Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

State level celebration of Independence Day -ખેડા(નડિયાદ) ખાતે ઉજવાશે

State level celebration of Independence Day નિમિત્તે નડિયાદમાં ૧૫૦ રાઉન્ડ ગોળીબાર કરી પોલીસ રાષ્ટ્રધ્વજને આપશે સન્માન નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય દિનના રાજ્ય ઉત્સવની પરેડમાં વોલી ફાયરિંગનું આકર્ષણ State level celebration of Independence Day રાજ્ય કક્ષાના ઇઠ્ઠોતેરમા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો ધમધમાટ...
state level celebration of independence day  ખેડા નડિયાદ  ખાતે ઉજવાશે
Advertisement
  • State level celebration of Independence Day નિમિત્તે નડિયાદમાં ૧૫૦ રાઉન્ડ ગોળીબાર કરી પોલીસ રાષ્ટ્રધ્વજને આપશે સન્માન
  • નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય દિનના રાજ્ય ઉત્સવની પરેડમાં વોલી ફાયરિંગનું આકર્ષણ

State level celebration of Independence Day રાજ્ય કક્ષાના ઇઠ્ઠોતેરમા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો ધમધમાટ ખેડા જિલ્લાના નડિયાદમાં શરૂ થઇ ગયો છે. દેશની આઝાદીના આ  અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે. સ્વાતંત્ર્ય દિને પોલીસ તંત્ર દ્વારા ૧૫૦ રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સલામી આપવામાં આવશે.

વોલી ફાયરિંગનું આયોજન 

Advertisement

સ્વાતંત્ર્ય દિનની પરેડના નોડલ અધિકારી એવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ પરમારે કેટલીક રસપ્રદ માહિતી  આપતા જણાવ્યું હતું કે, ૭૮મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં volley firing કરવામાં આવશે. જેને ગુજરાતીમાં હર્ષધ્વની તરીકે પણ ઓળખવામાં આવે છે.

Advertisement

વોલી ફાયરિંગ મૂલઃ તિરબાજોની એક પ્રકારની યુદ્ધની રણનીતિ છે. વોલી શબ્દ લેટિન શબ્દ વોલર ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ ઉડવું એવો થાય છે. એવું માનવામાં આવે છે કે વોલી ફાયરિંગ યુદ્ધનીતિ ગ્રિકો દ્વારા ઉપયોગમાં આવતી હતી.

હરીફો ઉપર એક ટ્રુપ દ્વારા વારાફરતી વારંવાર બાણવર્ષા કરવામાં આવે છે. જેથી દુશ્મનો ઉપર રીતસર બાણનો વરસાદ થઇ જાય. બાદમાં દારૂગોળાની શોધ થઇ. એટલે, વોલી ફાયરિંગ તોપ સાથે જોડાઇ ગયું. ભારતમાં આ પરંપરા અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દાખલ થઇ. 

અંગ્રેજોએ ભારતના રજવાડાઓને તેના રાજ્યના કદના આધારે તોપોની સલામી આપવાનું નિયત કર્યું હતું. કોઇ રાજાને પાંચ તોપની તો કોઇ રાજાને ૨૧ તોપની સલામી આપવામાં આવતી હતી. એટલે અંગ્રેજી અમલદારો તોપો ફોડીને રાજાઓ પ્રત્યે સન્માન અને હર્ષની લાગણી વ્યક્ત કરતા હતા. હવે, આ જ પરંપરા સુરક્ષા જવાનોએ તિરંગાની શાનને કેન્દ્રમાં બરકરાર રાખી છે.

નડિયાદ ખાતે રાજ્ય મહોત્સવની ઉજવણી

આપણે સારી રીતે જાણીએ છીએ કે PM વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક તથા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પાટનગર ગાંધીનગરથી બહાર રાજ્યના જિલ્લા મથકોએ ઉજવણી કરવાની પહેલ કરી હતી. તે પહેલના ભાગરૂપે નડિયાદમાં વર્ષ - ૨૦૧૧ બાદ બીજી વખત રાજ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે.

સર્વોચ્ચ માન આપવાની અનોખી પ્રથા 

 તા.૧૫ ઓગસ્ટના રોજ એસ.આર.પી.ગ્રાઉન્ડમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભાગ લઇ રહેલી ૧૯ પૈકી એક પ્લાટૂન વોલી ફાયરિંગની પણ છે. જેમાં ૩૦ જેટલા પોલીસ જવાન જોડાયા છે. જે હર્ષધ્વની કરવાના છે.

તિરંગાને સલામી અપાયા બાદ આ જવાનો ઈન્સાસ રાયફલ દ્વારા ફાયરિંગ કરી રાષ્ટ્રધ્વજને સન્માન આપશે. કોઇના પ્રત્યે સર્વોચ્ચ માન આપવાની આ પ્રથા અનોખી છે. નડિયાદમાં  લગભગ ૧૫૦ રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સન્માન આપવામાં આવશે.

આ પણ વાંચો- ‘હર ઘર તિરંગા’ અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે, રમતગમત અને યુવક સેવા મંત્રીએ કરી જાહેરાત

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

featured-img
ગુજરાત

VADODARA : આરોપીના રિમાન્ડમાં ગેરકાયદે સીરપ-ટેબ્લેટનું ગોડાઉનનું પગેરૂં ઝડપાયું

featured-img
ગુજરાત

VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યોરીટી સ્ટાફની ધૂલાઇ

featured-img
ગુજરાત

VADODARA : 'છોટી છત બડે અરમાન' થીમ પર વિવિધતાથી ભરપૂર પક્ષીઘર બનાવ્યા

featured-img
ગુજરાત

VADODARA : 'ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત ચૂંટણીમાં પડે'- ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

featured-img
Top News

Ahmedabad : શ્રી અસ્ટ મંગલ મહાદેવ મંદિર ખાતે દિવ્યાંગ સહાયતા શિબિર યોજાઈ

×

Live Tv

Trending News

.

×