Unjha APMC Election: આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન, ગુજરાત ફર્સ્ટ પર મળશે પળેપળની અપડેટ
આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. ઊંઝા એપીએમસી ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો રહેશે તે સ્વાભાવિક છે. નોંધનીય છે કે, એપીએમસીમાં બળવો ટાળવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીમાં 15 ઉમેદવાર મેદાને છે, જ્યારે વેપારી વિભાગની 4 બેઠકોની ચૂંટણીમાં 16 ઉમેદવાર મેદાને છે.
ઊંઝા APMCમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
December 16, 2024 7:04 pm
ઊંઝા APMCમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે વેપારીઓ, ખેડૂતોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો હતો. વેપારી વિભાગમાં 806 પૈકી 782 લોકોએ મતદાન કર્યું. ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 લોકોએ મતદાન કર્યું વેપારી વિભાગ 96.09 અને ખેડૂત વિભાગમાં 99.1 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં મતપેટી સીલ કરાઈ. તમામ મત પેટીઓ સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવી
ઉંઝા APMC ચુંટણી માં મતદાન પૂર્ણતાના આરે
December 16, 2024 3:16 pm
ઊંઝા APMCમાં જંગી મતદાન નોંધાયું છે. વેપારીઓ અનેં ખેડૂતોએ ઉત્સાહ ભેર મતદાન કર્યું હતું. 03:45 વાગ્યા સુધી શાંતિ પૂર્વક મતદાન થયું છે. આંકડાની વાતની કરવામાં આવે તો, વેપારી વિભાગમાં 806 પૈકી 776 મતદારો એ મતદાન કર્યું, ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું હતું. નોંધનીય છે કે, વેપારી વિભાગમાં 96.5 મતદાન નોંધાયું છે. જ્યારે ખેડૂત વિભાગનું 98.85 ટકા મતદાન નોંધાયું છે.
વેપારી વિભાગમાં 805 પૈકી 757 મતદારોએ મતદાન કર્યું
December 16, 2024 1:44 pm
ઉંઝા APMC ચૂંટણીના મતદાનની વાત કરવામાં આવે તો, આજે 3 વાગ્યા સુધી શાંતિ પૂર્વક મતદાન થયું છે. આંકડાની વાત કરવામાં આવે તો, વેપારી વિભાગમાં 805 પૈકી 757 મતદારોએ મતદાન કર્યું છે. જ્યારે ખેડૂત વિભાગમાં 261 પૈકી 255 મતદારોએ મતદાન કર્યું છે.
ભાજપમાં કોઈ જૂથવાદ નથીઃ જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર
December 16, 2024 12:13 pm
ઊંઝા APMCની ચૂંટણીને અત્યારે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે મતદાન મથકની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે, ખેડૂત અને વેપારી બુથ પર ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે. હાલમાં ભાજપ તરફી પેનલમાં મતદાન ખૂબ સારું થયું છે. ક્રોસ વોટિંગ બીજેપીના કાર્યકર્તા કરવાના નથી. જો કોઈ કરશે તો તેનું ધ્યાનમાં લઈ કાર્યવાહી હાથ ધરાશે. અત્યાર સુધી મેન્ડેડનો અનાદર કરનારાઓ સામે કાર્યવાહી થઈ જ છે. ચૂંટણી લડવાનો સૌને અધિકાર છે. જેને નારાજગી છે તેમને અમે માનવી લઈશું પરંતુ ભાજપમાં કોઈ જ જૂથબંધી નથી.’ વધુમાં કહ્યું કે, ‘ઊંઝા APMC ભાજપ સમર્પિત બનવાની છે’.
