Independence Day-રાજ્યપાલ શ્રીનું રાજભવનના પ્રાંગણમાં ધ્વજવંદન
- Independence Day : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી
----------------
Independence Day-78 મા સ્વતંત્રતા દિવસની શુભસવારે GOVERNER શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ધ્વજવંદન પછી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે જેકફ્રુટ- ફણસનું વૃક્ષ વાવ્યું હતું.
ધ્વજવંદન સમારોહમાં એસ.આર.પી.એફ. જૂથ-૨, અમદાવાદના કંપની કમાન્ડર તથા જવાનો અને જૂથ-૧૨, ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો.
15 મી ઓગસ્ટના પર્વે રાજભવનના ધ્વજવંદન સમારોહમાં અધિક મુખ્ય સચિવ શ્રી જે.પી. ગુપ્તા રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, રાજ્યપાલશ્રીના એડીસી લેફ્ટનન્ટ કમાન્ડર મનુ તોમર અને શ્રી કે. સિદ્ધાર્થ (આઇપીએસ), ગાંધીનગરની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા અન્ય શાળાના બાળકો ઉપરાંત રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પણ વાંચો- VADODARA : સંસ્કારી નગરીમાં વિધાનસભાના દંડકના હસ્તે ધ્વજ વંદન કરાયું