ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surendranagar: દેદાદરા ગામમાં પ્રસાદ ખાધા બાદ 30 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં થઈ જોવા જેવી....

પ્રસાદી લીધા બાદ 30થી વધુ લોકોની તબિયત લથડી 30 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ દાખલ કરાયા ફૂડ પોઈઝનિંગની જાણ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું Surendranagar: સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં પ્રસાદ લીધા પછી 30 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ...
10:41 PM Oct 10, 2024 IST | VIMAL PRAJAPATI
food poisoning case, Surendranagar
  1. પ્રસાદી લીધા બાદ 30થી વધુ લોકોની તબિયત લથડી
  2. 30 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ દાખલ કરાયા
  3. ફૂડ પોઈઝનિંગની જાણ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

Surendranagar: સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં પ્રસાદ લીધા પછી 30 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે. આ બનાવમાં પ્રસાદ સેવવા બાદ ઘણા લોકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી, જેમાં ઝાડા-ઉલ્ટી અને અન્ય તબિયતી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે, લોકોની હાલત બગડતા તમામ લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં સેન્ટ્રલ GST અધિકારી મોહંમદ રિઝવાન શેખ 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો

30 થી વધુ લોકો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં

આ મામલે સ્થાનિકોએ આપેલી વિગતો પ્રમાણે પ્રસાદ ખાધા પછી પોઇઝનિંગના કારણે 30 થી વધુ લોકો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર (Surendranagar)ની સિવિલ હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગના દર્દીઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ઘણા દર્દીઓને સમયસર સારવાર આપવામાં ન આવતા હોબાળો થયો. દર્દીઓના પરિવારજનોની ચિંતા વધી ગઈ હતી, જેને કારણે હોસ્પિટલમાં ભારે ભારે તબક્કો આવ્યો.

આ પણ વાંચો: Gujarat Rain Update: આજે રાત્રે વરસાદ પડશે કે નહીં? જાણો સંપૂર્ણ અને સચોટ માહિતી

આરોગ્ય અધિકારીઓ પ્રસાદના નમૂનાઓને ચકાસવા માટે લઈ ગયા

નોંધનીય છે કે, સુરેન્દ્રનગર (Surendranagar)ની દેદાદરા, કોઠારીયા, વઢવાણ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફૂડ પોંઇઝિંગની અસરના દર્દીઓને કલાકો સુધી સારવાર ન આપવામાં આવતા હોબાળો થયો હતો. જો કે, આ બનાવની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ દેદાદરા ગામમાં દોડી આવી હતી. આરોગ્ય અધિકારીઓએ પ્રસાદના નમૂનાઓને ચકાસવા માટે લઈ ગયા છે, જેથી તેઓ આ ઘટનાનો મૂળ કારણ જાણી શકાય અને કાર્યવાહી કરી શકાય. આવી ઘટનાઓને અટકાવવા માટે યોગ્ય પગલાં ભરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આ રીતેના કિસ્સાઓ ન સર્જાય.

આ પણ વાંચો: Amreli: ‘ભાજપના જ નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણી’ કથિત દુષ્કર્મને લઈને જેની ઠુમ્મરનો મોટો આરોપ

Tags :
bridge collapsed surendranagarfood poisoningFood poisoning Casefood poisoning newsfood poisoning SurendranagarGujarati NewsSurendranagarVimal Prajapati
Next Article