PM મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે ત્રણ કારીગરોએ ગાંધીનગરમાં રેતી શિલ્પ બનાવ્યું
અહેવાલ - કૌશિક છાયા
કચ્છ માંડવી કલાકારે રેત શિલ્પ બનાવ્યું છે. રેત શિલ્પમાં G-20 અને ચંદ્રયાનની સફળતા સાથે વડાપ્રધાન આબેહૂબ રેત શિલ્પ બનાવ્યું છે. જણાવી દઇએ કે, રેત શિલ્પ બનાવવા 50 ટન દરિયાઈ રેતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રણ કારીગરોએ PM નરેદ્રભાઈ મોદીનું રેત શિલ્પ બનાવ્યુ છે.
આજે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કૃતિ ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે માંડવી કચ્છ ના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કૃતિને લોકો વખાણી રહ્યા છે. મોદીજીના જન્મદિન નિમિત્તે જુદા જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
અગાઉ પણ કચ્છના માંડવી ખાતે રેત શિલ્પ બનાવાયું હતું. ત્યારે પણ મોદીજીએ મુલાકાત લીધી હતી. આ કલાને વધુ પ્રોત્સાહન આપવા માટે જણાવ્યું હતું. આજે આ કળા દેશ વિદેશમાં પહોંચી છે. કચ્છના કારીગરો પણ આ કળા ક્ષેત્રે આગળ આવ્યા છે.
આ પણ વાંચો - ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના પત્નીને ઘરમાં બંધક બનાવી તસ્કરોએ મચાવી લૂંટ
આ પણ વાંચો - PM મોદીના જન્મદિવસ નિમિત્તે થશે ભવ્ય કાર્યક્રમોનું આયોજન : CR Patil
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે