અંબાજી માન સરોવર ખાતે સમી પૂજન કરવામાં આવ્યું,વર્ષોથી ચાલતી પરંપરા
અહેવાલ - શક્તિસિંહ રાજપૂત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.તાજેતર માં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રીતે પુર્ણ થયો છે, ત્યારે આજે દશેરા નિમિત્તે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની અધ્યક્ષતામાં સમી પૂજન કરવામાં આવ્યું હતું.
અંબાજી મંદિરથી ભટ્ટજી મહારાજ અને ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણપુરી સહિત મંદિર સ્ટાફ અને મહારાજ દ્વારા માન સરોવર ખાતે આવીને સમીના ઝાડ નીચે મંદિરનાં શસ્ત્રો અને હથિયારનું સમી પૂજન કરવામાં આવ્યું હતું.આ વિધી વર્ષ મા એકવાર કરવામા આવે છે.અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે વર્ષો પહેલા પાંડવોએ પોતાના શસ્ત્રો અજ્ઞાતવાસમાં સમીના ઝાડમાં છુપાવ્યા હતા અને ત્યારબાદ પાંડવોએ કૌરવોને હરાવ્યા હતા.
અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ તરીકે તન્મયભાઈ ઠાકર હાલમાં માતાજીની સેવા પૂજા કરી રહ્યા છે.તેમને સમી પૂજન બાદ જણાવ્યુ હતુ કે વર્ષો પહેલાં આ વૃક્ષમાં પાંડવોએ જે વૃક્ષો છુપાવ્યા હતા.અને ત્યારબાદ પાંડવોએ કૌરવોને હરાવ્યા હતા.એટલે આ વૃક્ષનું મહત્ત્વ ઘણુ છે.દશેરાને અસત્ય પર સત્યની જીત તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો – Gondal: કોલેજચોક સંગ્રામસિંહજી ગ્રાઉન્ડમાં 51 ફૂટના રાવણના પૂતળાનું દહન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