શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાનું વિષેશ મહત્વ
અહેવાલ - મુકેશ જોષી, મહેસાણા
શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના દિવસે નવીન ધજા ચડાવવામાં આવી.વર્ષમાં માત્ર એક દિવસ દશેરાના દિવસે જ ધજા બદલવાની ગાયકવાડી પ્રણાલી આજે પણ જીવંત જોવા મળી રહી છે.
દશેરાના દિવસે જ ધજા બદલવાની ગાયકવાડ સરકાર સમયની પ્રણાલી
શક્તિપીઠ બહુચરાજીમાં ગાયકવાડ સરકારને અતૂટ શ્રદ્ધા સંકળાયેલી હતી.ગાયકવાડ સરકાર વખતની અનેક પરંપરા આજે પણ અહીં જીવંત જોવા મળી રહી છે.જેમાંની એક પ્રણાલી વર્ષે દશેરાના દિવસે માતાજીના મુખ્ય શિખર સાથે અન્ય મંદિરોના શિખરો પર ધજા બદલવાની પ્રણાલી આજે પણ જીવંત જોવા મળી રહી છે.
મંદિરમાં દરેક શિખર ઉપર ધજા ચડાવવા અલગ અલગ જ્ઞાતિના લોકોને અધિકાર
માતાજીના મુખ્ય મંદિર સહિત અન્ય મંદિરોના શિખર પર ધજા બદલવામાં અનેક પરિવારો નો સહયોગ વર્ષોથી રહ્યો છે.દરેક પરિવારને અલગ અલગ શિખર ઉપર ધજા ચડાવવાનો અધિકાર મળેલો છે. જેમાં મુખ્ય શિખર ઉપર મંદિર વહીવટી વિભાગ,વરખડી મંદીર શિખર ઉપર દવે પરિવાર,મધ્ય સ્થાન ઉપર બહુચરાજી દરજી પરિવાર અને પાલખી ઘુમટ ઉપર ખત્રી પરિવાર અને મધ્ય શિખર અને નરેશાંગ વીર મંદિર ઉપર જોષી પરિવાર ગાયકવાડ સરકાર વખતથી ધજા ચડાવવા માટે અધિકાર પામેલ છે.આમ તમામ શિખર ઉપર આજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને પૂજા અર્ચના કરી નવીન ધજા આજે પવિત્ર ધજા ચડાવવામાં આવી હતી.
આ પણ વાંચો - Surat: : દશેરાના તહેવારે 2 હજાર ફોર વ્હીલર અને 5 હજાર ટુ વ્હીલરની ખરીદી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે