Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

140 વર્ષ જૂનો બ્રિજ 2 કરોડના ખર્ચે રિનોવેશન બાદ માત્ર ચાર દિવસમાં તૂટી પડ્યો

મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થવાની ઘટનામાં અનેક લોકો મોતને ભેટી ચૂકયા છે...તો અનેક લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.. વાત કરીએ આ પુલની તો આ પુલ 140 વર્ષથી પણ વધુ જૂનો હતો. 20 ફેબ્રુઆરી 1879ના રોજ આ પુલનું ઉદઘાટન કરાયુ હતું.. પુલનું ઉદઘાટન ગવર્નર રિચર્ડ ટેમ્પલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુલ બનાવવાનો સામાન તે સમયે ઇંગ્લેંડથી મંગાવવામાં આવ્યો હતો. તે સમયે સાડા ત્રણ લાખ રૂપિયાના ખર્ચે આ બ
140 વર્ષ જૂનો બ્રિજ 2 કરોડના ખર્ચે રિનોવેશન બાદ માત્ર ચાર દિવસમાં તૂટી પડ્યો
મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થવાની ઘટનામાં અનેક લોકો મોતને ભેટી ચૂકયા છે...તો અનેક લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.. વાત કરીએ આ પુલની તો આ પુલ 140 વર્ષથી પણ વધુ જૂનો હતો. 20 ફેબ્રુઆરી 1879ના રોજ આ પુલનું ઉદઘાટન કરાયુ હતું.. પુલનું ઉદઘાટન ગવર્નર રિચર્ડ ટેમ્પલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુલ બનાવવાનો સામાન તે સમયે ઇંગ્લેંડથી મંગાવવામાં આવ્યો હતો. 
તે સમયે સાડા ત્રણ લાખ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. પુલની લંબાઇ 765 ફૂટ જેટલી હતી. તાજેતરમાં જ પુલના રિનોવેશનની કામગીરી પૂર્ણ થઇ હતી..રિનોવેશનની કામગીરી લગભગ 6 મહિના ચાલી હતી. જે બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બ્રિજ પર જવા માટે 15 રૂપિયા ટિકીટ રાખવામાં આવી હતી. 
 
 આ બ્રિજના મેઇન્ટેનન્સની જવાબદારી ઓરેવા ગ્રુપ સંભાળે છે.. આ ગ્રુપે માર્ચ 2022થી માર્ચ 2037 સુધી એટલે કે 15 વર્ષ માટે મોરબી નગરપાલિકા સાથે આ મામલે કરાર કરેલો છે. આ ગ્રુપ પાસે જ બ્રિજની સુરક્ષા,સફાઇ, જાળવણી, ટોલ વસુલવાનું કામ છે.
Advertisement
Tags :
Advertisement

.