સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી લેશે જામનગરની મુલાકાત
સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી આગામી તા. 7 જાન્યુઆરીના રોજ જામનગર જિલ્લાની મુલાકાત લેવાના છે. જે અંતર્ગત કલેકટર ડૉ. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને સૂચારુ આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું. જામનગર એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ બાદ તેઓ રિલાયન્સ રીફાઈનરીની મુલાકાત લેશે.રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદની જામનગર મુલાકાતના આયોજનના ભાગરૂપે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર ડ
સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી આગામી તા. 7 જાન્યુઆરીના રોજ જામનગર જિલ્લાની મુલાકાત લેવાના છે. જે અંતર્ગત કલેકટર ડૉ. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને સૂચારુ આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું. જામનગર એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ બાદ તેઓ રિલાયન્સ રીફાઈનરીની મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદની જામનગર મુલાકાતના આયોજનના ભાગરૂપે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર ડૉ. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે તે વિભાગના અધિકારીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ વિવિધ વ્યવસ્થાઓ સુનીચીત થાય અને સૂચારુ આયોજન થઈ શકે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું, રિલાયન્સ રીફાઈનરીના તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement