Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ પર પોલીસે લગાવ્યા ગંભીર આરોપ

ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં ફર્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ...
તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ પર પોલીસે લગાવ્યા ગંભીર આરોપ

ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં ફર્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.

Advertisement

કોણ છે શિવુભા ગોહિલ અને તેમના પર લગાવેલા આરોપો નીચે પ્રમાણે છે

Advertisement

  • યુવરાજસિંહના સાળા છે શિવુભા ગોહિલ
  • ભાવનગરના વિક્ટોરીયા પ્રાઈમ કોમ્પ્લેક્ષમાં શિવુભાની ઓફિસ આવેલી છે.
  • પોલીસ FIR મુજબ શિવુભાની ઓફિસે પૈસા માટે બેઠક થઈ હતી તેવું જણાવ્યું છે.
  • પ્રકાશકુમાર બારૈયા તથા પ્રદીપ બારૈયા પાસેથી પૈસા કઢાવવા ઓફિસે બેઠકો થઈ હતી.
  • 28 માર્ચના પીકેની મેટરમાં ફાઈનલ મીટિંગ શિવુભાની ઓફિસે થઈ હતી.
  • 30 માર્ચના પ્રદીપ બારૈયા માટેની મીટિંગ પણ શિવુભાની ઓફિસે જ થઈ હતી.
  • શિવુભાએ ઓફિસના DVR ડિલીટ માર્યા હોવાનો પોલીસે આરોપ કર્યો છે.
  • કોમ્પલેક્ષના CCTVના રેકોર્ડિંગ ડિલીટ કરી 3 વાર ફોર્મેટ માર્યાનો આરોપ પણ તેમના પર લગાવવામાં આવ્યો છે.
  • પોલીસે ડિલીટ કરાયેલા DVR રિકવર કર્યા છે.
  • શિવુભાએ બિપીન અને ઘનશ્યામને તોડની રકમમાંથી 10% રકમ આપ્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : તોડકાંડ કેસમાં વધુ એક વળાંક, યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર

Advertisement
Tags :
Advertisement

.