Panchmahal: કાલોલમાં સ્કૂલ બસનું નીકળી ગયું ટાયર, મોટી દુર્ઘટના ટળી
- પંચમહાલમાં એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ
- કાલોલમાં સ્કૂલ બસનું નીકળી ગયું ટાયર
- કૃપાલુ વિદ્યામંદિરની સ્કૂલ બસને અકસ્માત
Panchmahal: રાજ્યમાં અનેક શાળાઓમાં બાળકોને લેવા અને મુકવા માટે સ્કૂલ બસો હોય છે. પરંતુ તેમાં અનેક વાર દુર્ઘટનાઓ થતી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, પંચમહાલ (Panchmahal)માં એક મોટી દુર્ઘટના ટળી છે. પંચમહાલ (Panchmahal)ના કાલોલમાં સ્કૂલ બસનું ટાયર નીકળી ગયું હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે, કૃપાલુ વિદ્યામંદિરની સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. બસમાંથી ટાયર નીકળી જતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
School Busનું ટાયર નીકળી ગયું
સદનસીબે મોટી દુર્ઘટના ટળી
શું તંત્ર મોટી દુર્ઘટના બને તેની જ રાહ જોવે છે?- પંચમહાલમાં મોટી દુર્ઘટના ટળી
- કાલોલમાં સ્કૂલ બસનું નીકળી ગયું ટાયર
- કૃપાલુ વિદ્યામંદિરની સ્કૂલ બસને અકસ્માત
- બસમાંથી ટાયર નીકળી જતા અકસ્માત
- ટાયર નીકળી ગયેલી બસનો વીડિયો… pic.twitter.com/TDn3qTCcEX— Gujarat First (@GujaratFirst) August 7, 2024
આ પણ વાંચો: RMC : નિવૃત સીટી ઇજનેર અલ્પના મિત્રાનાં ઘરે ગયેલા ઇજનેરોએ કરી આ દલીલ, રિપોર્ટનાં આધારે કાર્યવાહી
ચાલુ બસે ટાયર નીકળી ગયેલ હોવાનો વીડિયો વાયરલ
નોંધનીય છે કે, ચાલુ બસે ટાયર નીકળી ગયેલ હોવાનો વીડિયો અત્યારે સામે આવ્યો છે. આ ઘટના બનતા બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા હતા. કારણે તેમને અકસ્માતનો ભય લાગવા લાગ્યો હતો. મહત્વની વાત એ છે કે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, જેથી વાલીઓએ અત્યારે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો: High Court : હવે વાહન ચલાવનાર અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત, HC એ કર્યો આદેશ