SURAT : PM મોદીના ભવ્ય સ્વાગતની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી, સ્વાગત માટે 5 હજાર જેટલા ભાજપના કાર્યકરો પણ રહેશે હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં સુરતના પ્રવાસે છે. આજે સુરત ખાતે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. PM મોદીના ભવ્ય સ્વાગતની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી છે. વિવિધ 6 પોઈન્ટ ઉપર વડાપ્રધાન મોદીનું કરવામાં આવનાર છે. PM મોદીના સ્વાગત માટે 5 હજાર જેટલા ભાજપના કાર્યકરો હાજર રહેવાના છે. વધુમાં PM મોદીના આવકાર માટે મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ જોડાવવાના છે.
PM મોદી આજે સુરત ખાતે એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. PM નરેન્દ્ર મોદી સવારે 10:45 કલાકે, વડાપ્રધાન સુરત એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. સવારે લગભગ 11:15 વાગ્યે, વડાપ્રધાન સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ વારાણસી જવા માટે રવાના થશે.
આ રીતે રહેશે PM મોદીનો કાર્યક્રમ
10.20 - સુરત એરપોર્ટ ખાતે આગમન.
10.25 - સુરત એરપોર્ટ થી મોટર માર્ગે ટર્મિનલ બિલ્ડીંગ સુરત એરપોર્ટ જવા રવાના.
10.30-10.45 - ટર્મિનલ બિલ્ડીંગ સુરત એરપોર્ટ ખાતે આગમન અને ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી
10.45- કાર્યક્રમ પૂર્ણ કરી મોટર માર્ગે સુરત ડાયમંડ બુર્સ જવા રવાના થશે.
11.00/12.30- સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન તથા કાર્યક્રમમાં હાજરી.
12.35 - કાર્યક્રમ પુર્ણ કરી મોટર માર્ગે સુરત એરપોર્ટ જવા રવાના
વડાપ્રધાન સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે
PM મોદી આજે સવારે 10:45 કલાકે સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે, અને તેમાં પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે અને વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ પેસેન્જર્સ સુધી પહોંચી શકે છે.
બિલ્ડીંગને સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઇ છે
ટર્મિનલ બિલ્ડીંગ, કારણ કે તે સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે કે જેનું સાર આંતરિક અને બાહ્ય બંને રીતે પ્રતિબિંબિત થવું જોઈએ, જે મુલાકાતીઓ માટે સ્થળની ભાવના બનાવે છે.
PM મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ - સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે
સુરત શહેર આજે એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે આજે સજ્જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ - સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરનાર છે.
ડાયમંડ બુર્સમાં 65,000 થી વધુ ડાયમંડ પ્રોફેશનલ્સ એકસાથે કામ કરી શકશે
સુરત ભારતમાં ડાયમંડ સિટિ તરીકે જાણીતું છે. સુરતમાં વિશ્વના 90% હીરા કાપવામાં આવે છે. નવા બનેલા સુરત ડાયમંડ બોર્સમાં 65,000 થી વધુ ડાયમંડ પ્રોફેશનલ્સ એકસાથે કામ કરી શકશે. આ 15 માળની ઇમારત 35 એકર જમીનમાં ફેલાયેલી છે. આ ભવ્ય ઈમારતનું નિર્માણ કરનાર કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં 7.1 મિલિયન ચોરસ ફૂટથી વધુ ફ્લોર સ્પેસ છે. બિલ્ડિંગનું બાંધકામ ચાર વર્ષમાં પૂર્ણ થયું હતું.અને તે વેપારીઓને મુંબઈ જવું નહીં પડે.
આ પણ વાંચો -- UN : આતંકવાદ મુદ્દે ભારતે પાકિસ્તાનને ઠપકો આપ્યો, કહ્યું- શું તમે જાણો છો કે ડ્રોનથી હથિયારોની દાણચોરી કોણ કરે છે ?