જે લોકો નારાજ છે એમને અમે મનાવી લઈ: સાંસદ હરીભાઈ પટેલ
December 16, 2024 11:46 am
ઊંઝા APMC ચૂંટણીમાં સાંસદ હરીભાઈ પટેલે મતદાન કર્યું છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે પણ ચૂંટણીમાં પોતાનું મતદાન કર્યું છે. હરિભાઈ પટેલ ઉંઝાની સુણક સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે. નોંધનીય છે કે, હરિભાઈ પટેલ 2011થી કાર્યરત મંડળીમાં છે. મતદાનને લઈને હરિભાઈ પટેલે ખાસ નિવેદન આપ્યું છે. કહ્યું કે, ‘જે લોકો નારાજ છે એમને અમે મનાવી લઈશું. નારાજગી ક્ષણિક હોય છે બધા અમારી સાથે જ છે. અમે ચૂંટણી ના થાય તે દિશામાં પ્રયાસ કર્યા હતા પરંતુ કેટલાક કારણોથી અમે સફળ ના રહ્યાં. જેથી હવે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.’
શા માટે સમરસ ના થઇ ચૂંટણી? વેપારી એસોસિએશનના પૂર્વ પ્રમુખે ખોલી પોલ
December 16, 2024 11:46 am
ઉંઝા APMC ચૂંટણીમાં મતદાનને લઈને મહત્વની અપડેટ
December 16, 2024 11:07 am
સવારે 11 વાગ્યા સુધી ઉંઝા APMC ચૂંટણી શાંતિ પૂર્વક મતદાન થયું છે. આંકડાની વાત કરીએ તો, વેપારી વિભાગમાં 805 પૈકી 289 મતદારોએ મતદાન કર્યું છે. જ્યારે ખેડૂત વિભાગમાં 261 પૈકી 100 મતદારોએ મતદાન કર્યું છે.
વેપારી એસોસિએશનના પૂર્વ પ્રમુખ સીતારામ પટેલનું મહત્વનું નિવેદન
December 16, 2024 10:45 am
ઊંઝા APMCની ચૂંટણીને લઈને વેપારી એસોસિએશનના પૂર્વ પ્રમુખે મહત્વનું નિવેદન આપ્યું છે. વેપારી એસોના પૂર્વ પ્રમુખ સીતારામ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું કે, ‘ભાજપે ચૂંટણી પ્રક્રિયા પહેલા વહેપારીઓ સાથે કોઈ બેઠક કરી નથી. મેન્ડેડ આપ્યા પહેલા વેપારી પેનલ સાથે બેઠક જરૂરી હતી. વેપારીઓ શુ ઈચ્છી રહ્યા છે તે ભાજપે જાણ્યું નથી. ચૂંટણી પૂર્વે વેપારીઓ સાથે બેઠક કરી હોત તો ચૂંટણી સમરસ થઈ શકી હોય.વેપારી બેઠકની ચૂંટણીમાં હાલમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ભાજપ ક્યાંક વેપારીઓને સાથે રાખવામાં પાછળ રહ્યું છે.
આવતીકાલે ઉંઝા APMC ચૂંટણી ની મતગણતરી કરાશે
December 16, 2024 9:59 am
નોંધનીય છે કે, ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ભાજપે મેન્ડેડ આપ્યા હતા. બાકીના ઉમેદવારો એ મેન્ડેડ વાળા ઉમેદવારો ને ટેકો આપવા હોદ્દેદારોએ સમજાવટ કરી હતી. ચૂંટણી સમરસ કરવામાં સફળતા મળતા ક્રોસ વોટિંગ થવાની શક્યતા વધી
ઊંઝા APMC માં કુલ 14 બેઠકો માટે 1063 મતદારો નોંધાયેલા
December 16, 2024 9:59 am
ઊંઝા APMCની ચૂંટણીને લઈને ખેડૂત વિભાગમાં 1 બુથ, વેપારી વિભાગમાં 2 બુથ બનાવાયા છે. આ સાથે 3 બુથમાં 15 અધિકારીઓ, 5 રિઝર્વ મળી કુલ 21 અધિકારીઓ ઉપસ્થિત છે. ખેડૂત વિભાગમાં એક મતદાર મહત્તમ 10 ઉમેદવારને મત આપી શકશે. એટલું જ નહીં પરંતુ 10 થી ઓછા મત માન્ય રહેશે, 10 થી વધુ મત આપશે તો બેલેટ રદ્દ થશે. વેપારી વિભાગમાં એક મતદાર મહત્તમ 4 ઉમેદવારને મત આપી શકશે. જેમાં 4 થી ઓછા મત માન્ય રહેશે , 4 થી વધુ આપશે તો બેલેટ રદ્દ થશે.
ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને
December 16, 2024 9:58 am
APMCની ચૂંટણીમાં આજે ભાજપના બે જૂથો આમનો સામને જોવા મળ્યાં છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ આમને સામને છે. અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા મતદારોને સીધા મતદાન મથકે લવાયા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારો મતદાન કરવાના છે. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 803 મતદારો મતદાન કરવાના છે.
ઊંઝા APMC નું મતદાન શરૂ, પૂર્વ ચેરમેન અને પૂર્વ MLA નારણકાકાએ કર્યું મતદાન
December 16, 2024 9:52 am
ઊંઝા APMC ના પૂર્વ ચેરમેન અને પૂર્વ MLA નારણકાકાએ મતદાન કર્યું છે. વેપાર વિભાગમાં નારણકાકાએ મતદાન કર્યું. apmc ચૂંટણીને નારણકાકાએ નિવેદન આપ્યું છે. નારણકાકાએ કહ્યું કે, ‘ભાજપમાં કોઈ આંતરિક વિવાદ નથી. ભાજપમાં મેન્ડેડને લઈ કોઈ વિવાદ નથી. જે પરિણામ આવશે તે બધાને માન્ય જ હશે.’ વહેલી સવારથી મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો.
ઊંઝા APMCમાં ચેરમેન-વાઇસ ચેરમેનનો ચૂંટણી જંગ
December 16, 2024 9:28 am
બળવો કરીને પણ ભાજપ નેતાઓએ ઉમેદવારી ચાલુ રાખી
December 16, 2024 7:54 am
ઊંઝા એપીએમસી ચૂંટણીમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે. ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા બળવા બાદ પણ મતદાન યોજાયું છે. મહત્વની વાત એ છે કે, બળવો કરીને પણ ભાજપ નેતાઓએ ઉમેદવારી ચાલુ રાખી છે. જૂથબંધી અને સત્તા મેળવવાની લાલચના કારણે ભાજપ દ્વારા બળવો થયો છે. ત્યારે આજે ભાજપના બળવા વચ્ચે મતદાન થઈ રહ્યું છે. ભાજપ નેતાઓના અથાગ પ્રયાસો બાદ પણ બળવાના કારણે ચૂંટણી યોજાઈ છે.
ખરીદ વેચાણની બેઠક પર દિનેશ પટેલ બિનહરીફ
December 16, 2024 7:29 am
ઊંઝા એપીએમસીના ચૂંટણી જંગમાં અનેક ભાજપ નેતાઓએ ઝંપલાવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, ખરીદ વેચાણની બેઠક પર દિનેશ પટેલ બિનહરીફ રહ્યાં છે. આ સાથે આજે ડિરેક્ટરોની ચૂંટણી બાદ ચેરમેન-વાઇસ ચેરમેનનો ચૂંટણી જંગ પણ જામશે.
ખેડુત વિભાગની 10 અને વેપારી વિભગની 4 બેઠકો વચ્ચે રસાકસી
December 16, 2024 7:26 am
MLA કિરીટ પટેલ,પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને નારણ પટેલના જૂથના ખેચતાણ જોવા મળશેે. ખેડુત વિભાગની 10 અને વેપારી વિભગની 4 બેઠકો વચ્ચે રસાકસી રહેવાની છે. માર્કેટયાર્ડની ચૂંટણીમા કુલ 1066 મતદારો મતદાન કરશે. ચૂંટણીની તૈયારી ભાગરૂપે તંત્ર અને પોલીસે આપી આખરી ઓપ. નોંધનીય છે કે, તારીખ 17એ યોજાશે ઊંઝા APMC માર્કેટયાર્ડની 14 બેઠકોની મતગણતરી થવાની છે.