Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Nyari Dam accident: ગુજરાત ફર્સ્ટના અહેવાલે ખોલી પોલીસની પોલ, પીડિતને મળ્યો ન્યાય

રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર થયેલા એક ગંભીર અકસ્માતના મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ફરી એકવાર પીડિતોનો અવાજ બન્યું છે.
rajkot nyari dam accident  ગુજરાત ફર્સ્ટના અહેવાલે ખોલી પોલીસની પોલ  પીડિતને મળ્યો ન્યાય
Advertisement
  • Gujarat First ફરી એકવાર બન્યું પીડિતોનો અવાજ
  • Gujarat First સમક્ષ પોલીસે જ પોતાની ભુલનો સ્વીકાર કર્યો
  • Gujarat Firstએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા
  • રાજકોટના DCP બાંગરવાએ સ્વીકાર્યું કે આરોપી બદલાયા હતા

Rajkot Nyari Dam accident: રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર થયેલા એક ગંભીર અકસ્માતના મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ફરી એકવાર પીડિતોનો અવાજ બન્યું છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આ મામલે કાર્યવાહી તેજ બની છે. જેમાં આખરે ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોલીસે પોતાની ભુલનો સ્વીકાર કર્યો છે અને યોગ્ય કાર્યવાહીની શરૂઆત કરી છે.

શું છે મામલો ?

ગત 21 માર્ચે રાજકોટના ન્યારી ડેમ રોડ પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં પરાગ ગોહેલ નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત સમયે કારમાં બે નબીરા હતા, જેમાંથી એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના વડા રાજુ દવેનો પુત્ર હતો. આ ઘટના બાદ પોલીસે શરૂઆતમાં પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિને આરોપી તરીકે રજૂ કર્યો હતો અને તેને ડ્રાઈવર તરીકે દર્શાવ્યો હતો. પરંતુ, ગુજરાત ફર્સ્ટની તપાસ અને અહેવાલે આ દાવાને ખોટો સાબિત કરી દીધો.

Advertisement

પોલીસનુ નબીરાઓ સાથે સેટિંગ

ઘટના બાદ પીડિત પરિવારે આરોપ લગાવ્યો હતો કે પોલીસે નબીરાઓ સાથે સેટિંગ કરીને ડ્રાઈવરની અદલાબદલી કરી હતી. ખાસ કરીને ભાભા ગેસ્ટ હાઉસના માલિકે પોતાના પુત્રને બચાવવા માટે આવું કારસ્તાન આદર્યું હોવાનું પણ કહેવાયું હતું. પોલીસે યોગ્ય જવાબ ન આપતાં પીડિત પરિવારે રાજકોટ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને અરજી કરી હતી, જેમાં CCTV પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો :  Rajkot : ઉનાળાની શરૂઆત થતા વિવિધ વિસ્તારમાં અત્યારથી "ટેન્કર રાજ" શરૂ

પોલીસે પોતાની ભુલ સ્વીકારી

ન્યારી ડેમ રોડ પર અકસ્માત પ્રકરણમાં નબીરાઓને બચાવવાનું કારસ્તાન હવે ખુલ્લું પડી ગયુ છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સમક્ષ રાજકોટના DCP ઝોન 02 બાંગરવાએ સ્વીકાર્યું કે આરોપી બદલાયા હતા અને પ્રવીણસિંહ જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે અકસ્માત સમયે કાર એક સગીર ચલાવી રહ્યો હતો અને હવે આ સગીર યુવક પર આરોપી તરીકે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે પોલીસે પોતાની શરૂઆતની તપાસમાં થયેલી ગેરરીતિને સ્વીકારી લીધી છે.

અકસ્માત જે ગાડીથી થયો તે ગાડી ભાભા હોટેલના માલિકની હોવાનુ સામે આવ્યુ છે. અકસ્માત દરમિયાન ગાડીમાં કાયદા ભવનના વડાનો પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર સાથે હતા. ત્યારે આ મામલે હવે નબીરાઓની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસની પોલ પણ છતી થઈ ગઈ છે.

આ પણ વાંચો :  Health Workers' Strike : આરોગ્ય વિભાગનું કડક વલણ, રાજકોટમાં અસર, મહિસાગરમાં વિરોધ, વાંચો વિગત

પોલીસ પર નબીરાઓને બચાવવાનો આરોપ

રાજકોટ પોલીસ દ્વારા અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. 21 માર્ચના રોજ ન્યારી ડેમ રોડ પર થયેલ અકસ્માતનો મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. GJ 03 NB 6411 નંબરની વ્હાઇટ કલરની ટાટા નેક્ષોન કારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર નબીરાઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઇવર બદલી નાંખવાનો ખેલ ખેલ્યો હતો.

ડ્રાઇવર બદલતા CCTV ફુટેજ આવ્યા સામે

સમગ્ર ઘટનામાં ડ્રાઇવર બદલતા હોઈ તેવા CCTV ફુટેજ સામે આવ્યા છે. તાલુકા પોલીસે યોગ્ય જવાબ ન આપતા મામલો ગૃહ વિભાગ સુધી પોહોંચ્યો હતો. ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને અરજી કરી હતી, જેમાં સનસનીખેજ આક્ષેપો કર્યા હતા.

ગુજરાત ફર્સ્ટની ભૂમિકા

ગુજરાત ફર્સ્ટે આ મામલે સૌથી પહેલા ડ્રાઈવરની અદલાબદલીના CCTV પુરાવા ચલાવ્યા, જેમાં સ્પષ્ટ થયું કે અકસ્માત સમયે કાર પ્રવીણસિંહ જાડેજા નહીં, પરંતુ એક સગીર યુવક ચલાવી રહ્યો હતો. આ પુરાવાઓના આધારે ગુજરાત ફર્સ્ટે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા અને આ મામલે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવ્યો. ગુજરાત ફર્સ્ટના સતત પ્રયાસો અને અહેવાલોની અસરથી પોલીસે આખરે પોતાની ભૂલ સ્વીકારી અને આગળ યોગ્ય કાર્યવાહીની શરૂઆત કરી.

આ પણ વાંચો :  Dwarka :સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીનો બફાટ, સાધુ સંતોમાં રોષ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

VADODARA : '5 મિનિટમાં પ્લેન ઉડશે, ફોન મુકું છું', આખરી સંવાદ અંતિમ યાદ બન્યો

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 13 June 2025: શુભ યોગ બનવાથી આ રાશિના લોકોને મળશે ખૂબ લાભ

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : બી જે મેડિકલ કોલેજના મેસમાં પ્લેન ક્રેશ, કરુણ દ્ર્શ્યો કેન્ટીનની અંદર અને બહાર, જુઓ ફોટા

featured-img
Top News

Plane Crash મામલે તપાસમાં અમેરિકાની એજન્સી પણ કરશે મદદ!

featured-img
ગુજરાત

Plane crash : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દુર્ઘટના સ્થળનું કર્યું નીરિક્ષણ, આ દુર્ઘટનાથી આખો દેશ દુઃખી: અમિતભાઈ શાહ

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટના અંગે મોટો ધડાકો! સો. મીડિયા પર વાઇરલ થઈ આ પોસ્ટ

Trending News

.

×