Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ કોંગ્રેસમાં ગાબડું, જાણો ક્યા નેતા ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022)આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓમાં પક્ષ પલટાનો સીલસીલો યથાવત છે. ટિકિટને લઈને દરેક રાજ્યમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. હવે રાજકોટ (Rajkot)વિધાનસભા 70માં કોંગ્રેસમાં (Congress)ગાબડું પડ્યું છે. કોંગ્રેસના પૂર્વ શહેર મહામંત્રી ભાજપમાં જોડાયા છે. તેઓ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. વોર્ડ 13ના à
રાજકોટ કોંગ્રેસમાં ગાબડું  જાણો ક્યા નેતા ભાજપમાં જોડાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022)આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓમાં પક્ષ પલટાનો સીલસીલો યથાવત છે. ટિકિટને લઈને દરેક રાજ્યમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. હવે રાજકોટ (Rajkot)વિધાનસભા 70માં કોંગ્રેસમાં (Congress)ગાબડું પડ્યું છે. કોંગ્રેસના પૂર્વ શહેર મહામંત્રી ભાજપમાં જોડાયા છે. તેઓ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. વોર્ડ 13ના કોંગ્રેસના નેતા સુનીલ સુરાણી ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે.  તમને જણાવી દઈએ કે, સુનીલ સુરાણી ઋષિવંશી સમાજના ગુજરાતના ઉપપ્રમુખ છે.

આ નેતાએ તો ભારે કરી!

ગાંધીનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ડ્રામાં સામે આવ્યો છે. કોંગ્રેસમાંથી આપમાં જઈ આવેલા ઉમેદવારે હવે સમાજવાદી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે.  કોંગ્રેસના ગાંધીનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ હવે આમ આદમી પાર્ટી પણ છોડી દીધી છે.  ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ ન મળતા સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. તેમણે કહ્યું કે, ગાંધીનગરની એક પણ બેઠક પર રાજપૂત સમાજને આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપતા રાજપુત સમાજ નારાજ છે. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સૂર્યસિંહ ડાભીએ રાજીનામું મોકલી આપ્યું છે. નોંધનીય છે કે, સુર્યસિંહ પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યાર બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને હવે સમાજવાદી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે.

Advertisement

NCP એ આ બેઠક પરથી બદલ્યા ઉમદવાર

ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ સીટ પર એનસીપી સાથે ગઠબંધન કર્યુ હોવાથી ત્યાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા નથી. જેમાં એક બેઠક અમદાવાદની નરોડા છે. આ બેઠક પર એનસીપીએ ઉમેદવાર બદલ્યા છે. એનસીપીએ આ બેઠક મપર નિકુલસિંહ તોરમને ટિકિટ આપી હતી. પરંતુ છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની પાડી દીધી હતી. નિકુલસિંહ કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી NCPમાંથી ચૂંટણી લડવી હોય તો રાજીનામું આપવું પડે તેમ હોવાથી તેમણે ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. NCP સિંધી સમાજના મેઘરાજ દોડવાણીને ચૂંટણી લડાવશે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Tags :
Advertisement

.