Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના આ સ્થળે આવેલી છે રાજ્યની પ્રથમ નંદીશાળા, નિરાધાર નંદીઓને આપાય છે આશ્રય

રાજ્યમાં રખડતી ભટકતી ગાયો માટે ગૌશાળા અને પાંજરાપોળ તો સંખ્યાબધ છે. પરંતુ નંદીઓ માટે કોઈ આશ્રય સ્થાન નથી, ત્યારે ગુજરાતની પ્રથમ નંદિશાળા જે કચ્છના અંજારમાં આવેલી છે. અહીં હાલમાં 675 નંદીઓનો નિભાવ કરવામાં આવે છે. અહીં ટેકરી પર નંદી મંદિર...
ગુજરાતના આ સ્થળે આવેલી છે રાજ્યની પ્રથમ નંદીશાળા  નિરાધાર નંદીઓને આપાય છે આશ્રય

રાજ્યમાં રખડતી ભટકતી ગાયો માટે ગૌશાળા અને પાંજરાપોળ તો સંખ્યાબધ છે. પરંતુ નંદીઓ માટે કોઈ આશ્રય સ્થાન નથી, ત્યારે ગુજરાતની પ્રથમ નંદિશાળા જે કચ્છના અંજારમાં આવેલી છે. અહીં હાલમાં 675 નંદીઓનો નિભાવ કરવામાં આવે છે. અહીં ટેકરી પર નંદી મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં એક નંદીને રાખીને તેની પૂજા કરવામાં આવે છે.સવાર સાંજ આરતી પૂજન કરવામાં આવે છે.

Advertisement

100થી વધુ ગૌવંશનુંઆશ્રય સ્થાન

Advertisement

સુંદર વૃક્ષોની છાયામાં આ નંદીશાળા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ નંદીશાળામાં દર વર્ષે સુવિધામાં વધારો થતો જોવા મળે છે. કચ્છ જિલ્લાના અંજારમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે સંવેદના ગ્રુપના સહયોગથી નંદિશાળા શરૂ કરી છે. ખાસ તો અહીં 100થી વધુ ગૌવંશ આશ્રય લઈ રહ્યા છે. જેમાં કુલ 675 જેટલા નંદીઓની અહી સંભાળ લેવામાં આવે છે. અંજાર ઉપરાંત હવે ગાંધીધામના નંદીઓને પણ રાખવામાં આવે છે,શીક્ષિત વર્ગના 25થી 30 ગોવાળિયા દરરોજ અહીં આવી નંદીની સારવાર સાથે સંભાળ રાખે છે.

Advertisement

નંદીઓ નિભાવ થાય છે

મહંત ત્રિકમદાસજી મહારાજ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 26.8.2019 શ્રાવણ વદ દસમના નંદીશાળાની શરૂઆત કરવામાં આવી હતી, નંદીએ ભગવાન શિવનું વાહન છે. પરંતુ લોકો તેનો તિરસ્કાર કરતા હોય છે પણ અહીં નંદીઓનો નિભાવ કરવામાં આવે છે અહીં અંજાર, આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાંથી રખડતા ભટકતા નદીઓને આશ્રય આપવામાં આવે છે. એટલું જ નહીં અહીં આવેલા શેડમાં શુધ્ધ વાતાવરણ વચ્ચે અને સંગીતના સુર રેલાય તેવા વાતાવરણ વચ્ચે દરરોજ નિયમિત નિરણ, ખોળ, તેમજ મીઠાઈ આપવામાં આવે છે.

પક્ષીઓ માટે પણ આશ્રય સ્થાન

આ ઉપરાંત કેરીની સીઝનમાં કેરી ખવડાવવામાં આવે છે. દરરોજ 160 મણ ઘાસ આપવામાં આવે છે, અહીં નંદીઓને રાખવા માટે ટોટલ પાંચ શેડ ઉપલબ્ધ છે. આ શેડની ઉપરના ભાગે માટલીઓ રાખવામાં આવી છે આ માટલીઓમાં પક્ષીઓ માળા બનાવીને રહે છે. એક ઘાસચારા માટે સેડ બનાવવામાં આવ્યો છે જેમાં 12 મહિના સુધી ઘાસ સંગ્રહ કરી શકાય તે રીતની વ્યવસ્થા છે. અહીંના પરિસરમાં પક્ષીઓ માટે ચબુતરો બનાવવામાં આવ્યો છે જ્યાં પક્ષીઓ વિચરતા જોવા મળે છે.

નંદિશાળા એક ઉદાહરણ

આ ઉપરાંત અહીં RO દ્વારા પાણીનું પરબ છે, નોંધનીય વાત એ છે કે અહીં નંદી આશ્રય લીધા બાદ તેઓ તોફાની નહિ પણ શાંત મને વિચરતા જોવા મળે છે. આ નંદિશાળા એક ઉદાહરણરૂપ છે. અંજાર ઉપરાંત ભુજ તાલુકાના ચપરેડીમાં એક નંદીશાળા આવેલી છે જેનું સંચાલન પણ મહારાજ દ્વારા કરવામાં આવે છે.

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

આ પણ વાંચો : અમદાવાદનું ઓળખસમુ સુંદર તળાવ હવે મસમોટા ઉંદરોનું બન્યું ઘર..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.