગજ કલાકારોને ભાજપમાં ખેસ પહેરાવીને પ્રવેશ કરાવ્યો હતો.
કમલમ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મનહર ઉધાસના ગઝલ આલ્બમનું પણ વિમોચન કર્યું હતું.
રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. ભાજપ પણ બૂથ લેવલથી જ ચૂંટણી પ્રચારમાં લાગી ગયું છે.
Next Article