ગોંડલના ક્ષત્રિય આગેવાનો જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા વચ્ચે સમાધાન
ગોંડલ (Gondal) ના ક્ષત્રિય આગેવાનો જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જો કે હજુ સુધી રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે હજુ પણ જૂથવાદ યથાવત હોવાની માહિતી મળી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો પૂર્ણ રાજકોટ જિલ્લાના ગોંડલના ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો પૂર્ણ થયો àª
ગોંડલ (Gondal) ના ક્ષત્રિય આગેવાનો જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જો કે હજુ સુધી રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે હજુ પણ જૂથવાદ યથાવત હોવાની માહિતી મળી છે.
ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો પૂર્ણ
રાજકોટ જિલ્લાના ગોંડલના ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો પૂર્ણ થયો છે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું હોવાની માહિતી મળી રહી છે. આ સાથે જ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું છે. સમાધાન થયા બાદ સહદેવસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું હતું કે, ચૂંટણી સમયે પક્ષ વિરોધી કોઈ પ્રવૃત્તિ ન કરી હોવાથી બંને વચ્ચે સમાધાન થયું છે.
રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન નહીં
મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણી બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથેની બેઠકમાં આ સમાધાન થયું છે. જો કે હજુ સુધી રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે હજુ પણ જૂથવાદ યથાવત હોવાની માહિતી મળી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement